ETV Bharat / state

શ્રાદ્ધ પક્ષઃ 'પું' નામના નર્કમાંથી પિતૃઓને તારે તે જ પુત્ર કહેવાય

author img

By

Published : Sep 23, 2019, 9:08 PM IST

shradh week

વાપીઃ હિન્દુ શાસ્ત્રમાં શ્રાદ્ધનું અનેરું મહત્વ હોવાથી ભાદરવી પૂનમથી અમાસ સુધીના 16 દિવસ પિતૃ શ્રાદ્ધ માટે વર્ણવાયા છે. આ દિવસોમાં હિન્દુ પરિવારો પિતૃ તર્પણ અને પિંડદાન કરી પોતાના પિતૃઓને સદગતી અપાવી તેમની કૃપાદ્રષ્ટિ મેળવે છે. ત્યારે દક્ષિણ ગુજરાતની ગંગા કહેવાતી દમણગંગા નદી કિનારે શ્રાદ્ધ પખવાડિયામાં હજારો લોકો પિતૃઓના પિંડદાન માટે એકઠા થાય છે.

સેલવાસ અને ગુજરાતના વાપીની વચ્ચે આવેલ લવાછા ગામના રામેશ્વર મહાદેવ મંદિરનું પ્રાંગણ હાલ શ્રાદ્ધના શ્લોકથી ગુંજી રહ્યું છે. અહીં નજીકમાં જ દમણગંગા નદી પસાર થતી હોવાથી હજારો લોકો શ્રાદ્ધ પખવાડિયામાં પિતૃઓના શ્રાદ્ધ માટે આવે છે. જેમાં ભગવાન વિષ્ણુનું પૂજન કરી પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે.

'પું' નામના નર્કમાંથી પિતૃઓને તારે તે જ પુત્ર કહેવાય

હિન્દુ ધર્મના દરેક પરિવારના વ્યક્તિએ પોતાના મૃતક સ્વજનોનું તિથિ મુજબ શ્રાદ્ધકર્મ કરવાનું હોય છે. સાથે જ પિતૃ શ્રાદ્ધમાં બનાવેલ મીઠાઈ પકવાનને પશુ-પક્ષીઓ અને જળચર જીવોમાં પિતૃઓનો વાસ સમજી ભોજન કરાવવામાં આવે છે, પરંતુ આધુનિક પેસ્ટીસાઈડના જમાનામાં કાગડા ભાગ્યે જ જોવા મળે છે તેવો વસવસો બ્રાહ્મણો વ્યક્ત કરી રહ્યા છે.

Intro:story approved by desk

story location :- silvassa

સેલવાસ :- હિન્દૂ શાસ્ત્રમાં શ્રાદ્ધનું અનેરું મહત્વ છે. ભાદરવી પૂનમ થી અમાસ સુધીના 16 દિવસ પિતૃ શ્રાદ્ધ માટે શાસ્ત્રમાં વર્ણવાયા છે. આ દિવસોમાં કેટલાય હિન્દૂ પરિવારો પિતૃ તર્પણ, પિંડદાન કરી પોતાના પિતૃઓને સદગતી અપાવી તેમની કૃપાદ્રષ્ટિ મેળવે છે. સંઘપ્રદેશ સેલવાસ અને વાપીમાં પણ હજારો લોકો દક્ષિણની ગંગા કહેવાતી દમણગંગા નદી કિનારે શ્રાદ્ધ પખવાડિયામાં તર્પણ અને પિંડદાન કરે છે.


Body:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ અને ગુજરાતના વાપીની વચ્ચે આવેલ લવાછા ગામનું રામેશ્વર મહાદેવ મંદિર પ્રાંગણ હાલ શ્રાદ્ધના શ્લોકથી ગુંજી રહ્યું છે. અહીં નજીકમાં જ દમણગંગા નદી પસાર થતી હોય હજારો લોકો આ શ્રાદ્ધ પખવાડિયામાં પિતૃઓના શ્રાદ્ધ માટે આવે છે.

પિતૃ તર્પણ અંગે સેલવાસના ભાગવતા શાસ્ત્રી અને કર્મકાંડ વિશારદ ગિરીશ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, લવાછા દમણગંગા નદી કિનારે શ્રાદ્ધ તર્પણ, પિતૃ તર્પણ વિધિ થાય છે. આ સ્થળનું ખુબજ મહત્વ છે. શ્રાદ્ધ માટે શાસ્ત્રોમાં કહેવાયું છે કે, જે 'પું' નામના નરકમાંથી પિતૃઓને તારે તે જ પુત્ર કહેવાય, એટલે 16 શ્રાદ્ધ દરમ્યાન પિતૃઓની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે, પિતૃઓની સદગતિ માટે શ્રાદ્ધ પૂજા કરવામાં આવે છે. આ શ્રાદ્ધ માતાપિતાને, શ્વાસુરપક્ષને, કુટુંબપક્ષને કે મિત્રોને અનુલક્ષીને કરવામાં આવે છે. જેમાં પિંડદાન, તર્પણ, ભગવાન વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે.

તો એજ રીતે ઉત્તરપ્રદેશના પંડિત કૈલાશ પાંડેએ જણાવ્યું હતું કે હિન્દૂ ધર્મમાં શ્રાદ્ધનું ખુબજ મહત્વ છે. દરેક વ્યક્તિએ પોતાના મૃતક સ્વજનોનું તિથિ મુજબ શ્રાદ્ધકર્મ કરવું જોઈએ. પિતૃ શ્રાદ્ધમાં બનાવેલ ભોજન પિતૃઓને મળે છે. તે માટે મીઠાઈ, પકવાન અર્પણ કરવામાં આવે છે. પશુ-પક્ષીઓ, જળચર જીવોમાં પિતૃઓનો વાસ સમજી તેમને ભોજન કરાવવામાં આવે છે.

દમણગંગા નદી કિનારે પિંડદાન કરવા આવેલા ઉદયસિંગ ઘોરપડેએ જણાવ્યું હતું કે આ દિવસોમાં પૂર્વજ પૃથ્વી પર આવે છે. તેવી માન્યતા છે. તેમને માટે ખાસ આ વિધિ કરવામાં આવે છે. જેમાં વિશેષ પૂજા કરી ઘરમાં ભોજન બનાવવામાં આવે છે. મીઠાઈ-પકવાનના આ ભોજનના અલગ અલગ ભાગ કરી એક ભાગ ઘરની અગાસી ઉપર કાગડાને ધરવામાં આવે છે. બીજો ભાગ ગાયને, ત્રીજો ભાગ કૂતરાને,ચોથો ભાગ નદી કિનારે માછલીઓને ધરવામાં આવે છે. અને પાંચમો ભાગ બ્રાહ્મણ દેવતાને અર્પણ કરે છે. એ રીતે શ્રાદ્ધ પખવાડિયામાં પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરી તેની કૃપાદ્રષ્ટિ મેળવવામાં આવે છે. જો કે આજના પેસ્ટીસાઈડના જમાનામાં કાગડા તો ભાગ્યે જ જોવા મળે છે તેવો વસવસો પણ ઉદાયસિંઘે વ્યક્ત કર્યો હતો.


Conclusion:ઉલ્લેખનીય છે કે, દમણગંગા નદીને દક્ષિણ ગુજરાતની ગંગા કહેવામાં આવે છે. એમાંય લવાછા ખાતે ખુદ ભગવાન રામે મહાદેવની પૂજા કરી હોવાની માન્યતા છે. એટલે આ સ્થળને અતિ પવિત્ર ગણવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં અહીં મોટી સંખ્યામાં લોકો પોતાના પિતૃઓની તૃપ્તિ-સદગતી માટે શ્રાદ્ધ પખવાડિયા દરમ્યાન તર્પણ અને પિંડદાન કરે છે.

bite 1, ગિરીશ શાસ્ત્રી,ભાગવતા શાસ્ત્રી અને કર્મકાંડ વિશારદ, સેલવાસ
bite 2, પંડિત કૈલાશ પાંડે, કર્મકાંડી બ્રાહ્મણ, વાપી
bite ૩, ઉદયસિંગ ઘોરપડે, પિંડદાન કરનાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.