ETV Bharat / state

વઢવાણ સ્વામિનારાયણ મંદિરની 1 લાખ પ્રદક્ષિણાનો મહિલાઓએ કર્યો સંકલ્પ

author img

By

Published : Jul 13, 2019, 1:59 PM IST

વઢવાણ સ્વામિનારાયણ મંદિરની 1 લાખ પ્રદક્ષિણાનો મહિલાઓએ કર્યો સંકલ્પ

સુરેન્દ્રનગર: જિલ્લામાં આવેલા વઢવાણ ખાતે સ્વામિનારાયણ મંદિર લોકોમાં અનોખું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ધરાવે છે. ત્યારે સૌપ્રથમ વખત આ મંદિરમાં મહિલા તેમજ ભક્તો દ્વારા પ્રદક્ષિણાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજે 2.25 લાખ જેટલી પ્રદક્ષિણા કરવામાં આવી હતી.

વઢવાણ ખાતે આવેલા વર્ષો જુના સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્રપ્રસાદ મહારાજની આજ્ઞાથી સ્વામિનારાયણ ભગવાન ભારત ભૂમિના કલ્યાણ અર્થે ઘરનો ત્યાગ કરી નીકળ્યા હતા. જેને 225 વર્ષ પૂર્ણ થતા ફક્ત મહિલાઓ ભક્તો દ્વારા રાધા-કૃષ્ણ, હરિકૃષ્ણદેવ વઢવાણ મંદિરની એક લાખ પ્રદક્ષિણા કરવાનો સંકલ્પ કર્યો હતો.

વઢવાણ સ્વામિનારાયણ મંદિરની 1 લાખ પ્રદક્ષિણાનો મહિલાઓએ કર્યો સંકલ્પ

જેના ભાગરૂપે વહેલી સવારથી રાજ્યભરમાંથી મહિલા ભક્તો સ્વામિનારાયણ મંદિર ખાતે ઉમટી પડી હતી. અંદાજે 3000 મહિલા ભક્તો દ્વારા 2.25 લાખથી પણ વધુ પ્રદક્ષિણા કરી દેવોને રાજી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Intro:Body:સ્લગ : વઢવાણ સ્વામિનારાયણ મંદિરમાં પ્રદિક્ષણા

એન્કર : વઢવાણ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર લોકોમાં અનોખું
શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ધરાવે છે...ત્યારે સૌ પ્રથમ વખત આ મંદિરમાં મહિલા ભક્તો દ્વારા પ્રદિક્ષણાનો કાર્યક્રમ યોજાયો હતો અને અંદાજે ૨.૨૫ લાખ જેટલી પ્રદિક્ષણા કરવામાં આવી હતી.

વી.ઓ. - ૧ : વઢવાણ ખાતે આવેલ વર્ષો જુના સ્વામિનારાયણ મંદિરના પ.પૂ. ધ.ધૂ ૧૦૦૮ શ્રી આચાર્ય માધવેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી મહિલા ભક્તોના ગુરુ એવા પ.પૂ લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળાના સંકલ્પ થી સ્વામિનારાયણ ભગવાન ભારત ભૂમિના કલ્યાણ અર્થે ઘરનો ત્યાગ કરી નીકળ્યા હતા જેને ૨૨૫ વર્ષ પૂર્ણ થતા ફક્ત મહિલાઓ ભક્તો દ્વારા શ્રી રાધા કૃષ્ણદેવ - હરિકૃષ્ણદેવ વઢવાણ મંદિરની એક લાખ પ્રદિક્ષણા કરવાનો સંકલ્પ કર્યો હતો....જેના ભાગરૂપે વહેલી સવારથી રાજ્યભરમાંથી મહિલા ભક્તો સ્વામિનારાયણ મંદિર ખાતે ઉમટી પડી હતી...અને અંદાજે ૩૦૦૦ મહિલા ભક્તો દ્વારા ૨.૨૫ લાખ કરતા પણ વધુ પ્રદિક્ષણા કરી દેવોને રાજી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

બાઈટ - ૧ : ધર્મિષઠાબેન પટેલ - ભક્ત, ધ્રાંગધ્રા

બાઈટ - ૨ : વાસુદેવભાઇ પટેલ - વ્યવસ્થાપક, વઢવાણ સ્વામિનારાયણ મંદિરConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.