ETV Bharat / state

વાઘોડિયાની કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાતા બાળકોને હાલાકી

author img

By

Published : Jul 25, 2022, 3:22 PM IST

વાઘોડિયાની કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાતા બાળકોને હાલાકી
વાઘોડિયાની કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાતા બાળકોને હાલાકી

વડોદરામાં વાઘોડિયા સ્થિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં (Kavi Premanand Primary School )સામન્ય વરસાદમાં પાણી ભરાતા બાળકો અને શિક્ષકોને ભારે હાલાકી પડી રહી છે. શાળામાં ઘૂંટણસમા પાણી ભરાતા બાળકોનો છાતી સુધી પાણી આવે તેવિ સ્થિતિમાં બાળકોને શાળામાં પ્રવેશ કરવો પડી રહ્યો છે.

વડોદરા: શહેરમાં પડેલા વરસાદના પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વાઘોડિયા રોડ સ્થિત કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં હાલમાં સામાન્ય વરસાદમાં ઘૂંટણ સમા પાણી(Kavi Premanand Primary School flooded ) ભરાયેલા છે. આ પરિસ્થિતિમાં શાળામાં આવતા બાળકો એમના છાતી સુધી પાણી આવે એવી પરિસ્થિતિમાં શાળામાં પ્રવેશ કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં (Rain in Vadodara)જો કોઈ બાળકને કોઈ જાનવર કરડે કે અન્ય કોઈ પ્રકારે એ બાળકને ઇજા પહોંચે એ બાળકના જીવ સામે જોખમ ઊભું થાય એવી પરિસ્થિતિ છે.

શાળામાં ઘૂંટણસમા પાણી

શાળામાં ઘૂંટણસમાં પાણી - શાળાનું મકાન તમામ અધ્યતન સુવિધાઓથી (Vadodara Kavi Premanand Primary School )સજ્જ છે. પણ શાળાના મેદાનમાં આસપાસના વિસ્તારનું પાણી ભરાય છે અને આને કારણે શાળામાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ બને છે. કોરોના કાળમાં બે વર્ષ સુધી શાળાઓ બંધ રહી છે અને હવે શાળામાં આવતા બાળકોને નિરાશ થઈને ફરી ઘરે પાછું જવું પડે છે. આવા સંજોગોમાં બાળકોના શિક્ષણનું નુકસાન થઈ રહ્યું છે અને પાલિકા આ સમસ્યા તરફ સદંતર દુર્લક્ષ કરી રહી છે.

આ પણ વાંચોઃ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, અનેક વિસ્તારો થયા પાણી પાણી

રાજ્યમાં શાળા પ્રવેશ જેવા ઉત્સવ - વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરી રહ્યા છે. ભણે ગુજરાત જેવા અભ્યાનો ચલાવવામાં આવી રહ્યા છે. પ્રવેશ ઉત્સવ જેવા મસ્ત મોટા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે. છતાં પણ શિક્ષણની જે પરિસ્થિતિ છે એમાં કયા પ્રકારે ગુજરાતનું ભવિષ્ય શિક્ષણ મેળવી શકેએ મોટો પ્રશ્ન ઉભો થાય છે. વિકાસના દાવાઓ વચ્ચે આ વિકાસ જે મૃતપ્રાય સ્થિતિમાં આવી ગયો છે અને હવે માત્ર વિકાસની અંતેષ્ઠી કરવાની બાકી રહી છે.

આ પણ વાંચોઃ વાહ... મગરનું બચ્ચું રસ્તામાં ગાયમાતાના દર્શન કરી વધ્યું આગળ

પાણી ભરાવાને કારણે વાલીઓમાં રોષ - શાળામાં પાણી ભરાવાના કારણે બાળકોને મૂકવા આવતા વાલીઓમાં ભારે રોષ છે. બાળકોનું ભવિષ્ય કઈ રીતે યોગ્ય દિશામાં આગળ વધેએ મોટી સમસ્યા છે. વડોદરા મહાનગરપાલિકાએ આ બાબતે વિકાસના દાવાઓ છોડીને હકીકતમાં જે સમસ્યાઓ સામે ઊભી છે તે સમસ્યાઓનું શું સમાધાન લાવી શકાય તે બાબતે વિચારવું જોઈએ તેવા આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.