ETV Bharat / state

Monsoon Gujarat 2022: મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થતા 6 દરવાજા ખોલાયા

author img

By

Published : Jul 8, 2022, 12:53 PM IST

Monsoon Gujarat 2022: મધુબન ડેમમાં પાણીની આવક થતા 6 દરવાજા ખોલાયા
Monsoon Gujarat 2022: મધુબન ડેમમાં પાણીની આવક થતા 6 દરવાજા ખોલાયા

વલસાડમાં ભારે વરસાદની (Monsoon Gujarat 2022 )આગાહીને પગલે 24 કલાકમાં 30 ઇંચ વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. મધુબન ડેમમાં વરસાદી (Valsad Madhuban Dam)પાણીની આવક થતા 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લાના 6 તાલુકામાં 30 ઇંચ (Rain in Valsad)જેટલો વરસાદ નોંધાયો છે.

વલસાડ: જિલ્લામાં ભારે વરસાદની આગાહીને (Monsoon Gujarat 2022 )પગલે ગઈ કાલે મોડી સાંજથી સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં 30 ઇંચ વરસાદ થતાં અનેક (Valsad Madhuban Dam)વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. દમણગંગા નદી( Damanganga river)ઉપર બનેલા મધુબન ડેમમાં વરસાદી(Valsad Madhuban Dam) પાણીની આવક થતા 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જિલ્લાના 6 તાલુકામાં 30 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ 8 ઇંચ કપરાડા તાલુકામાં નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ઉમરગામ તાલુકામાં 2 ઇંચ નોંધાયો છે.

વલસાડમાં ભારે વરસાદ

મધુબન ડેમમાં પાણીની આવક થતા 6 દરવાજા 1 મીટર સુધી ખોલાયા - ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Rain in Valsad)કારણે દમણ ગંગા નદી ઉપર બનેલા મધુબન ડેમમાં વરસાદી પાણીની (Water inflow in Madhuban Dam)આવક વધી છે. જેને પગલે ડેમનું લેવલ જાળવવા ડેમમાં છ જેટલા દરવાજા એક મીટર સુધી ખોલી 21934 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ અંગે કલેક્ટરએ પણ લોકોને ટ્વીટરના માધ્યમથી ટ્વિટ કરી જાણકારી આપી છે અને નદીના નીચાણવાળા વિસ્તારથી દૂર રહેવા માટે સૂચન કર્યું છે હાલમાં મધુબન ડેમમાં દર કલાકે 19709 કયીસેક જેટલું ઇનફ વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ પ્રવાસીઓથી ભરેલી કાર નદીમાં ખાબકી, 9 લોકોના થયા મૃત્યું

નીચાણવાળા કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં - મધુબન ડેમમાંથી (Madhuban Dam in Valsad)પાણી છોડવામાં આવતા (Monsoon 2022)કપરાડા વિસ્તારમાંથી વહેતી કોલક નદી ઉપર અનેક જગ્યા એ બનેલાલો લેવલ બ્રિજ પરથી વરસાદી પાણી ફરી વળ્યાં હતા. આરનાલા પાટી ગામ વચ્ચેથી વહેતી નદી ઉપર બનેલ ચેકડેમ કમ કોઝવે ઉપર ડૂબાણમાં ગયો હતો અને બને ગામો વચ્ચે સંપર્ક કપાયો હતો.

આ પણ વાંચોઃ Gujarat Rain Update : રાજ્યમાં મેઘરાજાની ક્યાં કેવી બેટિંગ જાણો

પાણી લોકોના ઘરમાં ઘુસ્યા - ગઈ કાલે બપોરથી પડી રહેલા વરસાદને કારણે વલસાડ શહેરમાં આવેલી મિશન કોલોનીમાં રહેતા લોકોને ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. લોકોને ભારે હાલાકી પડી રહી હતી. સોસાયટી નજીકમાં કોઈ બિલ્ડર દ્વારા વરસાદી પાણીના વહેણ વચ્ચે દીવાલ કરી દેતા વરસાદી પાણીનો ભરાવો થતા લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા હતા લોકોના ઘર વખરીને તેમજ સમાનને નુકશાન થયું હતું. આમ વલસાડમાં હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી માહોલ જામ્યો છે અને હજુ બે દિવસ વધુ વરસાદ થઈ શકે એમ હોય વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ ઉપર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.