ETV Bharat / state

ડોલવણ તાલુકાના આ ગામડાઓમાં છેલ્લા દોઢ મહિનાથી આવે છે ભૂકંપના આંચકા

author img

By

Published : Oct 31, 2019, 3:11 PM IST

ડોલવણ તાલુકામાં આવે છે ભૂકંપના આંચકા

તાપી: જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલા 16 જેટલા ગામડાઓમાં છેલ્લા દોઢ મહિનાથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. વારંવાર આવતા ભૂકંપના આંચકાને લઈને ગ્રામલોકો અજુગતું બનવાની આશંકા સાથે ડરના માહોલમાં જીવી રહ્યાં છે. રાત્રે ગ્રામલોકોનું ઊંઘવાનું પણ દુષ્કર બની ગયું છે. જેને લઇને સુરત ભૂસ્તર વિભાગે તાપી અને સુરત જિલ્લામાં જે ગામમાં ભૂકંપના આંચકા આવે છે તે તમામ ગામડાઓમાં તપાસ સાથે જાગૃતિના કાર્યક્રમોની શરૂઆત કરી છે.

તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં છેલ્લા દોઢ મહિનાથી અજીબોગરીબ ઘટના બની રહી છે. રોજ એક પછી એક ઉપરાછાપરી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. રાત્રીના સમયે માવઠા રૂપે વરસાદ આવે છે અને તે જ સમયે ભૂકંપના આંચકાઓ પણ આવી રહ્યા છે. ભૂકંપના આંચકાને કારણે 16 ગામના લોકોમાં ભયનો માહોલ ઘર કરી ગયો છે.

ડોલવણ તાલુકામાં આવે છે ભૂકંપના આંચકા

એક તરફ આ ગામોમાં આવતા ભૂકંપના આંચકાને લઈને પ્રજાજનોમાં એક ભયનો માહોલ છે. ત્યારે સુરત અને તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી અને મામલતદાર કચેરીના સંયુકત ઉપક્રમે અસરગ્રસ્ત ગામો એવા પાઠકવાડી, ઉમરવાવદુર, વરજાખણ, ગારપાણી, પદમડુંગરી, કાકડવા, પાટી, ડોલવણ, તકીઆંબા, કણધા, કરંજખેણ, પીઠદરા, બેસનીયા અને અંધારવાડીદુર માટે ત્રણ ક્લસ્ટર બનાવવામાં આવ્યાં છે. જે મુજબ પ્રથમ ક્લસ્ટર-ઉમરવાવદુર, બીજુ ક્લસ્ટર-કાકડવા, અને ત્રીજુ ક્લસ્ટર-કરંજખેડમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જિલ્લા પ્રોજેકટ અધિકારી અને મામલતદાર દ્વારા ગ્રામજનોને ભૂકંપ સામે સાવચેતી રાખવા અને કેવા પ્રકારના પગલાં લઈ શકાય તે અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું છે. ઉપરાંત અસરગ્રસ્ત ગામોમાં પોલીસ પેટ્રોલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

જિલ્લાના ડોલવણ તાલુકામાં વારંવાર ભૂકંપના આંચકા આવતા લોકો રાત્રીના સમયે શાંતિથી ઊંઘી પણ શકતા નથી. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ભૂકંપ સંશોધન વિભાગ સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી ભૂકંપ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિક, અને ટેકનીકલ મદદનીશ અધિકારીઓ પણ ડોલવણ તાલુકા ખાતે જનજાગૃતિ કાર્યકમમાં હાજર રહ્યા હતા.

ભૂકંપના આંચકા આવવા પર ઉંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે, ઉમરવાવદુર પંચાયત ખાતે સિસ્મોગ્રાફ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. જેથી અહીંથી ડેટા મેળવી તેનો અભ્યાસ કરીને ચોક્કસ માહિતી મેળવવામાં આવશે. આ વિસ્તારમાં ભૂકંપના આંચકા વારંવાર કેમ આવી રહ્યા છે? આ વિસ્તારના પેટાળમાં કોઈ મોટી ઉથલ પાથલ થઇ રહી છે કે નહિ? આવા અનેક સવાલો વહીવટીતંત્ર સામે ઉભા છે અને ગ્રામલોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

Intro:સુરત : તાપી જીલ્લાના ડોલવણ તાલુકામાં આવેલા 16 જેટલા ગામડાઓમાં છેલ્લા દોઢ મહિનાથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ત્યારે થોડી થોડી વારે અચાનક આવતા ભૂકંપના આંચકાને લઈને આ ગામોના પ્રજાજનો કઈક અજુગતું બનવાના આશંકા સાથે ડરના માહોલમાં જીવી રહ્યા છે ત્યારે રાત્રે તેઓને ઊંઘવાનું પણ દુષ્કર બની ગયું છે જો કે ભૂકંપના આંચકાઓ ઓછી તીવ્રતા થી આવતા હોવાથી હજુ સુધી કોઈ નુકશાન થયા ના અહેવાલ પ્રાપ્ત થયા નથી. સુરત ભૂસ્તર વિભાગે તાપી અને સુરત જિલ્લા માં જે જગ્યાઓ ઉપર ભૂકંપ ના આંચકા આવે છે તે જગ્યા અને તેના આજુબાજુ ના ગામડાઓમાં તપાસ સાથે જાગૃતિ ના કાર્યક્રમો ની શરૂઆત કરી છે...

Body:તાપી જીલ્લાના ડોલવણ તાલુકામાં છેલ્લા દોઢ મહિનાથી અજીબોગરીબ ઘટના બની રહી છે. રોજ એક પછી એક ઉપરાછાપરી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. રાત્રીના સમયે એક તો માવઠા રૂપે વરસાદ આવે છે ત્યારે ભૂકંપ ના આંચકાઓ પણ આવી રહ્યા છે ત્યારે ૧૬ ગામોના લોકોમાં ભય નો માહોલ વ્યાપી રહ્યો છે. બાળકો સ્કુલમાં હોય છે ત્યારે પણ ભૂકંપ બાળકોમાં ડર પેદા કરી રહ્યો છે.

એક તરફ આ ગામોમાં આવતા ભૂકંપના આંચકા ને લઈને પ્રજાજનોમાં એક ભય ની માહોલ છે ત્યારે સુરત અને તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી, મામલતદાર કચેરી, ડોલવણના સંયુકત ઉપક્રમે અસરગ્રસ્ત ગામો એવા પાઠકવાડી, ઉમરવાવદુર, વરજાખણ, ગારપાણી, પદમડુંગરી, કાકડવા, પાટી, ડોલવણ, તકીઆંબા, કણધા, કરંજખેણ, પીઠદરા, બેસનીયા અને અંધારવાડીદુર જેવા ગામોના ત્રણ ક્લસ્ટર બનાવાયા હતા. જે મુજબ પ્રથમ ક્લસ્ટર-ઉમરવાવદુર, બીજુ ક્લસ્ટર-કાકડવા, અને ત્રીજુ ક્લસ્ટર-કરંજખેડ ખાતે, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંન્ટના જિલ્લા પ્રોજેકટ અધિકારી અને મામલતદાર ડોલવણ કુ. દર્ષ્ટી શુકલા દ્વારા, ગ્રામજનોને ભૂકંપ સામે સાવચેતી રાખવા, અને કયા કયા પગલાં લઇ શકાય તે અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતુ. સાથે અસરગ્રસ્ત ગામોમાં પોલીસ પેટ્રોલીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Conclusion:જીલ્લાના ડોલવણ તાલુકામાં વારંવાર ધરા ધ્રુજતા પ્રજાજનો રાત્રીના સમયે શાંતિ થી ઊંઘી શકતા પણ નથી ત્યારે જીલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ભૂકંપ સંશોધન વિભાગ સાથે સંપર્ક કર્યો છે અને જેથી ભૂકંપ સંશોધન કેંદ્રના વૈજ્ઞાનિક, અને ટેકનીકલ મદદનીશ અધિકારીઓ પણ ડોલવણ તાલુકા ખાતેના આ જનજાગૃતિ કાર્યકમમાં હાજર રહ્યા હતા. તથા આ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે જેને લઇને વધુ ઉડાંણપુર્વક અભ્યાસ કરવા માટે, ઉમરવાવદુર પંચાયત ખાતે સિસ્મોગ્રાફ સિસ્ટમ પણ સ્થાપિત કરવામાં આવી છે. જેથી અહીથી ડેટા મેળવી, તેનો અભ્યાસ કરી ચોક્કસ માહિતી મેળવવામાં આવશે. ત્યારે હાલ તો આ વિસ્તારમાં ભૂકંપના આંચકા કેમ આવી રહ્યા છે..? કેમ વારંવાર ધરા ધ્રુજી રહી છે....? આ વિસ્તારમાં પેટાળમાં તો કોઈ મોટી ઉથલ પાથલ થઇ નથી રહી છે કે નહિ..? આવા અનેક સવાલો વહીવટીતંત્ર સામે ઉભા છે અને પ્રજાજનોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

બાઈટ : દ્રષ્ટિ શુક્લ (મામલાતદાર)
બાઈટ : હસમુખ ભાઈ (ગ્રામીણ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.