ભાવનગરમાં નદી પસાર કરવા જતાં 25 વર્ષીય યુવક તણાયો, બીજા દિવસે મળ્યો મૃતદેહ
ભાવનગરઃ મંગળવારે ઓઠા, બગદાણા વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે મહુવાના તરેડી ગામે ખડખડીયો નદીમાં ભયાનક પૂર આવ્યું હતું. આ પૂરમાં ખેતમજૂરી કરી પરત ફરી રહેલા લાલજીભાઈ ગુજરીયા નામનો 25 વર્ષીય યુવક નદી પસાર કરવા જતાં નદીના પાણીમાં તણાયો હતો. આ યુવકની લોકોએ ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બીજા દિવસે સથરા ખાતેથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવના પગલે મહુવા રુલર પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે મોકલી આપી જરૂરી કાગળ પરની કાર્યવાહી હાથ ધરી હતી.