રાજકોટના કાગવડ ખોડલધામ મંદિરને રોશની અને દીવડાથી શણગાર કરવામાં આવ્યો
રાજકોટ: દિવાળીના તહેવારનો ઝગમગાટ શહેરમાં જોવા મળી રહ્યો છે. ઘરે-ઘરે અવનવી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે કાગવડના ખોડલધામ મંદિરને પણ દિવાળીના પ્રસંગે રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ખોડલધામ મંદિરના કેમ્પસમાં ભવ્ય રંગોળીએ લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું. કાગવડ ખોડલધામ મંદિર ખાતે દિવાળીની સાંજે ભવ્ય રંગોળી બનવવામાં આવી હતી. મંદિરના કેમ્પસમાં શ્રી ખોડલધામ નામના દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા.