શાસ્ત્રીય સંગીત અને નૃત્યના સંગમ સાથે ફેલાવી કોરોના વિશે જાગૃતિ
ન્યૂઝ ડેસ્ક : કોરોના વાઇરસના પગલે દેશ સહિત દુનિયામાં હાહાકાર મચી ગયો છે, ત્યારે સંસ્થાઓ સહિત અનેક વિભાગો વીડિયો બનાવી લોકોમાં જાગૃતતા લઇ આવવાના પ્રયાસો કરી રહ્યા છે. આ તકે સુચના વિભાગ ભારત સરકાર તરફથી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુલઝારની ગઝલ અનેે તેનો ક્લાસિક ડાંસથી કોરોના જાગૃતતા લઇ આવવાનો પ્રયાસ કર્યો છે. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.