જેતપુર માર્કેટિંગ યાર્ડમાં મેનેજર અને વેપારી વચ્ચે મારામારી

By

Published : Jun 11, 2020, 5:12 PM IST

thumbnail

રાજકોટઃ જિલ્લાના જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીમાં ખરીદ વેચાણ સંઘના મેનેજર અને વેપારી વચ્ચે મારામારી સર્જાઈ હતી. તાલુકા સંઘના મેનેજર અરવિંદ કુંભાણી દ્વારા નબળી ગુણવત્તાના હિસાબે માલ મંજૂર ના કરાતા વેપારીએ તેમના પર હુમલો કર્યો હતો. અરવિંદ કુંભાણીને જેતપુર માર્કેટયાર્ડની 29 નંબરની અંકુર ટ્રેડિંગના માલિક પરસોતમભાઈ અને તેના પુત્રને માર મારી તેઓ ફરાર થયા હતા. જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ચણા લઈને આવેલા ટ્રક ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. તેમજ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.