ETV Bharat / state

રાજકોટમાં કોરોનાના 15 જેટલા દર્દીઓ એર એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ થયા

author img

By

Published : May 6, 2021, 9:43 PM IST

રાજકોટમાં કોરોનાના 15 જેટલા દર્દીઓ એર એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ થયા
રાજકોટમાં કોરોનાના 15 જેટલા દર્દીઓ એર એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ થયા

રાજકોટમાં સતત વધતી જતી કોરોના મહામારીને કારણે 15 દર્દીઓને સારવારની સુવિધાઓને અભાવે અન્ય જગ્યાઓ માં ખસેડવામાં આવ્યા છે. કોરોના દર્દીઓને વ્યવસ્થિત સારવાર મળે તે માટે સ્વજનો બેફામ રૂપિયા ખર્ચી રહ્યા છે.

  • રાજકોટમાં કોરોનાના 15 જેટલા દર્દીઓ એર એમ્બ્યુલન્સ મારફતે શિફ્ટ થયા
  • સારવાર અર્થે દર્દીઓને અન્ય જગ્યાઓ ખસેડાયા
  • રાજકોટની હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે ખૂટ્યા બેડ

રાજકોટઃ કોરોનાની મહામારીને કારણે રાજકોટની હોસ્પિટલમાં દર્દીઓને બેડ પણ નથી મળી રહ્યા એવામાં રાજકોટના 15 જેટલા કોરોનાના દર્દીઓમાં એપ્રિલ અને મેં મહિનામાં એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી અને ચેન્નઈ ખાતે સારવાર લેવા અર્થે શીફ્ટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં દર મહિને એવરેજ 4 દર્દીઓને એર એમ્બ્યુલન્સ મારફતે અન્ય શહેરોમાં શિફ્ટ કરવામાં આવતા હતા પરંતુ કોરોનાની મહામારી વધવાની સાથે જ એક જ મહિનામાં 15 જેટલા દર્દીઓને એર એમ્બ્યુલન્સ મારફતે અન્ય શહેરોમાં ખસેડવામાં આવ્યા છે.

ચેન્નઈ જવા માટે રૂ.22 લાખ અને દિલ્હીના રૂ.14 લાખ

કોરોના મહામારી વચ્ચે પણ લોકો પોતાના સ્વજનોને સારી સારવાર મળે તે માટે લાખ્ખો રૂપિયા ખર્ચી રહ્યા છે. ત્યારે રાજકોટથી એપ્રિલ અને મે માસમાં 9 કોરોનાના દર્દીઓ અને 6 નોન કોવિડ દર્દીઓને દિલ્હી અને ચેન્નઈ ખાતે એર લિફ્ટ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે ચેન્નઈ જવા માટે રૂ.22 લાખ અને દિલ્હી જવા માટે રૂ.14 લાખ ચૂકવવા પડે છે. ત્યારે કોરોના કાળ વચ્ચે આ એર એમ્બ્યુલન્સ પણ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.