ETV Bharat / state

માર્ચ એન્ડિંગ: વલસાડ નગરપાલિકાએ વેરો ન ભરનાર 5 મિલકતદારોના નળ કનેક્શન કાપ્યા, 3ને જપ્તીની નોટિસ

author img

By

Published : Mar 26, 2021, 12:44 PM IST

વલસાડ નગરપાલિકાએ વેરો ન ભરનાર 5 મિલકતદારોના નળ કનેક્શન કાપ્યા
વલસાડ નગરપાલિકાએ વેરો ન ભરનાર 5 મિલકતદારોના નળ કનેક્શન કાપ્યા

વલસાડ નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી બાકી વેરો ન ભરનારા મિલકતદારો સામે પાલિકા એક્શન મોડમાં આવી છે. ગુરૂવારે પાલિકાની ટીમે બાકી વેરાની વસૂલાત હાથ ધરીને વેરો નહી ભરનારા 5 મિલકતદારોના નળ કનેક્શન કાપ્યા છે અને 3ને જપ્તીની નોટિસ પાઠવી છે.

  • એક જ દિવસમાં 4.45 લાખની વેરા વસૂલાત કરી
  • નળ કનેક્શન કાપી નાંખતા વેરા ન ભરનારાઓમાં ફફડાટ
  • વારંવાર નોટિસો આપ્યા છતા વેરો ન ભરનારા 3ને જપ્તીની નોટિસ

વલસાડ: નગરપાલિકાએ વેરો ન ભરનારાઓ સામે લાલ આંખ કરી છે. જે મિલકતદારોના વેરા બાકી હોય, તેમની પાસેથી વસૂલાત માટે પાલિકાએ અભિયાન હાથ ધર્યું હતુ. આ અભિયાન અંતર્ગત ગુરૂવારે વેરો નહીં ભરનારા 5 મિકલતદારોના નળ કનેક્શન કાપી નાંખ્યા હતા અને 3ને જપ્તીની નોટિલ પાઠવવામાં આવી હતી. જેના પગલે વેરો નહીં ભરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વલસાડ નગરપાલિકાએ વેરો ન ભરનાર 5 મિલકતદારોના નળ કનેક્શન કાપ્યા

એક જ દિવસમાં 4.45.લાખ વેરો વસૂલાયો

ગુરુવારે હાથ ધરાયેલા અભિયાનમાં કુલ રૂપિયા 4.45 લાખના વેરાની વસૂલાત કરવામાં આવી હતી. આ સાથે વેરો નહીં ભરનારાઓના નળ કનેક્શન કાપવાની પણ શરૂઆત કરવામાં આવી હતી. આ વસૂલાત અભિયાનમાં તેમણે જેનો મોટી રકમનો વેરો બાકી હોય અને વખતો વખતની સૂચના બાદ પણ વેરો ન ભરતા હોય એવા 3 મિલકતદારોને જપ્તીની નોટિસ પણ આપી છે. જેને લઇને બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.