ETV Bharat / state

Humsafar Express Train Fire: વલસાડથી સુરત તરફ જતી હમસફર સુપરફાસ્ટ ટ્રેનમાં લાગી ભીષણ આગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2023, 4:28 PM IST

Updated : Sep 23, 2023, 6:55 PM IST

વલસાડથી સુરત જતી તરફ જતી હમસફર સુપરફાસ્ટ ટ્રેનમાં વલસાડ સ્ટેશન નજીક આગની ઘટના બની હતી. અચાનક બે ડબ્બામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેનમાં સવાર યાત્રીઓને સલામત નીચે ઉતારાયા હતા. આગની ઘટનાને પરિણામે રેલવે વિભાગ દોડતું થયું હતું.

Humsafar Express Train Fire
Humsafar Express Train Fire
હમસફર સુપરફાસ્ટ ટ્રેનમાં વલસાડ સ્ટેશન નજીક આગ

વલસાડ: વલસાડથી સુરત જતી તરફ જતી હમસફર ટ્રેનમાં વલસાડ સ્ટેશન નજીક આગની ઘટના બની હતી. અચાનક બે ડબ્બામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આરપીએફ, જીઆરપીએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

મુસાફરો સલામત: વલસાડના છીપાવાડ વિસ્તાર નજીકની આગની ઘટના બની હતી. ટ્રેન શ્રીગંગાનાગરથી તિરુચિરાપલ્લી રૂટની હતી અને જ્યારે તે વલસાડથી સુરત જઇ રહી હતી. તે દરમિયાન અચાનક ટ્રેનમાં આગ લાગી હતી. આગ ટ્રેનના એન્જિનમાં લાગી હતી. જ્યારે ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. આગની ઘટનાને પગલે ભારે નાસભાગ મચી ગઇ હતી. ટ્રેનમાં સવાર યાત્રીઓને સલામત નીચે ઉતારાયા હતા.

દૂર દૂર સુધી ધુમાડા દેખાયા
દૂર દૂર સુધી ધુમાડા દેખાયા

જાનહાનિની કોઈ ઘટના નહિ: જ્યારે સમગ્ર ઘટના અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવતાં રેલ વિભાગ દોડતું હતું અને ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ટ્રેનમાં આગ કયા કારણોસર લાગી? તે અંગે હાલ કોઇ જાણકારી સામે આવી નથી. આગની ઘટનાને પરિણામે રેલવે વિભાગ દોડતું થયું હતું. જે કોચ અને ટ્રેનના ભાગમાં આગ લાગી હતી તેને અન્ય કોચોને છુટા કરાયા છે. જો કે જાનહાનિની કોઈ ઘટના સામે આવી નથી.

હમસફર સુપરફાસ્ટ ટ્રેનમાં વલસાડ સ્ટેશન નજીક આગની ઘટના
હમસફર સુપરફાસ્ટ ટ્રેનમાં વલસાડ સ્ટેશન નજીક આગની ઘટના

70 મુસાફરોને હેમખેમ ઉતારી લેવાયા: જે ડબ્બામાં આગની ઘટના બની હતી. તેમાં કુલ 70 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોને હેમખેમ ઉતારી લેવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરોને સ્ટેશન ઉપર પહોંચતા કરી લાગેલી આગના ડબ્બાઓ છુટા કરીને અન્ય ડબ્બાઓ જોડીને ટ્રેન ફરીથી શ્રી ગંગા નગર માટે રવાના કરવામાં આવી હતી.

  1. Uttarakhand Train Fire: ટ્રેનમાં આગની જાણ થતાં મુસાફરોમાં નાસભાગ, નદીના પુલ પર ઉભી રહેલી ટ્રેનમાંથી લોકો ભાગવા લાગ્યા
  2. Botad Railway Station : ધ્રાંગધ્રા બોટાદ ડેમુ ટ્રેનના 3 ડબ્બા બળીને ખાખ, આગ લાગવા પાછળનું કારણ અકબંધ

હમસફર સુપરફાસ્ટ ટ્રેનમાં વલસાડ સ્ટેશન નજીક આગ

વલસાડ: વલસાડથી સુરત જતી તરફ જતી હમસફર ટ્રેનમાં વલસાડ સ્ટેશન નજીક આગની ઘટના બની હતી. અચાનક બે ડબ્બામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આરપીએફ, જીઆરપીએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

મુસાફરો સલામત: વલસાડના છીપાવાડ વિસ્તાર નજીકની આગની ઘટના બની હતી. ટ્રેન શ્રીગંગાનાગરથી તિરુચિરાપલ્લી રૂટની હતી અને જ્યારે તે વલસાડથી સુરત જઇ રહી હતી. તે દરમિયાન અચાનક ટ્રેનમાં આગ લાગી હતી. આગ ટ્રેનના એન્જિનમાં લાગી હતી. જ્યારે ટ્રેનનો એક ડબ્બો અચાનક આગની ઝપેટમાં આવી ગયો હતો. આગની ઘટનાને પગલે ભારે નાસભાગ મચી ગઇ હતી. ટ્રેનમાં સવાર યાત્રીઓને સલામત નીચે ઉતારાયા હતા.

દૂર દૂર સુધી ધુમાડા દેખાયા
દૂર દૂર સુધી ધુમાડા દેખાયા

જાનહાનિની કોઈ ઘટના નહિ: જ્યારે સમગ્ર ઘટના અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવતાં રેલ વિભાગ દોડતું હતું અને ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ટ્રેનમાં આગ કયા કારણોસર લાગી? તે અંગે હાલ કોઇ જાણકારી સામે આવી નથી. આગની ઘટનાને પરિણામે રેલવે વિભાગ દોડતું થયું હતું. જે કોચ અને ટ્રેનના ભાગમાં આગ લાગી હતી તેને અન્ય કોચોને છુટા કરાયા છે. જો કે જાનહાનિની કોઈ ઘટના સામે આવી નથી.

હમસફર સુપરફાસ્ટ ટ્રેનમાં વલસાડ સ્ટેશન નજીક આગની ઘટના
હમસફર સુપરફાસ્ટ ટ્રેનમાં વલસાડ સ્ટેશન નજીક આગની ઘટના

70 મુસાફરોને હેમખેમ ઉતારી લેવાયા: જે ડબ્બામાં આગની ઘટના બની હતી. તેમાં કુલ 70 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોને હેમખેમ ઉતારી લેવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરોને સ્ટેશન ઉપર પહોંચતા કરી લાગેલી આગના ડબ્બાઓ છુટા કરીને અન્ય ડબ્બાઓ જોડીને ટ્રેન ફરીથી શ્રી ગંગા નગર માટે રવાના કરવામાં આવી હતી.

  1. Uttarakhand Train Fire: ટ્રેનમાં આગની જાણ થતાં મુસાફરોમાં નાસભાગ, નદીના પુલ પર ઉભી રહેલી ટ્રેનમાંથી લોકો ભાગવા લાગ્યા
  2. Botad Railway Station : ધ્રાંગધ્રા બોટાદ ડેમુ ટ્રેનના 3 ડબ્બા બળીને ખાખ, આગ લાગવા પાછળનું કારણ અકબંધ
Last Updated : Sep 23, 2023, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.