ETV Bharat / state

કપરાડા તાલુકાના 35 ગામના લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યા

author img

By

Published : May 11, 2020, 5:51 PM IST

કપરાડા તાલુકાના 35 ગામના લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યા
કપરાડા તાલુકાના 35 ગામના લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યા

ઉનાળો શરૂ થતાંની સાથે કપરાડા તાલુકાના 40 જેટલા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદ્ભવી છે. લોકોને પીવાનું પાણી લેવા માટે ૪થી ૫ કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. તો બીજી તરફ હેન્ડપંપના જળસ્તર નીચે ઉતરી જતા લોકોની પાણીની સમસ્યા ગંભીર બની છે. ત્યારે કપરાડા તાલુકાના ૩૫ જેટલા ગામના પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે સોમવારે સરપંચ એસોસિયેશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વૈકલ્પિક રીતે આ ગામોમાં પાણી પહોંચતું કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.

વલસાડ: દક્ષિણ ગુજરાતના ચેરાપુંજી ગણાતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન સોથી વધુ 150 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ ઉનાળો શરૂ થતાં જ અહીં પાણીની સમસ્યા ગંભીર બની છે. કપરાડા તાલુકાના ૪૦ જેટલા ગામમાં એપ્રિલ માસ શરૂ થતાની સાથે જ પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઇ છે. હેન્ડપંપમાં જળ ભૂગર્ભમાં ઉતરી જતાં લોકોને પીવાનું પાણી મેળવવા માટે અંદાજે ૪થી ૫ કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે તો કેટલાક ગામોમાં એકમાત્ર હેન્ડપંપમાં ધીમીધારે પાણી આવતા લોકોને એક બેડું ભરવા માટે કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડે છે.

કપરાડા તાલુકાના 35 ગામના લોકો પાણીવિહોણા
કપરાડા તાલુકાના 35 ગામના લોકો પાણીવિહોણા

આવી કપરી પરિસ્થિતિમાં લોકોને પીવાના પાણીના ટીપેટીપા માટે તરસવું પડી રહ્યું છે. આ સમસ્યાને દૂર કરવા માટે 35 ગામના સરપંચો અને આગેવાનોએ સરપંચ એસોસિએશન સાથે મળીને કપરાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માગ કરી છે.

મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

નોંધનીય છે કે કપરાડા તાલુકાના પીવાના પાણીની સમસ્યા સુધારવા માટે સરકાર દ્વારા 586 કરોડની અસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ યોજનાની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. જેના કારણે હજુ પણ લોકોને પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.