યાત્રાધામ અંબાજીમાં કોરોનાના બે વર્ષ બાદ ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

By

Published : Sep 3, 2022, 1:48 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

thumbnail

બનાસકાંઠા યાત્રાધામ અંબાજીમાં બે દિવસ બાદ ભાદરવી પૂનમના મેળાનો Ambaji Fair પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ ભાદરવી પૂનમનો મેળો 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી છ દિવસ Bhadarvi Poonam fair date 2022ચાલશે. આ મેળામાં આવતા લાખો પદયાત્રીઓને Ambaji Mela 2022 શાંતી અને સરળતાથી દર્શનનો લાભ મળી શકે તે માટે મેળાના આ છ દિવસ માટે દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. તમામ લોકોને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોવાથી તમામને દર્શનનો લાભ Bhadravi Poonam Fair 2022 in Ambajiમળી રહે તેમાટે દર્શનના સમયમાં વધારો કરાયો છે. જે આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળાના છ દિવસ સવારની આરતી 05.00 થી 05.30 સુધી થશે. બપોરે દર્શન 12.30 થી સાંજ નાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સવારે દર્શન 05.30 થી 11.30 કલાક સુધી જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજના 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીના દર્શન સાંજે 07.30 થી રાતનાં 09.00 ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.

Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.