નવસારીમાં મતગણતરીને લઈને ચુસ્ત બંંદોબસ્ત

By

Published : Dec 8, 2022, 1:05 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

thumbnail

નવસારી : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવસારીની 4 બેઠકો (Counting of votes in Navsari) પર કુલ 10.78 લાખ મતદારો નોંધાયા હતા. જેમાંથી 1 ડિસેમ્બરે યોજાયેલા મતદાનમાં નવસારીના કુલ 7.66 લાખ મતદારોએ પોતના મતાધિકારનો ઉપયોગ કરીને 18 ઉમેદવારોના (Navsari Assembly Candidate) ભાવિ EVM મશીનમાં કેદ કર્યા હતા. અઠવાડિયા સુધી કોણ જીતશે, કોણ હારશે, કોણ કોને ધોબી પછાડ આપશેની ગરમાગરમ ચર્ચાઓ ઠંડીના વાતાવરણમાં રહી છે. ત્યારે આજે નવસારીના જલાલપોરના ભુતસાડ ગામે આવેલ ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચારેય વિધાનસભા બેઠકોની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે. મતગણતરીની તમામ તૈયારીઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી ગઈ છે.  મતગણતરી પ્રક્રિયામાં 400 કર્મચારી, કોઈ અઘટિત ઘટના ન બને એ હેતુથી 375 પોલીસ જવાનો સાથે CRPF ની બે પ્લાટૂનના 180 જવાનોની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે. જિલ્લાના 1147 બુથોને ધ્યાને રાખીને મત ગણતરીના રાઉન્ડ થશે. ત્યારે હવે નવસારીમાં ભાજપ અને કોંગ્રેસ કેટલી બેઠકો મેળવે છે એ જોવું રહ્યું. (Gujarat Assembly Election 2022)

Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.