ETV Bharat / state

સુરત કસ્ટડીયલ ડેથ કેસમાં 2 પોલીસ આરોપીઓએ કર્યું સરેન્ડર

author img

By

Published : Jun 15, 2019, 9:34 AM IST

સુરતના ખટોદરા કસ્ટડીયલ ડેથ કેસમાં આઠ આરોપી પૈકી બે પોલીસ આરોપીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં કર્યુ સરેન્ડર

સુરતઃ શહેરના ખટોદરા કસ્ટડીયલ ડેથમાં બે પોલીસ આરોપીઓએ સુરત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સરેન્ડર કર્યું છે. પોલીસે આરોપી ચિરાગ ચૌધરી અને હરેશ ચૌધરી ક્રાઈમ બ્રાન્ચ ખાતે હાજર થયા હતા.જ્યારે PI સહિત છ પોલીસ કર્મચારીઓ હજુ પણ પોલીસ પકડથી દુર છે.

આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યું કે, બંને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સાથે તેઓએ કહ્યું હતું કે, કેસ ગંભીર હોવાથી તેના પ્રત્યક્ષદર્શીઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.

31મી મેના રોજ સુરતના ખટોદરા પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં ઓમપ્રકાશ પાંડે નામના શંકમંદ આરોપીને ગેરકાયદેસર પોલીસ સ્ટેશનમાં રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં ઓમપ્રકાશ પાંડેનું મોત નિપજ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈ સુરત પોલીસ કમિશનર સતીશ શર્માના આદેશ બાદ ખટોદરા PI અને PSI સહિત અન્ય છ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. ત્યારે PI સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓ પોલીસ મથકમાં નાસી છૂટયા હતા. ત્યારબાદ કસ્ટડીયલ ડેથ ની ઘટનાને ચૌદ દિવસ વીત્યાં બાદ આઠ પૈકીના બે પોલીસ આરોપીઓ સુરત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા.ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI ચિરાગ ચૌધરી અને હરેશ ચૌધરીએ સરેન્ડર કર્યુ હતું.

સુરત કસ્ટડીયલ ડેથ કેસમાં 2 પોલીસ આરોપીઓએ કર્યું સરેન્ડર

આ સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશ્નર સતીશ શર્માએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, સરેન્ડર બાદ ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલે મુખ્ય આરોપી ચિરાગ ચૌધરી અને આર્મ લોકરક્ષકની ધરપકડ કરાઈ છે. બંને પોલીસ કર્મચારીઓ સામેથી હાજર થયા છે. આજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. ઘટનામાં જે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે. સાથે ઘટનામાં પ્રત્યક્ષદર્શીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.

પોલીસ કમિશ્નર શર્માએ કેસ વિશે વધું જાણકારી આપતા કહ્યું હતું કે, આ ઘટનામાં યોગ્ય પોલીસ જવાનોની ટીમ તપાસ અધિકારી સાથે ઝીણવટભરી કાર્યવાહી કરી રહી છે. અન્ય આરોપીઓની પણ વહેલી થકે ધરપકડ કરવામાં આવશે. ભાગેલા પોલીસ કર્માચારી અને લોકોએ ઘટનામાં મદદ કરનાર તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે ફરિયાદીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે. પોલીસ મથક સહિત અન્ય ઠેકાણાંઓ પરના સીસીટીવી તપાસવામાં આવશે. ઘટનાની તપાસ વિશે જણાવતા કમિશ્નર કહે છે કે, ACP રેન્કના અધિકારી દ્વારા ફરાર થનાર પોલિસકર્મીઓની ઘટના અંગે તપાસ કરશે. ફરાર આરોપીઓની જો પોલીસ સ્ટેશનમાં મદદ કરવામાં આવી હશે તો દોષી પોલીસકર્મીઓ તપાસ કરાશે.

આમ, કસ્ટડીયલ ડેથ મામલે ચૌદ દિવસ સુધી ગોકળ ગાયની ગતિએ ચાલતી તપાસ કાર્યવાહીના કારણે પોલીસ તંત્ર જ આરોપી પોલીસ કર્માચારીઓને છાવરી રહ્યા હોવાની વાતો ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે પોલીસ અનવના કારણો રજૂ કરીને પોતાની નિર્દોષતા સાબિત કરતી જોવા મળે છે.

R_GJ_05_SUR_14JUN_CP_PC_VIDEO_SCRIPT


FEED BY WHAT'S APP


સુરત : ખટોદરા કસ્ટડીયલ ડેથ માં બે પોલીસ આરોપીઓએ સુરત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સરેન્ડર કર્યું છે.પોલીસ આરોપી ચિરાગ ચૌધરી અને હરેશ ચૌધરી આજ રોજ ક્રાઈમ બ્રાન્ચ ખાતે હાજર થયા છે.જ્યારે પીઆઇ સહિત છ પોલીસ કર્મચારીઓ હજી પણ પોલીસ પકડ થી દુર છે.આ અંગે પત્રકાર પરિષદ સંબોધતા સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યું કે બન્ને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રિમાન્ડની માંગણી કરવામાં આવશે. સાથે તેઓએ જણાવ્યું કે કેસના પ્રત્યક્ષદર્શીઓ ને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.....

તરીખ 31મી મેં ના રોજ સુરત ના ખટોદરા પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા ઘરફોડ ચોરીના ગુનામાં ઓમપ્રકાશ પાંડે નામના શંકમંદ આરોપીની ગેરકાયદે રીતે પોલીસ સ્ટેશનમાં રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો. જે ઘટનામાં ઓમપ્રકાશ પાંડે નું મોત નિપજ્યું હતું.ઘટનાની ગંભીરતા જોઈ સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા ના આદેશ બાદ ખટોદરા પીઆઇ સહિત પીએસઆઇ તેમજ અન્ય છ પોલીસ કર્મચારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જે બાદ પીઆઇ સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓ પોલીસ મથકમાં નાસી છૂટયા હતા ..આજે કસ્ટડીયલ ડેથ ની ઘટનાને ચૌદ - ચૌદ દિવસ વીત્યાં બાદ આઠ પૈકીના બે પોલીસ આરોપીઓ સુરત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે ..ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ ચિરાગ ચૌધરી અને હરેશ ચૌધરીએ આજ રોજ સરેન્ડર કર્યું છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશ્નર સતીશ શર્માએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, સરેન્ડર બાદ ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલે મુખ્ય આરોપી ચિરાગ ચૌધરી અને આર્મ લોકરક્ષકની ધરપકડ કરાઈ છે.બને પોલીસ કર્મચારીઓ સામેથી હાજર થયા છે..આજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે...ઘટનામાં જે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે..સાથે ઘટનામાં પ્રત્યક્ષદર્શીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે...


આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવનાર છે. પોલીસ કમિશ્નર શર્માએ વધુમાં જણાવ્યું કે,ઘટનામાં યોગ્ય પોલીસ જવાનો ની ટિમ તપાસ અધિકારી સાથે ઝીણવટભરી કાર્યવાહી કરી રહી છે.અન્ય આરોપીઓ પણ જલ્દી થી જલ્દી ઝડપી પાડવામાં આવશે.અન્ય આરોપીઓ પણ હાજર થઈ જાય..જે પોલિસ કર્મચારીઓ ભાગ્યા હતા ,તે સમયે કાર્યવાહી ચાલી રહી હતી.જે લોકોએ ઘટનામાં મદદ કરી હશે તેની સામે પણ કાર્યવાહી થશે...ઘટનામાં જે ફરિયાદી છે તેને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવશે.હજી છ આરોપીઓ ફરાર છે.પોલીસ મથક સહિત અન્ય ઠેકાણાઓ પરના સીસીટીવી તપાસમાં આવ્યા છે.સાથે તેઓએ જણાવ્યું હતું કે ACP રેન્કના અધિકારી દ્વારા ફરાર થનાર પોલિસકર્મીઓની ઘટના અંગે તપાસ કરશે...ફરાર આરોપીઓની જો પોલીસ સ્ટેશનમાં મદદ કરવામાં આવી હશે તો દોષી પોલીસકર્મીઓ તપાસ થશે...


કસ્ટડીયલ ડેથ મામલે હજી પીઆઇ એમ.બી.ખીલેરી સહિત છ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે ..ત્યારે ફરાર પોલીસ કર્મચારીઓ ને જાણે ખટોદરા પોલીસ સહિત ના અધિકારીઓ છાવરી રહ્યા હોય તે વાતને પણ નકારી શકાય નહીં.


બાઈટ : સતીશ શર્મા (પોલીસ કમિશ્નર -સુરત)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.