સુરેન્દ્રનગરમાં રાજપૂત મહિલા સંધનું ત્રીજુ અધિવેશન યોજાયુ, 13 જીલ્લાની મહિલાઓ જોડાઈ

author img

By

Published : Jun 28, 2019, 11:20 AM IST

sdgg ()

સુરેન્દ્રનગરઃ અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગર ખાતે ત્રીજા રાજપૂત મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન કરાવામાં આવ્યું છે. આ અધિવેશનમાં ૧૩ જિલ્લાની મહિલા કમિટીઓ પણ જોડાઈ હતી,અને લગભગ ત્રણ હજાર રજપૂતાણીઓ આ અધિવેશનમાં વિવિધ સામાજીક મુદાઓ અંગે ચર્ચા કરી હતી.

આ કાર્યક્રમમાં ખાસ કરીને જે કોર્ટ કેસ છે,તેનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો આ સાથે સગાઈ તૂટવાના, છૂટાછેડાના રીમેરેજના તથા આંતર જ્ઞાતિય લગ્નો જેવા સામાજીક મુદાઓને આવરી ‘સમાધાન પંચ’ની રચના કરવામાં આવી હતી. રાજપૂતાણીઓનાં આ અધિવેશનમાં મુખ્ય અતિથિ હીઝ હાઈનેસ રાસેશ્વરી રાજલક્ષ્મીદેવી ઓફ જેસલમેર (રાજસ્થાન) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ અંગે સમારંભના અધ્યક્ષ દશરથબા મહેન્દ્રસિંહજી પરમારે જણાવ્યું હતુ કે,રાજપૂત સમાજની આન-બાન અને શાન જાળવવાવાળા સંસ્કારો અને સંસ્કૃતિનુ જતન કરવા રાજપૂતાણીએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. તો રાજપૂતાણીઓનાં સિધ્ધાંતો, વાણી, વર્તન અને પહેરવેશના કારણે આમસમાજમાં એક વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે. તો સમય સાથે તાલમિલાવી સમાજની બહેનોએ પણ શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે પ્રગતિ કરીને વિકાસ સાધ્યો છે. જો કે આ વિકાસ સાથે સામાજીક વિનાશ ન આવે તે માટે ચર્ચા કરી નિર્ણયો લઈ અને ચોકકસ રણનીતિ નકકી કરવાનો આશય અને ધ્યેય સાથે રાજપૂતાણી મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવેલું હતું.

રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગર ખાતે ત્રીજા રાજપૂત મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન

રાજપૂત સંસ્કૃતિને સંસ્કારમાં રાજપૂતાણીનો બહુ મોટો ફાળો છે. રાજપૂતાણી થકી રાજપૂત સંસ્કૃતિ ટકી રહી છે. આ તકે શારદાબા જાડેજા જયશ્રીબા જાડેજા, હીનાબા બી.ગોહિલ, હંસીનીબા જાડેજા, સીતાબા જેઠવા, કિર્તીબા ઝાલા, ઈલાબા જાડેજા તથા ગીતાબા ચુડાસમાનો આ અધિવેશમાં સિંહ ફાળો રહયો હતો.

અહીં મહત્વનું છે કે આ અધિવેશનમાં 25 વર્ષથી સંયુક્ત કુટુંબમાં રહી કુટુંબ તેમજ પરિવારની નાની મોટી જવાબદારી સંભાળનાર 11 રાજપૂતાણીઓનું નારીત્નથી સન્માન કરવામાં આવ્યુ હતુ.

SNR
DATE : 27/06/19
VIJAY BHATT 

અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ સુરેન્દ્રનગર ખાતે ત્રીજા રાજપૂત મહિલા અધિવેશનનું ભવ્ય આયોજન કરાવામાં આવ્યું છે. આ અધિવેશનમાં ૧૩ જિલ્લાની મહિલા કમિટીઓ પણ જોડાઈ હતી અને લગભગ ત્રણ હજાર રજપૂતાણીઓ આ અધિવેશનમાં વિવિધ સામાજીક મુદાઓ અંગે ચર્ચા કરી હતી આ ઉપરાંત ખાસ કરીને જે કોર્ટ કેસો છે તેનો પણ નિકાલ કરવાનો પ્રયાસ કરવા માં આવીયો હતો. આ સાથે સગાઈ તૂટવાના, છૂટાછેડાના રીમેરેજના તથા આંતર જ્ઞાતિય લગ્નો જેવા સામાજીક મુદાઓને આવરી ‘સમાધાન પંચ’ની રચના કરવામાં આવી હતી. રાજપૂતાણીઓનાં આ અધિવેશનમાં મુખ્ય અતિથિ હીઝ હાઈનેસ રાસેશ્ર્વરી રાજલક્ષ્મીદેવી ઓફ જેસલમેર (રાજસ્થાન) ખાસ ઉપસ્થિત રહા હતા. આ અંગે સમારંભના અધ્યક્ષ દશરથબા મહેન્દ્રસિંહજી પરમારે જણાવ્યું છે.
રાજપૂત સમાજની આન-બાન અને જ્ઞાન જાળવવાવાળા સંસ્કારો અને સંસ્કૃતિનુ જતન કરવા રાજપુતાણીએ અમૂલ્ય યોગદાન આપ્યું છે. રાજપૂતાણીઓનાં સિધ્ધાંતો વાણી વર્તન અને પહેરવેઝના કારણે આમસમાજનાં એક વિશિષ્ટ ઓળખ ઉભી કરી છે. સમય સાથે તાલમિલાવી સમાજના બહેનોએ પણ શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે પ્રગતિ કરી છે. અને વિકાસ સાધ્યો છે જોકે આ વિકાસ સાથે સામાજીક વિનાશ ન આવે તે માટે ચર્ચા કરવા ચર્ચા કરી નિર્ણયો લઈ તેના માટે ચોકકસ રણનીતિ નકકી કરવાનો આશય અને ધ્યેય સાથે રાજપૂતાણી મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવેલ હતું. રાજપુત સંસ્કૃતિને સંસ્કારમાં રાજપુતાણીનો બહુ મોટો ફાળો છે. રાજપુતાણી થકી રાજપૂત સંસ્કૃતિ ટકી રહી છે. આ તકે શારદાબા જાડેજા જયશ્રીબા જાડેજા, હીનાબા બી. ગોહિલ, હંસીનીબા જાડેજા, સીતાબા જેઠવા, કિર્તીબા ઝાલા, ઈલાબા જાડેજા તથા ગીતાબા ચુડાસમા નો આ અધિવેશમાં સિંહ ફાળો રહયો હતો મહત્વનું છે કે આ અધિવેશનમાં ૨૫ વર્ષથી સંયુકત કુટુંબમાં રહી કુટુંબ તેમજ પરિવારની નાની મોટી જવાબદારી સંભાળનાર ૧૧ રાજપુતાણીઓનું નારીત્નથી સન્માન કરવામાં આવ્યુ હતુ.....


બાઈટ.
 (1)હીઝ હાઈનેસ રાસેશ્ર્વરી રાજલક્ષ્મીદેવી ઓફ જેસલમેર (રાજસ્થાન)મુખ્ય અતિથિ

(2)દશરથબા મહેન્દ્રસિંહ પરમાર(ગુજરાત રાજપૂત મહિલા સંધ,અધ્યક્ષ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.