ETV Bharat / state

Surat News: ગરબા રમતાં રમતાં જીવ ગયો, રાસ અને લંડનનું સપનું અધૂરું પણ જિંદગી પૂરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 5, 2023, 11:44 AM IST

ગરબા રમતા યુવક ઢળી પડ્યો લંડનના વલખા રહ્યા અધૂરા, મોતનું કારણ અકબંધ
ગરબા રમતા યુવક ઢળી પડ્યો લંડનના વલખા રહ્યા અધૂરા, મોતનું કારણ અકબંધ

સુરતમાં ફરી એક વખત ગરબા રમતી વખતે એક યુવક અચાનક ઢળી પડ્યો હતો. સંચાલક અને ખેલૈયાઓ તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. નવરાત્રી બાદ જ પરિવારનો એકનો એક પુત્ર એવો ભણવા માટે લન્ડન જવાનો હતો. યુવકને હાર્ટ એટેક આવ્યો હતો કે નહીં તે અંગે હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ ડોક્ટર અને પરિવારના લોકો જોઈ રહ્યા છે.

સુરત: શહેરના પાલનપુર વિસ્તાર ખાતે રહેતા મોદી પરિવારના એક જ પુત્ર રાજ નવરાત્રી બાદ લંડન ભણવા માટે જવાનો હતો. 28 વર્ષીય રાજ ધર્મેશ મોદી સુરત શહેરના પાલનપુર વિસ્તાર ખાતે રહેતા હતા. નવરાત્રી બાદ માસ્ટર ડિગ્રી મેળવવા માટે તે લંડન જવાનો હતો. જેથી પરિવાર તરફથી પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પોતાની માસ્ટર ડિગ્રીને લઇ રાજ પંન ખૂબ જ ઉત્સાહિત હતો. તારીખ 4 ઓક્ટોબરના રોજ જ્યારે તે એલ પી સવાણી રોડ ખાતે આવેલા કમ્યુનિટી હોલમાં ગરબા રમવા માટે ગયો હતો. ત્યારે રાજ અચાનક જ ઢળી પડ્યો હતો.

મોતનું કારણ: યુવક કયા કારણસર મૃત્યુ પામ્યો છે તે અંગે હાલ તેનો મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાલ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે ડોક્ટરોને આશંકા છે કે કદાચ હાર્ટ એટેકના કારણે તેનું મોત નીપજ્યું હશે. અન્ય કારણ પણ હોઈ શકે છે. જે અંગેની તમામ વિગતો પોસ્ટમોર્ટમ થયા બાદ તેના રિપોર્ટમાં આવશે. રાજને ગરબા રમવાનો ખુબ જ શોખ હતો. તેના મિત્રોના જણાવ્યા મુજબ નવરાત્રી માટે પાસ પણ લઈ લીધા હતા.

લન્ડન રૂમ પણ ભાડે: રાજના પિતા ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, અમે ખૂબ જ ખુશ હતા કે અમારો દીકરો નવરાત્રી પછી ભણવા માટે લંડન જશે. અમારો એક જ પુત્ર રાજ હતો. જ્યારે આ અંગે અમને જાણ થઈ ત્યારે અમે દોડીને હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતો. લન્ડન જવા માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી ત્યાં તેના રહેવા માટે એક રૂમ પણ ભાડેથી ફિક્સ કરી દેવામાં આવ્યું હતું. તેની ટિકિટ જ લેવાની બાકી હતી.

પલસાણામાં પણ ગરબા રમતા યુવકનું મોત: અત્રે ઉલ્લેખનીય એ છે કે થોડાક દિવસ પહેલા પણ ગરબા રમતા પલસાણા વિસ્તારમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. નવરાત્રી આયોજનમાં પણ હવે તકેદારીના ભાગરૂપે આયોજન સ્થળ પર મીની હોસ્પિટલ ઉભી કરવાના છે. જેથી કોઈપણ પ્રકારની મેડિકલ કન્ડિશનમાં ખેલૈયાઓને સારવાર મળી રહે.

  1. Mahisagar Crime: મહીસાગરના બાલાસિનોરની ICICI બેન્કના બ્રાન્ચ મેનેજરની હત્યા, 1 કરોડ 17 લાખ ગાયબ
  2. Surat News : વિશ્વ જાગૃતિ મિશન બાલ આશ્રમમાંથી 13 વર્ષીય બાળક ગુમ થયો, CCTV ફૂટેજમાં હકીકત કેદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.