કોરોના ઈફેક્ટઃ નડીયાદમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

By

Published : Mar 21, 2020, 7:02 PM IST

thumbnail

ખેડાઃ કોરોના વાઇરસને લઈને સમગ્ર દુનિયા ચિંતાતુર બની છે, ત્યારે ભારત સહીત સમગ્ર ગુજરાતના તમામ સ્થળોએ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા સાવધાની રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત અગમચેતીના પગલાં રૂપે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ સહયોગી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત નડીયાદ ખાતે કોરોના વાઇરસના સંક્રમણથી બચાવ માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા જરૂરી સાવધાની રાખવાની જરૂર છે. જેને લઇ લોકોનું રક્ષણ થઇ શકે તે માટે મહાદેવ સેવા ટ્રસ્ટ દ્વારા નડીયાદ શહેરમાં વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.