ETV Bharat / state

Vadodara News: અપક્ષ MLAના માણસે BJPના નેતાને માર્યો લાફો, જાનથી મારી નાખવાની આપી ધમકી

author img

By

Published : Apr 2, 2023, 4:33 PM IST

વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાના મહિનાઓ વીતી ગયા. પરંતુ સ્થાનિક કક્ષાએ ચૂંટણીઓમાં થયેલી અદાલતો હજી પણ પૂર્ણ થઈ નથી. ત્યારે વડોદરાના વાઘોડિયાના અપક્ષ ધારાસભ્યના માણસે જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન અને ભાજપના નેતા નિલેશ પુરાણીને લાફો ઝીંકીને ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Vadodara News:
Vadodara News:

વડોદરા: વાઘોડિયાના અપક્ષ ધારાસભ્યના માણસે વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન અને ભાજપના નેતા નિલેશ પુરાણીને લાફો માર્યો હતો. ઉપરાંત બિભત્સ ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા.આ મામલે નિલેશ પુરાણીની ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જાનથી મારી નાખવાની આપી ધમકી: જિલ્લા પંચાયત સદસ્ય નિલેશ પુરાણીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે 1 એપ્રિલના રોજ સાંજે હું મારા અંગત કામથી બહાર નીકળ્યો હતો. તે વખતે ધનેશગીરી ગોસ્વામીનો મારા ઉપર ફોન આવ્યો હતો અને ફોન ઉપર વાત કરતા ધારાસભ્યએ વાત કરી હતી અને મારી સાથે ઉશ્કેરાઇને વાત કરી હતી. ત્યારબાદ હું વાાઘોડિયા આવીને ધારાસભ્ય સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરતા તેઓ તળાવ ઉપર હોવાનું જણાવ્યું હતું.

MLAના માણસે માર્યો લાફો: જો કે સાંજે ૫:૪૫ કલાકની આસપાસ હું તળાવ ઉપર ગયો, ત્યારે તેઓ ત્યાં હાજર નહોતા. આ દરમિયાન ધારાસભ્યના ઓળખીતા કિરીટસિંહ જાડેજા કોઇ પણ કારણ વગર મારા ઉપર ઉશ્કેરાઇ ગયા હતા. મારા ડાબા ગાલા ઉપર તમાચો મારી દીધો હતો. તેઓએ બિભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આરોપી સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: Manish Doshi: વિવિધ વિભાગોમાં ખાલી જગ્યા પર ભરતી ન થતાં મનીષ દોશીએ સરકાર પર કર્યા પ્રહાર

આરોપી સામે ફરિયાદ: નિલેશ પુરાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે વાઘોડિયા ગામમાં આવેલા વાઘનાથ મહાદેવ તળાવનું બ્યુટિફિકેશનનું કામ ઓનલાઇન ટેન્ડર થઇને ડીઝાઇનિંગ અને એસ્ટીમેશન લેવલે છે. આ કામ કરવા બાબતે ધારાસભ્ય, સાંસદ, ડીડીઓ અને કલેક્ટરને આ અંગેની સાચી હકીકત અંગે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્યને રૂબરુ મળીને રજૂઆત કરવા માટે પ્રયત્ન કર્યો હતો. છતાં તેઓ રૂબરુ મળ્યા નહોતા. વાઘોડિયા ગામના નાગરિક ન હોવા છતાં મારી સાથે આવું વર્તન કર્યું હતું. જેથી આ મામલે તપાસ કરવા માટે મેં પોલીસ ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: UNA Crime: ભડકાઉ ભાષણ આપવા બદલ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ, ધરપકડના એંધાણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.