ETV Bharat / state

વાયદા પૂરો ન કરી શકું તો ગુજરાત પાછો નહીં આવુંઃ કેજરીવાલ

author img

By

Published : Nov 17, 2022, 11:20 AM IST

Updated : Nov 17, 2022, 12:41 PM IST

વાયદા પૂરો ન કરી શકું તો ગુજરાત પાછો નહીં આવુંઃ કેજરીવાલ
વાયદા પૂરો ન કરી શકું તો ગુજરાત પાછો નહીં આવુંઃ કેજરીવાલ

વલસાડમાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) સંયોજક અરવિંદ કેજરીવાલે રોડ શૉ (Arvind Kejriwal Delhi CM) યોજ્યો હતો. અહીં રામરોટી ચોકથી અંબે માતા મંદિર સુધી યોજાયેલા રોડ શૉ (Arvind Kejriwal Delhi CM Road Show in Valsad) દરમિયાન કેજરીવાલે વિજળી, શિક્ષણ, પાણી અને આરોગ્ય વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી હતી.

વલસાડ રાજ્યમાં ચૂંટણીનો (Gujarat Assembly Election 2022) માહોલ જામ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલનો (Arvind Kejriwal Delhi CM) રોડ શૉ આજે વલસાડ શહેરમાં રામરોટી ચોકથી અંબે માતા મંદિર સુધી આયોજિત કરાયો હતો. જતા રોડ શૉ (Arvind Kejriwal Delhi CM Road Show in Valsad) દરમિયાન તેમને વિજળી, શિક્ષણ અને પાણી આરોગ્ય ફ્રી આપશે તેવી જાહેરાત કરી હતી.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજૂ મરચામાં પ્રચાર માટે આવ્યા કેજરીવાલ દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ (Arvind Kejriwal Delhi CM) વલસાડ વિધાનસભા બેઠક (Valsad Assembly Seat) ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજૂ મરચાના વિધાનસભા ચૂંટણીના પ્રચાર રોડ શૉ માટે સાંજે 6 વાગ્યે પહોંચ્યા હતા, જેમાં જંગી જનમેદની વચ્ચે રોડ શૉ યોજાયો હતો.

રામરોટી ચોક પરથી શરૂ થયો રોડ શૉ

વલસાડના મુખ્ય બજાર એમ.જી રોડ ઉપરથી પસાર થયો રોડ શૉ દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે વલસાડ ખાતે રોડ શૉ યોજ્યો હતો. વલસાડ વિધાનસભા બેઠક (Valsad Assembly Seat) ઉપર ઉભેલા તેમના ઉમેદવારના પ્રચાર અર્થે તેઓ અહીં આવ્યા હતા અને વલસાડના મુખ્ય બજાર એમ. જી. રોડ ઉપરથી જંગી જનમેદની સાથે ખૂલ્લા વાહનમાં લોકોનું અભિવાદન ઝીલતા તેઓ રોડ શૉંમાં પસાર થયા હતા, જેને પગલે કેટલાક માર્ગો બંધ રહેતા અનેક લોકો અને વાહનચાલકો મૂશ્કેલીમાં મુકાયા હતા.

રામરોટી ચોક પરથી શરૂ થયો રોડ શૉ અરવિંદ કેજરીવાલનો રોડ શૉ વલસાડના રામરોટી ચોક ઉપરથી શરૂ થયો હતો, જ્યાં તેઓ સાંજે 6 કલાકની આસપાસ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ ખૂલ્લા વાહનમાં લોકોનું અભિવાદન ઝીલતા રામરોટી ચોકથી રોડ સોનું આયોજન થયું હતું. આમાં જંગી જનમેદની સાથે તેઓ અંબે માતાના મંદિર સુધી પહોંચ્યા હતા.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજૂ મરચામાં પ્રચાર માટે આવ્યા કેજરીવાલ
આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજૂ મરચામાં પ્રચાર માટે આવ્યા કેજરીવાલ

અરવિંદ કેજરીવાલના રોડ શોમાં 5 વિધાનસભાના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા આજે વલસાડ શહેરમાં આયોજિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની રોડ શોમાં (Arvind Kejriwal Delhi CM Road Show in Valsad) પાંચે વિધાનસભાના (Valsad Assembly Seat) આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પારડી વિધાનસભા બેઠક ઉપરથી કેતન પટેલ વલસાડ વિધાનસભા બેઠક ઉપરથી રાજુ મરચા (AAP Candidate Raju Marcha for Valsad Seat), ધરમપુર વિધાનસભા બેઠક ઉપરથી કમલેશ પટેલ (AAP Candidate Kamlesh Patel for Dharampur Seat), કપરાડા વિધાનસભા બેઠક ઉપરથી જયેન્દ્ર ગાંવીત (AAP Candidate Jayendra Gavit for Kaprada Seat), ઉમરગામ બેઠક ઉપરથી અશોક પટેલ (AAP Candidate Ashok Patel for Umargam Seat) હાજર રહ્યા હતા.

તમારા પરિવારનો સભ્ય બનીને આવ્યો છુ એક મોકો આપો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal Delhi CM) આજે રોડ શૉ દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આવી રહ્યો છું. લોકો ભાઈ દીકરો માને છે તો તમામ લોકોને કહું છું કે, હું તમારા પરિવારનો સભ્ય બનીને આવ્યો છું. તમારા પરિવારની જવાબદારી મારી છે. એક મોકો આપો જો વાયદા પુરા ન કરી શક્યો તો ફરી પાછો નહીં આવું. એવું કેજરીવાલે લોકોને જણાવ્યું હતું.

Last Updated :Nov 17, 2022, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.