ETV Bharat / state

Surat Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાને લઇ આધેડે પ્રતિકાર કરતા થઇ હત્યા

author img

By

Published : Apr 17, 2023, 8:15 PM IST

સુરતની ઉધના પોલીસે થોડા દિવસ પહેલા થયેલી આધેડની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. આ મામલામાં ઉધના પોલીસે બે હોટલના કર્મચારીઓની ધરપકડ કરી છે. હત્યાનું કારણ એવું બહાર આવ્યું છે કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા જતા આધેડે પ્રતિકાર કર્યો હતો જેથી બંને આરોપીઓએ આધેડની હત્યા કરી હતી.

Surat Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાને લઇ આધેડે પ્રતિકાર કરતા થઇ હત્યા
Surat Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાને લઇ આધેડે પ્રતિકાર કરતા થઇ હત્યા

બંને આરોપીઓએ આધેડની હત્યા કરી હતી

સુરત : થોડા દિવસ પહેલા ઉધના વિસ્તારમાં આધેડની હત્યા કરાયેલ મૃતદેહ ફૂટપાથ પર મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે ઉધના પોલીસે તપાસ હાથ ધરી હતી. નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. એક સીસીટીવી ફૂટેજમાં આધેડને બે અજાણ્યા લોકો માર મારી રહ્યા છે તે રેકોર્ડ થયું હતું. જેના આધારે ઉધના પોલીસે બે લોકોની શોધખોળ શરૂ કરી હતી. આખરે પોલીસે આ સમગ્ર ઘટનાક્રમમાં આરોપી બે હોટલના કર્મચારીઓની ધરપકડ કરી હતી.

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ : 53 વર્ષીય રામમુરત તિવારી મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હતા. ઉધના રોડ નંબર 15ના ફૂટપાથ પરથી તેની હત્યા કરાયેલ મૃતદેહ ફૂટપાથ પર મળી આવ્યો હતો. રામમુરત તિવારીના શરીર પર અનેક ઇજાઓના નિશાન મળી આવ્યા હતા. જેના કારણે પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસમાં એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે અજાણ્યા લોકો રામમુરત તિવારીને માર મારી રહ્યા છે. ઉધના પોલીસે 19 વર્ષના અજય ઇનાકરામ પટેલને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી તેને અન્ય એક આરોપી સુરેશ ચતુરસિંહ અંગે પોલીસને જણાવ્યું હતું. આ ઘટના બાદ સુરેશ મધ્યપ્રદેશ નાસી ગયો હતો જેથી પોલીસની એક ટીમ એમપી રવાના થઈ હતી અને આરોપી સુરેશની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime : કોલ લેટર બેગમાં હોવાથી ન આપતા લૂંટારાઓએ કરી નાખી હત્યા, શાહીબાગમાંથી મળેલા યુવકના મૃતદેહનો મામલો

સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ : રામમુરતની હત્યાના કારણની તપાસ કરતાં ઉધના પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ સમગ્ર મામલે સુરતના ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, રામમુરત ફૂટપાથ પર સૂઈ રહ્યો હતો. તે દરમિયાન સુરેશે રામમુરત સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે રામમુરતે પ્રતિકાર કરતા તેને ગડદાપાટુનો માર મારવા સહિત હાથમાં પહેરેલું સ્ટીલનું કડું માથાના ભાગે મારતા રામમુરત બેભાન થઈ ગયો હતો.

આ પણ વાંચો Rajkot Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં 83 વર્ષના વૃદ્ધને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

આરોપીઓની ધરપકડ : બંને આરોપી મધ્યપ્રદેશના વતની તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સુરેશે અજયની મદદથી રામમુરતને ખસેડીને રોડની એક સાઈડમાં લઈ ગયો હતો અને ત્યાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બંને આરોપી મૂળ મધ્યપ્રદેશના વતની છે અને હાલ હોટલના કર્મચારી તરીકે નોકરી કરે છે. સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.