વડોદરામાં શરુ થયો 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમ

author img

By

Published : Sep 15, 2022, 4:05 PM IST

63/64 characters વડોદરામાં શરુ થયો 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમ

ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓને રમતગમત પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન મળે(36th National Games) તથા વધુ જાગૃતિ કેળવાય તેવા હેતુથી વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે એમ. એસ. યુનિવર્સિટી પેવેલિયન ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો.(Public awareness program under 36th National Games started in Vadodara)

વડોદરા :ગુજરાતમાં પહેલીવાર 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે(36th National Games) ત્યારે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓને રમતગમત પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન મળે તથા વધુ જાગૃતિ કેળવાય તેવા હેતુથી વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે એમ. એસ. યુનિવર્સિટી પેવેલિયન ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકારના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. જેમાં કાર્યક્રની શરૂઆત દીપ પ્રગટ્ય કરી કરવામાં આવ્યો હતો. (Public awareness program under 36th National Games started in Vadodara)

63/64 characters વડોદરામાં શરુ થયો 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમ

ખેલાડીઓનું ટ્રોફી આપી સન્માન: વિશ્વી વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે યોજાયેલ આ સમારંભમાં ની શરૂઆત કરવામાં આવી હતી. આ નેશનલ્સ ગેમ્સમાં કુલ 36 ગેમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે વડોદરામાં જીન્માસ્ટિક અને હેન્ડબોલ આ બે રમતો વડોદરા ખાતે યોજાઈ રહી છે. સાથે ખેલ મહાકુંભમાં ટોપ રહેલ તમામ ખેલાડીઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના લોકો 36મી નેશનલ ગેમ્સ તથા થીમ 'સેલિબ્રિટીંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ' નું મહત્વ સમજે તેમજ ખેલદિલીની ભાવના જાગે તેવા આશયથી ગુજરાત સરકારના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના વરદ હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, મેયર કેયુર રોકડીયા ,ડે. મેયર નંદા જોશી, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ તથા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, કલેકટર અતુલ ગોર અને એમ. એસ. યુનિવર્સિટીના કુલપતિની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

રમતમાં રાજકારણ ન હોઈ શકે: 36માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવના ભાગરૂપે આયોજીત કાર્યક્રમમાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજકારણમાં રમત હોઈ શકે પણ રમતમાં રાજકારણ ન હોઈ શકે. વડાપ્રધાન ના શબ્દો રમશે ગુજરાત ખેલશે ગુજરાતમાં આ વર્ષે 55 લાખ જેટલા વિશાળ સંખ્યામાં નામ આવ્યા છે. સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રીની પહેલ આજે ખૂબ આગળ વધાર્યા છે. રમતગમત માણસને જીવંત રાખે છે તેથી રમતમાં ભાગ લેવો જોઈએ અને ખૂબ આગળ વધે તેવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.