ઉધના રેલ્વે સ્ટેશનને દેશનું પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશન બનાવવાનું લક્ષ્યને સાકારીત કરવા આગળ વધી રહ્યા છે. ત્યારે હાલ સમગ્ર વેસ્ટર્ન ઝોનમાં સુરતનું ઉધના રેલવે સ્ટેશન એકમાત્ર ગ્રીન રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશન પર આવનાર યાત્રીઓને અહીં આવી લાગશે જ નહીં કે તેઓ રેલવે સ્ટેશન પર આવ્યા છે. ચારેય બાજુ હરિયાળી જોવા મળે જે કોઈ બોજ અન્ય રેલવે સ્ટેશન પર જોવા નહીં મળે. ટૂંક સમયમાં ઉધના રેલ્વે સ્ટેશનએ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ એરપોર્ટની જેમ હરીયાળું અને પ્રદૂષણ મુક્ત બનશે.
વધી રહેલા વિકાસની દૌડમાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ઉધના વિસ્તાર ઔદ્યોગિક અને શ્રમિકોના વિસ્તાર માટે ઘણું જાણીતો છે. ખાસ આ વિસ્તારમાં પ્રદુષણની માત્રા વધારે છે, ત્યારે ઉધના ગ્રીન સ્ટેશન એક વરદાનની જેમ છે.
વૃક્ષોનું નિકંદન કાઢવાના કારણે પર્યાવરણ પર તેની ગંભીર અસર થઈ રહી છે. ત્યારે આ ધરતીને ફરી હરીયાળી કરવાની આપણા સૌની જવાબદારી છે, ત્યારે પર્યાવરણ સંરક્ષણ માટે સુરતના વિરલ દેસાઈએ PPP મડ્યુલ હેટળ ઉધના રેલવે સ્ટેશન ને ગ્રીન બનાવી રહ્યા છે. ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ઓક્સિજન બમ્પર અને પ્રદુષણને ફિલ્ટર કરતા એવા 1700 થી વધુ પ્લાંટેશન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત પુલવામા શહીદ થયેલા જવાનોની યાદમાં સ્ટેશન પર શહીદ સ્મારક બનાવાયું છે. અહીં તખ્તી પર તમામ શહીદોનાં નામ લખવાની સાથે જ તે જવાનોના નામથી વૃક્ષો વાવવામાં આવ્યા છે અને સંદેશો અપાયો કે શહીદ જવાનો પહેલા સરહદે ફરજ બજાવી આપણી રક્ષા કરતા હતા હવે વૃક્ષો રૂપી બનીને પ્રદૂષણ સામે આપણું રક્ષા કરી રહ્યા છે.
ઉધના સ્ટેશનના બદલાયેલા રૂપને તસ્વીરો સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. એક તબક્કે ખરાબ લાગતું ઉધના સ્ટેશનને ગ્રીન રેલ્વે સ્ટેશન બની ગયું છે. સાથે સ્ટેશનને હરીયાળું રૂપ આપવા દિવાલોને ગ્રીન પેઈન્ટથી રંગવામાં આવી છે, તો દિવાલો પર પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોરોપણ માટેને પ્રેરિત કરતી પેઇન્ટીંગ્સ બનાવી છે. જેમાં અનેક સ્લોગન લખવામાં આવ્યા છે. પોતાના રેલવે સ્ટેશનને સંપૂર્ણ પણે ગ્રીન જોઈ રેલવે વિભાગ પણ આશ્ચર્યમાં મુકાયું છે.
ઉધના રેલવે સ્ટેશન પર રોજ દસ હજારથી વધુની અવર-જવર વાળા ઉધના સ્ટેશન પર મધ્યમ અને ગરીબવર્ગના યાત્રિકોને પણ મુંબઈના ગ્રીન એરપોર્ટ જેવી અનુભૂતિ થશે.