ETV Bharat / state

Dussehra 2023 : સુરતમાં દશેરાએ દહન માટે 65 ફૂટ ઊંચું રાવણનું પૂતળું, ઓપ આપી રહ્યાં છે મુસ્લિમ કારીગરો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2023, 7:55 PM IST

સુરતના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભગવાન રામ આસુરી શક્તિ રાવણનું દહન કરી શકે એ માટે સુરતમાં છેલ્લા 35 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવે છે.

Dussehra 2023 : સુરતમાં દશેરાએ દહન માટે 65 ફૂટ ઊંચું રાવણનું પૂતળું, ઓપ આપી રહ્યાં છે મુસ્લિમ કારીગરો
Dussehra 2023 : સુરતમાં દશેરાએ દહન માટે 65 ફૂટ ઊંચું રાવણનું પૂતળું, ઓપ આપી રહ્યાં છે મુસ્લિમ કારીગરો

35 વર્ષથી બનાવી રહ્યાં છે મુસ્લિમ કારીગરો

સુરત: સુરતમાં દશેરાના દિવસે આસુરી શક્તિના પ્રતીક રાવણનું પૂતળું બાળવામાં આવશે. જે માટે છેલ્લા 35 વર્ષથી ઉત્તરપ્રદેશથી આવેલ પંદર જેટલા મુસ્લિમ કારીગરોએ સુરત આવીને રાવણનું પૂતળું બનાવી રહ્યાં છે. ત્રણ પેઢીથી મથુરાથી આવીને મુસ્લિમ કારીગરો દર વર્ષે રાવણના પૂતળા બનાવતા હોય છે. પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 65 ફૂટ ઊચું રાવણનું પૂતળું બનાવવામાં આવી રહ્યું છે.

રાવણ બનાવનાર એ જણાવ્યું હતું કે, છેલ્લા 35 વર્ષથી અમે મથુરા થી સુરત રાવણ બનાવવા માટે આવી રહ્યા છે. સુરત આદર્શ રામલીલા કમિટી અમને અહીં રાવણ બનાવવા માટે બોલાવે છે. 40 દિવસમાં આ રાવણ બનાવીને અમે તૈયાર કરીએ છીએ. રાવણ બનાવતી વખતે અમે બહુ ધ્યાન આપીએ છીએ કારણ કે સ્ટેપ બાય સ્ટેપ તેમાં પ્રોસેસ થાય છે અને ત્યાર પછી આતિશબાજી શરૂ થાય છે. રાવણ બનાવવા માટેની જે પણ સામગ્રી હોય છે તે અમે સુરતથી જ ખરીદીએ છીએ. લગભગ એક કલાક સુધી કાર્યક્રમ ચાલે છે અને લોકોને આતિશબાજી પણ જોવા મળે છે. અમે 15 જેટલા લોકો મથુરાથી આવીએ છીએ અને 40 દિવસમાં અમે રાવણ બનાવીને તૈયાર કરી દઈએ છીએ. ધાર્મિક કામ માટે અમે સુરત આવીએ છીએ અને ત્યાર પછી પોતાના વતન ચાલ્યા જઈએ છીએ ત્યાં જઈને અમે નાના મોટા કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ. 65 ફૂટં રાવણ સાથે અમે અન્ય પાંચ જેટલા મોટા રાવણ બનાવીએ છીએ...અશફાક કુરેશી (પૂતળું બનાવનાર)

15 થી વધુ મુસ્લિમ કારીગરો : ઉત્તર પ્રદેશના મથુરાથી છેલ્લા 35 વર્ષથી સુરતની ધરતી પર 15 થી વધુ મુસ્લિમ કારીગરો આવીને દશેરા માટે રાવણનું પૂતળું બનાવે છે. હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી દશેરા અગાઉ રાવણના પૂતળા બનાવવાની તૈયારી કરે છે. તેમનો આ ઉમદા પ્રયાસ સમાજ માટે પણ એક ભાઈચારાનો સંદેશ પાઠવી રહ્યો છે. હાલ નવલી નવરાત્રીની રંગત જામી છે. જ્યાં બાદમાં દશેરાની પણ શહેરીજનો દ્વારા ઉજવણી કરવામાં આવશે. દરમ્યાન 65 ફૂટ જેટલું ઊંચું રાવણનું પૂતળું સુરતમાં તૈયાર કરવામાં આવ્યું છે. સુરતના વીઆઈપી રોડ સ્થિત રામલીલા કમિટી દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવશે. આ માટે રામલીલા મંડળી દ્વારા 65 ફૂટ જેટલું ઊંચું રાવણનું પૂતળું ઓર્ડરથી બનાવડાવવામાં આવ્યું છે.

હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ ભેદ નથી : જો કે રાવણનું પૂતળું બનાવનાર કોઈ અન્ય વ્યક્તિ નહીં પરંતુ મુસ્લિમ યુવકો છે. રાવણનું પૂતળું તૈયાર કરનાર મુસ્લિમ સમાજના કારીગરોના જણાવ્યાનુસાર તેઓ હિન્દૂ - મુસ્લિમ વચ્ચે કોઈ ભેદ નથી રાખતા.આ પૂતળું તૈયાર કરવામા અલગ અલગ કારીગરો કામે લાગ્યા છે.જ્યાં ચાલીસ દિવસની મહેનત બાદ આ વિશાલ રાવણનું પૂતળું તૈયાર કરવામા આવી રહ્યું છે.35 વર્ષથી ઓર્ડર પ્રમાણે રાવણના પૂતળા તૈયાર કરે છે. પોતાનો મઝહબ હિન્દુ મુસ્લિમ વચ્ચે ભેદભાવ રાખવો તે યોગ્ય નથી માનવામાં આવતું.

કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના વર્ષોથી આ રાવણના પૂતળા તૈયાર કરતા આવ્યા છીએ. હાલ રાવણના પૂતળું બનાવવામાં મોટાભાગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 40 દિવસ દરમિયાન જે મહેનત કરીએ છીએ તેના કારણે પરિવારને ભરણપોષણ માટે આવકનું સારું સાધન મળી જાય છે ત્યારબાદ મથુરા જઈને પેઇન્ટિંગ અને નાના મોટા મજૂરી કામ કરીએ છે...અશફાક કુરેશી ( પૂતળું બનાવનાર કારીગર )

વેસુમાં થશે રાવણના પૂતળાંનું દહન : સુતળી બૉમ્બ, કોઠી સહિત આતશબાજી દશેરાના દિવસે સુરતના વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં આસુરી શક્તિના પ્રતીક રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદભુત આયોજન કરવામાં આવ્યું છે.જ્યા મેદાનમાં રાવણના 65 ફૂટ પૂતળાની સાથે અલગ અલગ પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અદભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે. રાવણનું પૂતળું બનાવવા પાછળ કાગળની લાઈ, વાંસ, સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે આતશબાજી માટે સુતળી બૉમ્બ, કોઠી સહિત આતશબાજીના ફટાકડા પૂતળામાં ફિટ કરવામાં આવશે.

રામ ઉપર અમારું ધ્યાન હોય છે : અન્ય કારીગર હાજી મુન્નાએ જણાવ્યું હતું કે, દશેરા અમારી માટે પ્રાણોથી પણ વધારે મહત્વ ધરાવે છે. એની કોઈ તુલના ન થઈ શકે કારણ કે એના જ કારણે અમારું ભરણ પોષણ થાય છે. એક મહિનાથી પણ વધારે સમય થઈ ગયા છે રાત્રે 10 થી 12:00 વાગ્યા સુધી અમે કામ કરીએ છીએ. કોઈપણ પ્રકારની હેરાનગતિ થતી નથી કમિટીના લોકો અમારી કાળજી લેતા હોય છે. અમારી વચ્ચે કોઈ પણ પ્રકારનો મતભેદ નથી. લોકો અમારીથી કોઈ પણ પ્રકારનો એતરાજ રાખતા નથી. કોઈપણ પ્રકારની મુશ્કિલ હોય તો તેઓ દૂર કરે છે. રામ ઉપર અમારો ધ્યાન હોય છે કારણ કે જ્યાં સુધી તેઓ દહન નહીં કરશે ત્યાં સુધી અમારો કામ પૂર્ણ નહીં થશે.

  1. કૃષ્ણ જન્મભૂમિથી આવેલા મુસ્લિમ કારીગરો સુરતમાં રાવણનું પૂતળું બનાવી રહ્યા છે, જૂઓ કેટલું ઊંચું બનાવાયું
  2. વૃંદાવનના હિન્દુ-મુસ્લિમ કારીગરોએ તૈયાર કર્યા ભગવાન જગન્નાથના વાઘા...
  3. Navratri 2023: અલીગઢમાં એક મુસ્લિમ પરિવારે નવરાત્રીમાં મા દુર્ગાની મૂર્તિની સ્થાપના સાથે રાખ્યું વ્રત, હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનો આપ્યો સંદેશ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.