મા અંબાજી મંદિર પરિસરમાં ભાદરવી પૂનમ નિમિત્તે કેવા દ્રશ્યો જોવા મળ્યાં જૂઓ

By

Published : Sep 10, 2022, 2:54 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે મા અંબાજી મંદિરે ભક્તોની ભીડનો પાર નથી. અંદાજે 15 લાખ જેટલા ભક્તોએ છેલ્લાં દિવસોમાં દરમિયાન મા અંબાના ચરણે શિશ ઝૂકાવી માના આશીર્વાદ લીધાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના તમામ રસ્તા જાણે મા અંબાજીના મંદિરની કેડીએ લઇ જતાં હોય તેમ ભક્તોનું ઘોડાપૂર વહી રહ્યું છે. મા અંબાના મંદિર પરિસરમાં ડ્રોનથી લેવાયેલી તસવીરો આ બાબતની સાક્ષી પૂરે છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ આજે ભાદરવી પૂનમ 2022ના દર્શન કરી રાજ્ય, દેશ અને દુનિયાની સુરક્ષાની પ્રાર્થના સહ મા અંબાને ધજા અર્પણ કરવામાં આવી હતી. Bhadarvi Poonam Ambaji Darshan , Bhadarvi Purnima 2022 , Banaskantha District Police , Ambaji Mandir Drone Visuals of Bhadarvi Poonam

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.