ETV Bharat / sukhibhava

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેસ થયા બમણા, સતત બીજા દિવસે એકનું મૃત્યુ

author img

By

Published : Dec 23, 2022, 9:31 AM IST

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેસ થયા બમણા, સતત બીજા દિવસે એકનું મોત
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેસ થયા બમણા, સતત બીજા દિવસે એકનું મોત

ચીનમાં કોરોના વાયરસની ગંભીર સ્થિતિને જોતા દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને CM અરવિંદ કેજરીવાલે દેશ અને દિલ્હીમાં કોરોનાની નવીનતમ (Corona update) સ્થિતિ પર અલગ અલગ બેઠક કરી હતી. બંનેએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. ગુરુવારે કોરોનાના તાજેતરના આંકડામાં દિલ્હી (Corona cases double in Delhi) માં કોરોનાના 10 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. સતત બીજા દિવસે એક દર્દીનું મૃત્યુ થયું હતું.

નવી દિલ્હી: વૈશ્વિક મહામારી કોરોના (Corona update)ને લઈને દિલ્હીના આંકડા પણ ચિંતાજનક કહી શકાય. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના ડબલ કેસ નોંધાયા (Corona cases double in Delhi) છે. બુધવારે દિલ્હી સરકાર દ્વારા જારી કરાયેલ હેલ્થ બુલેટિનમાં કોરોનાના કુલ 5 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત એક દર્દીના મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેસ થયા બમણા, સતત બીજા દિવસે એકનું મૃત્યુ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેસ થયા બમણા, સતત બીજા દિવસે એકનું મૃત્યુ

સંક્રમિત દર્દિઓની સંખ્યા: ગુરુવારે રાત્રે જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 છે અને બીજા દિવસે પણ એક દર્દીનું મૃત્યુ થયું છે. જો કે, ચેપ દર 0.41 ટકા નોંધાયો છે. 24 કલાકમાં 2421 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દિલ્લીમાં કરોના સંક્રમણ: હાલમાં દિલ્હીમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 32 છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં રાજધાની દિલ્હીમાં હોમ આઈસોલેશનમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા 18 પર પહોંચી ગઈ છે. આ સાથે 4 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ સમયે દિલ્હીમાં કોઈ પ્રતિબંધ લાગુ નથી.

રેન્ડમ પરીક્ષણ ફરજિયાત: કેન્દ્ર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવતા કેટલાક મુસાફરોનું તારીખ 24 ડિસેમ્બરથી રેન્ડમ કોરોનાવાયરસ પરીક્ષણ કરવામાં આવશે. ઘણા દેશમાં કોરોના વાયરસના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને આ સંબંધમાં પત્ર લખ્યો છે. "પ્રત્યેક ફ્લાઇટમાં કુલ મુસાફરોના 2 ટકા સુધી પહોંચ્યા પછી એરપોર્ટ પર રેન્ડમ પરીક્ષણ કરવામાં આવશે." એક સત્તાવાર પત્રમાં જણાવ્યું હતું. દરેક ફ્લાઇટમાં આવા મુસાફરોની પસંદગી સંબંધિત એરલાઇન્સ દ્વારા કરવામાં આવશે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેસ થયા બમણા, સતત બીજા દિવસે એકનું મૃત્યુ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેસ થયા બમણા, સતત બીજા દિવસે એકનું મૃત્યુ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેસ થયા બમણા, સતત બીજા દિવસે એકનું મૃત્યુ
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કેસ થયા બમણા, સતત બીજા દિવસે એકનું મૃત્યુ

CM કેજરીવાલે બેઠક યોજીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ પછી કહ્યું કે, કોવિડના નવા વેરિઅન્ટ BF 7નો એક પણ કેસ હજુ સુધી જોવા મળ્યો નથી. પરંતુ આપણે બધાએ સાવધાન રહેવાની જરૂર છે. ગભરાવાની જરૂર નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.