ETV Bharat / state

ચોટીલાના ભોજપરા ગામની સીમમાં લૂ લાગવાના કારણે 7 મોરના મોત

author img

By

Published : May 16, 2020, 9:41 AM IST

peacocks die due to heatstroke
મોરના મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમી પોતાની અંતિમ ચરણમાં જોવા મળી રહી છે. ત્યારે ચોટીલા તાલુકાના ભોજપરા ગામની સીમમાં લુુ લાગવાના કારણે 7 મોરના મોત થયા હતા.

સુરેન્દ્રનગર: ચોટીલાના ભોજપરા ગામની સીમમાં લૂ લાગવાના કારણે 7 મોરના મોત નિપજ્યા હતા.જે કારણે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. RFO એન. એમ. રોજાસરા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

peacocks die due to heatstroke
7 મોરના મોત

વન વિભાગ દ્વારા મૃતક મોરને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ચોટીલા જે જગ્યા પર મોરના મોત થયા છે, તે પથરાળ વિસ્તાર છે. પથરાળ વિસ્તારમાં સૂર્યનો તડકોના રિફ્લેક્શન થવાના કારણે ગરમી વધુ લાગે છે. તેમજ ગરમીની સાથે પવન પણ ખુબ જ હોવાથી લૂ લાગવાના કારણે ડિહાઈડ્રેશન થતા મોરના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં જંગલ વિસ્તાર ખુબ જ ઓછો છે, તેમજ જમીન પથરાળ અને સુકી છે. જે કારણે ઉનાળામાં ગરમી સખત પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.