ETV Bharat / state

મહીસાગરઃ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે શાકભાજી અને ફ્રૂટના વેપારીઓના RT-PCR ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

author img

By

Published : Aug 9, 2020, 6:40 PM IST

મહીસાગરઃ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે શાકભાજી-ફુ્ટના વેપારીઓના RT-PCR ટેસ્‍ટ  કરવામાં આવ્‍યા
મહીસાગરઃ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે શાકભાજી-ફુ્ટના વેપારીઓના RT-PCR ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

લુણાવાડા કોરોનાની મહામારીમાં આરોગ્‍યકર્મીઓ દ્વારા મુનપુર ગામના બજારમાં આવેલા પ્રોવિઝન સ્‍ટોર, શાકભાજી ફ્રૂટનાવેપારીઓ, વાહન રિપેરીંગ કરતી વ્‍યકિતઓ તેમજ પોસ્‍ટમેન મળી કુલ-22 વ્‍યકિતઓના RT-PCR સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા.

મહીસાગરઃ લુણાવાડા કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્યસ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદાકરી રહ્યા છે.

આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી કડાણા તાલુકાના લાયઝન અધિકારી અને નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી એસ.કે.પટેલના માર્ગદર્શન તથા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તાલુકા હેલ્‍થ ઓફિસર અને આરોગ્‍યની ટીમની રાહબરી હેઠળ આરોગ્‍યકર્મીઓ દ્વારા મુનપુર ગામના બજારમાં આવેલા પ્રોવિઝન સ્‍ટોર, શાકભાજી ફ્રુટનાવેપારીઓ, વાહન રીપેરીંગ કરતી વ્‍યકિતઓ તેમજ પોસ્‍ટમેન મળી કુલ-22 વ્‍યકિતઓના
RT-PCR સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા.

જે તમામના રીપોર્ટ નેગેટીવ આવતાં તમામને મેડીકલ ઓફિસર, સરપંચ જે.ડી.પટેલ અને ગામના આગેવાનો દ્વારા ગ્રીનકાર્ડ આપવામાં આવ્‍યા હતા. આ ટેસ્‍ટ દરમિયાન ગામના નાગરિકોમાં
ઉત્‍સાહ પણ જોવા મળ્યો હતો.

આજ રીતે પ્રાથમિક આરોગ્‍યકેન્‍દ્ર, વડાગામ ખાતે કેન્‍દ્રના મેડીકલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા
35 વેપારીઓના RT-PCR ટેસ્‍ટ લેવામાં આવ્‍યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટીવ આવતા આ તમામને ગ્રીનકાર્ડ આપવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત આરોગ્‍ય કર્મીઓ દ્વારા તમામને સોશિયલ ડિસ્‍ટન્‍સ, માસ્‍કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે તેમજ માસ્‍ક પહેર્યા વગર આવતા દર્દીઓ અને ગ્રાહકોને માલ ન આપવા તેમજ સોશિયલ ડિસ્‍ટન્‍સનું પાલન થાય તે જોવા જણાવાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.