ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત, 3નાં મોત

author img

By

Published : Aug 20, 2020, 11:37 PM IST

ETV bharat
સુરેન્દ્રનગર મચ્છર પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ૩નાં મોત

સુરેન્દ્રનગર અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 2 માસના બાળક સહિત ત્રણના મોત થયાં છે. આ ઉપરાંત 3 ઈજાગ્રસ્ત થયા છે. જેથી ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર: અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા પ્રવિણ ડોડીયા અને રમેશ ડોડીયા ત્રણ મહિલાઓ સાથે માંવઢવાણ રામાપીરના મંદિરે દર્શન માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ ટ્રક ચાલકે કાબૂ આ અકસ્માત સર્જાયો હતો. જેમાં હરેશ ડોડીયા અને બે માસના બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે પિન્કીબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.