ETV Bharat / state

માત્ર નામ બદલાયું છે નિશાન કમળનું જ છે: રાજેન્દ્ર ત્રિવેદી

author img

By

Published : Nov 11, 2022, 4:41 PM IST

માત્ર નામ બદલાયું છે નિશાન કમળનું જ છે: રાજેન્દ્ર ત્રિવેદી
માત્ર નામ બદલાયું છે નિશાન કમળનું જ છે: રાજેન્દ્ર ત્રિવેદી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Election 2022) જાહેરાત થતાની સાથે જ દરેક ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે અને ફોર્મ ભરી રહ્યા છે. વડોદરાની પાંચ (Vadodara assembly seat) બેઠક વધુ મહત્વની ગણી શકાય છે કેમકે છેલ્લા ધણા વર્ષોથી ત્યાં ભાજપની સરકાર આવેલી છે. આજે કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસે બાલકૃષ્ણ શુકલા અને રાજેન્દ્ર ત્રિવેદી સહિત કોર્પોરેટર અને કાર્યકર્તાઓ આ બેઠકને વધુ મારજીનથી કઈ રીતે જીતવી તેને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.

વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) જાહેર થતાં જ ઉમેદવારો પોત પોતાની દાવેદારી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વડોદરા શહેરની પાંચ વિધાનસભા (Vadodara assembly seat) બેઠક પૈકી રાવપુરા વિધાનસભા બેઠક ખુબજ મહત્વની સાબિત થઈ છે. કારણ કે આ બેઠક પર સતત ભાજપ ભગવો લહેરાઈ રહ્યો છે. આ બેઠક પર પૂર્વ પ્રધાન યોગેશ પટેલ ચાર ટર્મ તો હાલના રાજ્ય સરકારમાં કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી બે ટર્મથી જીતતા આવ્યા છે. આ બેઠક પર ભાજપે પ્રધાનની ટિકિટ કાપી પૂર્વ સાંસદ અને પૂર્વ મેયર બાલકૃષ્ણ શુક્લને ટિકિટ આપી નવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો છે. ત્યારે આજે કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસે બાલકૃષ્ણ શુકલા અને રાજેન્દ્ર ત્રિવેદી સહિત કોર્પોરેટર અને કાર્યકર્તાઓ આ બેઠકને વધુ મારજીનથી કઈ રીતે જીતવી તેને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે.

માત્ર નામ બદલાયું છે નિશાન કમળનું જ છે: રાજેન્દ્ર ત્રિવેદી

નામ બદલાયું નિશાન એક આ અંગે રાજ્ય સરકારના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઉમેદવાર નવા છે. પણ પાર્ટીના 40 વર્ષ જુના કાર્યકર્તા છે. પાર્ટીમાં વ્યવસ્થાના ભાગ રૂપે એક જવાબદારી હોય છે. તેના ભાગ રૂપે હોવી બાલકૃષ્ણ શુક્લને સોંપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા રાષ્ટ્રીય નીતિથી ચાલતી પાર્ટી છે. ગુજરાતમાં પ્રથમ વાર કાર્યકર્તાઓની બેઠક આજે મારી ઓફિસે મળી રહી છે. તમામ કાર્યકર્તાઓ એક સાથે મળી સમગ્ર વડોદરાની અંદર સૌથી વધુ મતોથી જીત મળે તે પ્રકારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

સ્પીકર તરીકેની જવાબદારી વધુમાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે ઉમેદવાર પોતે એમબીએ થયેલા, પૂર્વ સાંસદ, પૂર્વ મેયર જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જગ્યા ખાલી કરી અહીંથી ચૂંટાઈ ને ગયા હતા. સાથે પાર્ટીએ મને જેટલી તક આપી તે બદલ તમારો આભાર માનું છું. અને સાથે મધ્ય ગુજરાતમાં પ્રથમ વાર સ્પીકર તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી હતી. સાથે આવનાર ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લને શુભેચ્છા આપી કહું કે માત્ર નામ બદલાયું છે નિશાન એક છે. કમળ સૌથી વધુ માટે જીત મળે તેના ભરચક પ્રયાસો શરૂ કર્યા છે.

બેઠકની જવાબદારી આ અંગે પ્રતિક્રિયા આપતા રામપુરા વિધાનસભાના (Rampura Assembly) ઉમેદવાર બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે રાજેન્દ્ર ત્રિવેદી આજે પણ રાજ્ય સરકારમાં પ્રધાન છે. અને મને રાવપુરા વિધાનસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તેમ રાજેન્દ્ર ત્રિવેદીનું માર્ગદર્શન મળશે. પાર્ટી હંમેશા જવાબદારી આપી નવા કાર્યકતાઓને તકો આપતી હોય છે. આ તક મને રાજેન્દ્ર ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ આપવામાં આવી છે. ભાજપની રાષ્ટ્ર નીતિ છે. ભાજપ દ્વારા સતત અહીં ધારાસભ્ય અને સાંસદ ચૂંટતા આવ્યા છે. અને વડોદરા શહેરની તમમાં સીટો ખૂબ મોટા માર્જિનથી જીત મેળવીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.