વડોદરા ઝૂના સમ્રાટે આજે અંતિમ શ્વાસ લીધા, સારવાર દરમિયાન મોત

author img

By

Published : Sep 23, 2022, 11:05 PM IST

Etv Bharatવડોદરા ઝૂના સમ્રાટે આજે અંતિમ શ્વાસ લીધા

વડોદરાના પ્રાણી સંગ્રહાલયમાં (Vadodara Zoo) આવેલા સિંહ સમ્રાટનું મોત (Death of the Lion Emperor) થયું છે. 3 દિવસથી તબિયત લથડતા આણંદ ખસેડાયો હતો. આણંદમાં સારવાર દરમિયાન સમ્રાટનું મોત (Lion dies during treatment in Anand) નીપજ્યું હતું. સમ્રાટ સિંહનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેની અંતિમ વિધિ કરાઈ છે.

વડોદરા: શહેરમાં આવેલું પ્રાણી સંગ્રહાલય (Vadodara Zoo) કે જે સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહ અને સિંહણ રહે છે. જેનું નામ સમ્રાટ અને સમૃદ્વિ હતું. આ સિંહ-સિંહણના જોડામાંથી આજરોજ સમ્રાટ નામના સિંહનું (Death of the Lion Emperor) દુ:ખદ અવસાન થવા પામ્યું છે. જેને લઈને સમગ્ર પ્રાણી સંગ્રહાલયમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. 3 દિવસથી સિંહ સમ્રાટની તબિયત લથડતા તેને સારવાર અર્થે આણંદ (Singh dies during treatment in Anand) ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.

પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેની અંતિમવિધિ: વડોદરાના પ્રાણી સંગ્રહાલયને આ સિંહ અને સિંહણનું જોડું મળ્યું હતું. જ્યારે સમ્રાટ સિંહ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યો ત્યારે જેટલો ખુશીનો માહોલ હતો. એટલો જ આજે પ્રાણી સંગ્રહાલયમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સરકારની ગાઈડલાઈન અનુસાર સમ્રાટ સિંહનું પોસ્ટમોર્ટમ(lion funeral after postmortem) કરાયા બાદ તેની અંતિમવિધિ પણ કરી દેવામાં આવી છે આ અંગે પ્રાણી સંગ્રહાલયના ક્યુરેટર દ્વારા જણાવવામાં આવ્યું કે, સમ્રાટ સિંહને 10 ડિસેમ્બર 2021માં સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવ્યા હતા.

સમ્રાટ અને સમૃદ્વિ: પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને સિંહણનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું. પ્રાણીસંગ્રહાલય દ્વારા સિંહ અને સિંહણને સમ્રાટ અને સમૃદ્વિ નામ આપવામાં આવ્યું હતું. સમ્રાટ સિંહ અહીંના કિપર સાથે પણ સારા સંબંધ બનાવી રહ્યો હતો. કિપરના કહ્યા, પ્રમાણે સમ્રાટ વર્તન પણ કરતા શીખી ગયો હતો. ખાધા-ખોરાકે પણ તે એકદમ ફિટ હતો. પરંતુ તેને થ્રોનિક કિડની ડિસીઝ હોવાને કારણે તેનું આજરોજ અવસાન થઈ જવા પામ્યું છે.
આણંદ ખસેડવામાં આવ્યો: ત્રણ-ચાર દિવસથી તેણે ખોરાક ન લેતા તેનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સીરીમ ક્રિઈટિઝમ જેવા તમામ કારણોસર તેના અતિશય રેન્જબાર વધી ગયા હતા. જેથી અમે ડોકટરનો સંપર્ક કરી સમ્રાટની તપાસ કરવા વિનંતી કરી હતી. ત્યારબાદ ડોકટરોની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ વધુ સારવાર માટે સમ્રાટને આણંદ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.