ETV Bharat / state

સુરતમાં ચોમાસા દરમિયાન અઢી લાખથી વધારેPlantation of treesનો ટાર્ગેટ

author img

By

Published : Jun 16, 2021, 10:53 AM IST

અઢી લાખથી વધારેPlantation of treesનો ટાર્ગેટ
અઢી લાખથી વધારેPlantation of treesનો ટાર્ગેટ

Tauktae Cycloneના કારણે સુરતમાં વર્ષો જુના વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. Surat Corporation દ્વારા સુરતને Green City બનાવવા માટેના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ચોમાસું શરૂ થવાનું છે ત્યારે પાલિકાના garden department દ્વારા શહેરમાં માત્ર ચોમાસા દરમિયાન અઢી લાખથી વધુ Plantation of treesનો ટાર્ગેટ છે. અભિયાન માટે સુરતીઓને પાલિકા એક લાખ છોડ નિ:શુલ્ક આપશે. જેથી તેમની ભાગીદારીથી સુરત શહેર હરિયાળુ બનશે. આ માટે ખાસ એપ્લિકેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેના માધ્યમથી શહેરીજનો પાલિકાનો સંપર્ક કરી છોડ મેળવી શકે છે.

  • Surat Corporation દ્વારા આ વર્ષે સુરત શહેરમાં અઢી લાખ છોડનું રોપણ
  • પાલિકા પાસે નિ:શુલ્ક છોડનું વિતરણ શહેરીજનોને કરશે
  • એપ્લિકેશનના માધ્યમથી શહેરીજનો પાલિકાનો સંપર્ક કરી છોડ મેળવી શકશે

સુરત : ટેકસટાઇલ સિટી, ડાયમંડ સિટી અને સ્માર્ટ સિટી સુરતને Green City બનાવવા માટે Surat Corporation આ વર્ષે સુરત શહેરમાં અઢી લાખ છોડનું રોપણ કરવા જઈ રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસથી તેની શરૂઆત પણ થઇ ગઇ છે. ચોમાસા સમયે શહેરીજનોને એક લાખ છોડ પાલિકા નિ:શુલ્ક આપશે. જેથી શહેરીજનો પણ આ અભિયાનથી જોડાઈ શકે. પાલિકા પાસે નિ:શુલ્ક છોડ લઈ શહેરીજનો પોતાના ઘરે અથવા તો સોસાયટીમાં Plantation of trees કરીને પોતાના વિસ્તારને હરિયાળુ બનાવશે.

સ્થળ પર વૃક્ષો વાવાઝોડાના કારણે ધરાશાયી થયા

હાલમાં જ આવેલા તૌકતે વાવાઝોડાના કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. તે અંગે પાલિકાના garden departmentના સુપરિટેડન્ટ એસ. જી. ગૌતમે જણાવ્યું હતું કે, જે સ્થળ પર વૃક્ષો વાવાઝોડાના કારણે ધરાશાયી થયા છે. આ તમામ સ્થળે અમે ફરીથી વૃક્ષારોપણ કર્યું છે. આ સાથે તે જ વિસ્તારમાં બેથી ત્રણ ગણા વૃક્ષો વાવવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી, વિવિધ સંગઠનો દ્વારા કરાયું વૃક્ષારોપણ

એક લાખ શહેરીજનોને નિ:શુલ્ક છોડ અપાશે

ચોમાસા દરમિયાન અઢી લાખ વૃક્ષો Surat Corporation દ્વારા સુરત શહેરમાં રોપવાની તૈયારી કરવામાં આવી છે. જેમાંથી એક લાખ શહેરીજનોને નિ:શુલ્ક છોડ આપવામાં આવશે. જ્યારે બીજી બાજુ શહેરના જોગર્સ પાર્કમાં પાર્કિંગ અને અન્ય વિસ્તારોમાં દોઢ લાખથી વધુ છોડ પાલિકા પોતે રોપશે.

શહેરીજનોને નિ:શુલ્ક છોડ જોઇએ તો Surat Corporationની એપ્લિકેશનના માધ્યમથી સંપર્ક કરે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર શહેરીજનોને છોડ આપ્યા સુધી Surat Corporationની જવાબદારી નથી. અમે તેમની પાસેથી બાંહેધરી લખાવી છે કે, તેઓ બે વર્ષ સુધી છોડની કાળજી લેશે. તેઓ આ છોડ કઈ જગ્યાએ રોપશે અને કેવી રીતે કાળજી લે છે. આ અંગે ફોર્મમાં જાણકારી પણ લઈએ છીએ. શહેરીજનોને જો નિ:શુલ્ક છોડ જોઈતા હોય તો તેઓ સુરત મહાનગરપાલિકાની એપ્લિકેશનના માધ્યમથી સંપર્ક કરી છોડ મેળવી શકશે.

આ પણ વાંચો : વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ: 26 વર્ષમાં 12 લાખ વૃક્ષો રોપનારા જીતુ પટેલ સાથે મુલાકાત

પોતાના શહેરને હરિયાળું બનાવવા માટે આગળ આવીએ

Surat Corporationની એપની માધ્યમથી છોડ લેવા આવેલા જિગીષા સિંધવે જણાવ્યું હતું કે, હાલ જ વાવાઝોડામાં અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જેથી આપણી નૈતિક જવાબદારી છે કે, પોતાના શહેરને હરિયાળું બનાવવા માટે આગળ આવીએ. અમે Surat Corporation દ્વારા આપવામાં આવેલા નિ:શુલ્ક છોડ લઈ જઈ રહ્યા છે અને તેનું જતન કરી સુરતને હરિયાળુ સુરત બનાવવા માટે પ્રયત્ન કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.