ETV Bharat / state

દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવનોના મોતથી પંથકમાં અરેરાટી

author img

By

Published : Mar 30, 2021, 10:59 PM IST

દમણગંગા નદી
દમણગંગા નદી

વાપીના ડુંગરા અને છરવાળા વિસ્તારમાં રહેતા ચાર યુવાનો પૈકી 2 યુવાનોના દમણગંગા નદીમાં ડૂબી જવાથી મોત થતા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. સોમવારે ધૂળેટી રમ્યા બાદ 4 યુવાનો દમંગગંગા નદીમાં સ્નાન કરવા ગયા હતાં. જેમા બે યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. ઘટના બાદ સ્થાનિક લોકો, ફાયર, પોલીસની ટીમે તેમની શોધખોળ હાથ ધરી હતી. અંતે મંગળવારે 24 કલાક બાદ બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી.

  • નદીમાં ડૂબેલા બન્ને યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા
  • સોમવારે સ્નાન કરવા ગયા હતા, જે દરમિયાન ડૂબી ગયા હતા
  • 24 કલાક બાદ બન્ને મિત્રોના મૃતદેહ શોધી કાઢ્યા

વલસાડ : વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીમાં ડૂબી ગયેલા 2 યુવાનોના મૃતદેહને મંગળવારે બહાર કાઢવામાં આવ્યા હતા. બન્ને યુવાનોના મૃત્યુ બાદ તેમના પરિવારમાં શોકની કાલીમાં છવાઈ હતી. મૃતકો ધુળેટીના પર્વે દમણગંગા નદીમાં સ્નાન પડ્યા હતાં. જેમાં 2 યુવાનોને તરતા નહીં આવડતા ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.

આ પણ વાંચો - બનાસકાંઠાઃ પીકનીક માટે આવેલા પાલનપુરના 2 પિતરાઈ ભાઈઓના ચેક ડેમમાં ડૂબી જવાથી મોત

મોટા ભાઈ શ્રવણ સાથે દમણગંગા નદીમાં સ્નાન ગયા હતા

સમગ્ર ઘટના અંગે ડુંગરા પોલીસમાંથી મળેલી વિગતો મુજબ ડુંગરાના એવન્યુ બિલ્ડિંગમાં રહેતા સૂરજ અને દિલીપ તેમના અન્ય મિત્રો, મોટા ભાઈ શ્રવણ સાથે દમણગંગા નદીમાં સ્નાન ગયા હતા. ધૂળેટીનું પર્વ હોય રજાનો દિવસ હતો. એટલે તમામ મિત્રો નદીમાં સ્નાન કરવા ગયા હતા. જેમાં 2 મિત્રોને તરતા આવડતું હોય બાકીના મિત્રો નદીના ઊંડા પાણીમાં તણાયા હતા. જેમની બૂમો સાંભળી સ્થાનિક લોકોએ યુવકોને બચાવી લેવા પ્રયાસ હાથ ધર્યા હતા.

દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવનોના મોતથી પંથકમાં અરેરાટી

આ પણ વાંચો - કડીની કેનાલમાં સ્નાન કરતા 4 યુવકો ડૂબ્યા, 1નું મોત, 3નો બચાવ

સ્થાનિક લોકો અને ચંદ્રપુરના તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યા

સૂરજ દિલીપ પ્રજાપતિ અને દિલીપ રામાનંદ પ્રસાદનો કોઈ પત્તો નહીં લાગતા ફાયર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે મોડી રાત સુધી બન્ને યુવકોની શોધખોળ હાથ ધરી હતી. જે બાદ મંગળવારે વહેલી સવારે સૂરજનો મૃતદેહ પાણીમાં તરતો દેખાતા સ્થાનિક લોકોએ તેને બહાર કાઢી ફાયર અને પોલીસને જાણ કરી હતી. તો મોડી સાંજે 4:00 કલાકે ફાયર વિભાગે દિલીપના મૃતદેહને પણ શોધી કાઢ્યો હતો.

આ પણ વાંચો - દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવકોમાંથી એકનો મૃતદેહ મળ્યો

મૃતક યુવાનોના પરિવારમાં માતમ

આ ઘટનામાં ચંદ્રપુરના તરવૈયાઓને પણ બોલાવવામાં આવ્યા હોય તરવૈયાઓએ અથાગ મહેનત કરી મૃતદેહને બહાર કાઢ્યો હતો, ત્યારે યુવાનોના પરિવારમાં શોકની કાલીમાં છવાઈ હતી. અરેરાટીજનક ઘટના અંગે ડુંગરા પોલીસમાં જાણવા જોગ ફરિયાદ કરવામાં આવી હોવાથી પોલીસે હાલ આકસ્મિક ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - ભરૂચ: નર્મદામાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા, એકનો બચાવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.