વડાપ્રધાન મોદીએ ચાલુ કરાયેલા વાઇબ્રન્ટ ગુજરાતથી જ ગુજરાતમાં ક્રાંતિ આવી છે કનુ દેસાઈ

author img

By

Published : Jan 26, 2022, 2:26 PM IST

Updated : Sep 1, 2022, 12:00 PM IST

Republic Day 2022 : વડાપ્રધાન મોદીએ ચાલુ કરાયેલા વાઇબ્રન્ટ ગુજરાતથી જ ગુજરાતમાં ક્રાંતિ આવી છે : કનુ દેસાઈ

સુરત પોલીસ દ્વારા 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણી Republic Day 2022 કરવામાં આવી હતી. જેમાં રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુ દેસાઈ હસ્તે રાષ્ટ્ધ્વજ Kanu Desai in Surat ફરકાવ્યો હતો. તેેમજ કનુ દેસાઈએ ગુજરાત મોડલ વિષે વાત કરી હતી.

સુરત : સુરતમાં શહેર પોલીસ દ્વારા 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણી (Republic Day 2022) કરવામાં આવી. આ સમરોહમાં રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુ દેસાઈના હસ્તે ધ્વજાંરોહણ (Kanu Desai Hoisted the Flag in Surat) કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પ્રધાન કનુ દેસાઈ હસ્તે જિલ્લા વિકાસ માટે 25,00,000 લાખનો ચેક કલેક્ટરને આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરમાં પોલીસમાં શ્રેષ્ઠ કામગીરીને લઈને ત્રણ પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાલુ કરવામાં આવેલા વાઇબ્રન્ટ ગુજરાતથી જ ક્રાંતિ આવશે

રાજ્યના પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યુ કે, 2014માં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી ગુજરાત સમગ્ર દેશમાં એક ગ્રોથ એન્જીન તરીકે જાણીતું થયું છે. ગુજરાતને સમગ્ર દેશે વિકાસ મોડલ (Gujarat development model) તરીકે સ્વીકાર્યું છે. ગુજરાતનો દરિયા કિનારો ગુજરાતની વેપારની વૃદ્ધિઓ છે. સુરત જેવા શહેર ટેક્સટાઇલ, ડાયમંડ કે બીજી જાહેર સેવાઓ હોય એમાં સુરતે આગવું સ્થાન પ્રાપ્પ કર્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા ચાલુ કરવામાં આવેલા વાઇબ્રન્ટ ગુજરાતમાં જે રીતે ક્રાંતિ આવી છે. રોજગારીમાં પણ ખુબ જ વધારો થયો છે. એ જ રીતે ગુજરાતી ટુરિઝમ માટે હબ બની રહે તે માટે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા ખાતે બનાવવામાં આવી છે. તો સાથે કચ્છનું રણમાં પણ ઘણા ટુરિસ્ટો આવી રહ્યા છે. એટલે કેન્દ્ર સરકારનો ખુબ જ મહત્વનો ફાળો છે.

આ પણ વાંચોઃ Republic Day 2022: શિક્ષણપ્રધાન જીતુ વાઘણીએ રાજકોટમાં ફરકાવ્યો ધ્વજ

ખેતીની આવકમાં ગુજરાત 2005થી 10 ટકાનો ગ્રોથ ધરાવે છે

વધુમાં કનુ દેસાઈએ (Minister Kanu Desai in Surat) કહ્યું કે, સરકાર હંમેશા ખેડૂતોની સાથે જ રહી છે. એમાં પણ પૂર-વાવાજોડું કે દુષ્કાળ જેવી પરિસ્થિત આવી છે. એમાં નર્મદાબંધની ઉંચાઈ વધારીને કચ્છના રણ સુધી પાકિસ્તાન બોડર સુધી ગુજરાત સરકારે જે પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એ ખેતીની આવકમાં ગુજરાત 2005થી ડબલ ડિજિટલ એટલે 10 ટકાનો ગ્રોથ ધરાવે છે. એ જ બતાવે છે કે ગુજરાતમાં ખેડૂતોનો સંપૂર્ણ વિકાસ થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ Republic Day 2022 : શા માટે ઉજવવામાં આવે છે પ્રજાસત્તાક દિવસ, જાણો તથ્યો...

Last Updated :Sep 1, 2022, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.