ETV Bharat / state

Save birds : પક્ષીઓને પતંગની ઘાતક દોરીથી બચાવવા જીવદયા પ્રેમીઓનું જુનાગઢમાં નવું બચાવ અભિયાન

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 4:14 PM IST

Save birds : પક્ષીઓને પતંગની ઘાતક દોરીથી બચાવવા જીવદયા પ્રેમીઓનું જુનાગઢમાં નવું બચાવ અભિયાન
Save birds : પક્ષીઓને પતંગની ઘાતક દોરીથી બચાવવા જીવદયા પ્રેમીઓનું જુનાગઢમાં નવું બચાવ અભિયાન

મકરસંક્રાંતિના આગામી ત્રણ દિવસ પક્ષીઓ માટે ખૂબ જ ઘાતક બનતા હોય છે. કાતિલ પતંગની દોરીથી પક્ષીઓના ગળા અને પાંખ કપાઈ જવાના ખૂબ જ દુઃખદ પ્રસંગો પણ બહાર આવે છે. આવા સમયે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને 40 ફૂટ ઊંચાઈથી રેસ્ક્યુ કરવા માટે જીવ દયા પ્રેમી દ્વારા જુનાગઢમાં નવતર અભિયાન શરૂ થયું છે.

40 ફૂટ ઊંચાઈથી રેસ્ક્યુ થઇ શકશે

જુનાગઢ : મકરસંક્રાંતિના તહેવારને લીધે આગામી ત્રણ દિવસો પક્ષીઓ માટે ખૂબ જ મુશ્કેલ બનતા હોય છે પાછલા વર્ષોમાં અનેક પક્ષીઓ પતંગની ઘાતક દોરીને કારણે ગળા કપાઈ જવાથી મોતને ભેટે છે. તો કેટલાક હતભાગી પક્ષીઓ પતંગની ઘાતક દોરીથી આજીવન ઉડાન ભરી શકતા નથી. મકરસંક્રાંતિના આ ત્રણ ચાર દિવસો દરમિયાન જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓને વિશેષ રેસ્ક્યુ અને પતંગની દોરીથી થયેલી ઇજાને સારવાર મળે તે માટે ત્રણ દિવસ સુધી સતત કેમ્પ લગાવતા હોય છે. જેને કારણે ઘણા પક્ષીઓ મોતને ભેટતા બચ્યા છે. ત્યારે જુનાગઢમાં આ વર્ષે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓના જીવોને બચાવવા માટે નવતર અભિયાન પણ શરૂ થવા જઈ રહ્યું છે. જેમાં પતંગની દોરીમાં ફસાયેલા પક્ષીને 40 ફૂટ ઊંચાઈ પરથી પણ સફળતાપૂર્વક ગણતરીની મિનિટોમાં રેસ્ક્યુ કરી શકાય છે.

પુનાથી મંગાવાઈ ખાસ સ્ટીક : જુનાગઢની જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ પુનાથી કાર્બન ફાઇબરમાંથી બનેલી ખાસ રેસકૃયુ સ્ટીક આ વખતે મંગાવવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારે સ્ટીકથી પ્રથમ વખત પક્ષીઓના રેસ્ક્યુ થશે. 40 ફૂટની ઊંચાઈ સુધી કોઈપણ જગ્યા પર જઈ શકતી આ સ્ટીકથી ગણતરીની સેકન્ડોમાં જ પક્ષીને પતંગની દોરીમાંથી મુક્ત કરાવી શકાય છે. વધુમાં એવી જગ્યા પર કે જ્યાં કોઈ પણ વ્યક્તિ કે રેસ્ક્યુ ટીમનુ પહોંચવું શક્ય નથી, આવી જગ્યા પર પણ આ રેસ્ક્યુ સ્ટિક ખૂબ જ સફળતાપૂર્વક કામ કરીને પક્ષીઓને ખૂબ ઓછી ઇજા થાય અને સમય રહેતા તેનું રેસ્ક્યુ કરવામાં આવે તે પ્રકારે આ રેસ્કયુ સ્ટીક કામ કરશે.

જીવદયા ટ્રસ્ટે આપી વિગતો : પાછલા ઘણા વર્ષોથી જૂનાગઢમાં જીવદયા ટ્રસ્ટ દ્વારા અબોલ પશુ અને પક્ષીઓની સેવા બિલકુલ વિના મૂલ્ય કરવામાં આવી રહી છે જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉતરાયણના દિવસો દરમિયાન ત્રણ દિવસ સુધી જુનાગઢ શહેરમાં વિવિધ સ્થળો પર કેમ્પ લગાવીને ઘાયલ પક્ષીઓને સારવાર આપવાની સાથે પતંગની દોરીમાં કે ઝાડ પર ફસાયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ જીવદયા ટ્રસ્ટ કરી રહ્યું છે ત્યારે આ વખતે પ્રથમ વખત ખૂબ જ ઓછા સમયમાં અને સૌથી ઓછા માનવબળની જરૂર પડે તે પ્રકારે રેસ્ક્યુ માટેની સ્ટીક ખરીદવામાં આવી છે જેનો ઉપયોગ આવતીકાલથી વિધિવત શરૂ કરવામાં આવશે.

  1. Letter To Pakistan: રાજકોટના જીવદયા પ્રેમીએ ચીનમાં ગધેડા ન મોકલવા પાકિસ્તાનને લખ્યો પત્ર, જાણો શું જવાબ મળ્યો
  2. તહેવારોની મજા, અબોલ જીવોને સજા: જીવદયા ટ્રસ્ટ ચલાવાશે અભિયાન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.