ETV Bharat / state

પૂર્વ ભારતીય ક્રિકેટર સદાનંદ વિશ્વનાથ હવે સુરતના ખેલાડીઓને શિખવાડશે ક્રિકેટની ABCD

author img

By

Published : Dec 24, 2022, 10:49 AM IST

પૂર્વ ભારતીય ક્રિકેટર સદાનંદ વિશ્વનાથ હવે સુરતના ખેલાડીઓને શિખવાડશે ક્રિકેટની ABCD
પૂર્વ ભારતીય ક્રિકેટર સદાનંદ વિશ્વનાથ હવે સુરતના ખેલાડીઓને શિખવાડશે ક્રિકેટની ABCD

સુરતમાં હવે ક્રિકેટ રમતા ખેલાડીઓને મોટો ફાયદો થશે. કારણ કે, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સદાનંદ વિશ્વનાથ (Sadanand Viswanath former cricketer) આ ખેલાડીઓને તાલીમ (Training to surat cricketers) આપશે. અહીં ક્રિકેટર્સ માટે નવો ક્રિકેટ કેમ્પ (Cricket Camp in Surat) પણ શરૂ થવા જઈ રહ્યો છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને પૂર્વ રણજી ટ્રોફી પ્લેટર શરૂ કરશે ક્રિકેટ કેમ્પ

સુરત શહેરમાં ક્રિકેટના ખેલાડીઓ માટે સારા સમાચાર આવી (Surat Cricket Players) રહ્યા છે. કારણ કે, હવે આ ખેલાડીઓ પૂર્વ ભારતીય ક્રિકેટર અને વિકેટકિપર સદાનંદ વિશ્વનાથના (Sadanand Viswanath former cricketer) માર્ગદર્શન હેઠળ તાલીમ લેશે. અહીં રાજ્યના પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી સંજય નાયક (Former Ranji Trophy player Sanjay Nayak) અને પૂર્વ ભારતીય ક્રિકેટર બંને મળીને નવો ક્રિકેટ કેમ્પ શરૂ કરશે. અહીં આ બંને દિગ્ગજ ક્રિકેટર્સ ખેલાડીઓને હવે તાલીમ આપશે.

1985માં ભારતને અપાવી હતી જીત વર્ષ 1985માં 1985માં ઈન્ડિયન ક્રિકેટ વર્લ્ડ કપમાં (Indian Cricket World Cup) ટીમને જીત આપવનાર એવા ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર સદાનંદ વિશ્વનાથ (Sadanand Viswanath former cricketer) સુરતની મુલાકાતે છે. ત્યારે તેમને ગુજરાતના ભૂતપૂર્વ રણજી ટ્રોફી પ્લેયર સંજય નાયક સાથે મળીને સુરતમાં ક્રિકેટનો કેમ્પ ચાલુ કરવા માટેનો આગ્રહ બતાવ્યો છે.

નવા ઊભરતા ખેલાડીઓ માટે સુવર્ણ તક આ ક્રિકેટ કેમ્પ માટે ગ્રાઉન્ડ તથા આજ દિન સુધી સુરતમાં કોઈ પણ જગ્યાએ ક્રિકેટ કેમ્પમાં વિડિઓ એનાલિસિસની વ્યવસ્થાઓ નથી. તો એ પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ તમામ વસ્તુઓ સદાનંદ વિશ્વનાથના સહકારથી કરવામાં આવશે, જે થકી હવે થી સુરતમાં નવા ઉભરતા ખિલાડીઓને સદાનંદ વિશ્વનાથ (Sadanand Viswanath former cricketer) અને સંજય નાયક ટ્રેનિંગ આપશે.

સદાનંદ વિશ્વનાથે મેચમાં કર્યું એમ્પાયરિંગ આ અંગે પૂર્વ ક્રિકેટર સદાનંદ વિશ્વનાથે (Sadanand Viswanath former cricketer) જણાવ્યું હતું કે, મને આજે ખૂબ જ આનંદ થયો છે કે, હું આજે સુરતમાં આવ્યો છું. અહીં વિજય હજારે ટ્રોફી અંડર 16 મેચમાં મેં આજે અમ્પાયરિંગ કર્યું છે. ગુજરાતના ક્રિકેટમાં ખૂબ જ સુધાર જોવા મળ્યો છે. નવા નવા ખેલાડીઓ (Surat Cricket Players) ઉભરતા જોવા મળી રહ્યા છે.હું અને મારાં મિત્ર સંજય નાયક બંને જણા સાથે મળીને માર્ચ એપ્રિલ મહિનાથી (Surat Cricket Players) ક્રિકેટ માટે એક કેમ્પ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

અત્યારના તમામ ખિલાડીઓ પ્રોફેશનલ બની ગયા છે વધુમાં તેમણે જણાવ્યું કે, પહેલાની ક્રિકેટમાં અને અત્યારના ક્રિકેટની વાત કરવામાં આવે તો પ્રોફેન્સલ સિક્યુરિટી, ફિલ્ડિંગમાં પણ ખુબ જ ધ્યાન આપવામાં આવે છે. અત્યારના તમામ ખિલાડીઓ પ્રોફેશનલ બની ગયા છે. ખૂબ જ પૈસાઓ કમાય છે. ખૂબ સારી વાત છે. તો આ એક પહેલાના ક્રિકેટ અને અત્યારના ક્રિકેટમાં ઘણો ફરક છે. IPL આવવાથી પણ ક્રિકેટમાં ખૂબ જ બદલાવ જોવા મળ્યો છે. કારણકે, ક્રિકેટના એડમિનિસ્ટરો અને BCCI આના કારણે ખુબ જ ખુશ છે. ક્રિકેટમાં સપોર્ટ કરનારા સ્પોન્સરો આનંદમાં હોય છે.ટીવીમાં જોનારા લોકો પણ ખુશ છે.

સુનીલ ગાવસ્કરે કર્યો હતો પુસ્તકમાં ઉલ્લેખ આ અંગે પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી સંજય નાયકે (Former Ranji Trophy player Sanjay Nayak) જણાવ્યું હતું કે, હું અને મારાં મિત્ર સદાનંદ વિશ્વનાથ, જેઓ ઈન્ડિયાના જાણીતા ક્રિકેટર હતા. તેમણે 1985માં જ્યારે ઈન્ડિયા ક્રિકેટ ટીમ ચેમ્પિયનશિપ બની હતી. તેમાં તેઓ સામેલ હતા. ભારતીય પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે (sunil gavaskar former cricketer) તેમના પુસ્તક 'વન ડે વંડર્સ'માં તેમની નોંધ લીધી છે. 1985માં ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યા તેનું મુખ્ય કારણ સ્ટમ્પ પાછળ સદાનંદ વિશ્વનાથની હાજરી હતી. સદાનંદ વિશ્વનાથ (Sadanand Viswanath former cricketer) જેઓ ઇન્ડિયાના લેવલ ઉપર નંબર 3ના કોચ તરીકે જાણીતા છે.

ખેલાડીઓને મળશે પ્રોફેશનલ તાલીમ તેમણે ઉમેર્યું (Former Ranji Trophy player Sanjay Nayak) હતું કે, હું અને સદાનંદ વિશ્વનાથ (Sadanand Viswanath former cricketer) સાથે મળીને સુરતમાં એક કોચિંગ કેમ્પ કરવાના છીએ. આ માટે અમે પ્લાન બનાવી રહ્યા છીએ. અમારા આ પ્લાનિંગમાં જેટલું થશે તેટલું કરીશું. એક નાના બાળકો હોય છે, જેઓ જ્યારે ક્રિકેટ રમવાનું શરૂ કરે છે. સુરતમાં પણ હાલ ઘણી જગ્યાએ ક્રિકેટ કોચિંગ ક્લાસ ચાલી રહ્યા છે પણ અમે તે કોચિંગ ક્લાસથી અલગ કરવા જઈ રહ્યા છીએ.અને એની માટે અમારી સૌથી પેહલો પ્લાન ગ્રાઉન્ડ માટેનો છે. અને તે મળી જશે. અને હાલ આપણા શહેરમાં જે પણ ક્રિકેટ કોચિંગ ક્લાસ ચાલી રહ્યા છે ત્યાં આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ ક્રિકેટ કેમ્પમાં વીડિયો એનાલિસિસની વ્યવસ્થાઓ નથી. આ તેમનો પ્લાન છે અને આ કરવાથી જે છોકરાઓ ક્રિકેટની ટ્રેનિંગ લેશે. તેમનો વીડિયો જોવામાં આવશે અને એમાંથી જેતે ખિલાડી પોતાને પણ જોઈ શકશે અને સહજાનંદ વિશ્વનાથ પોતાના અનુભવોથી તે છોકરાઓને ક્રિકેટની તાલીમ આપશે.

સહજાનંદ વિશ્વનાથની કારકિર્દી પૂર્વ ક્રિકેટર સદાનંદ વિશ્વનાથ (Sadanand Viswanath former cricketer) વર્ષ 1983થી લઇ 1988 સુધી ભારતીય ક્રિકેટ જગતનો જાણીતો ચહેરો હતા. જેમજેમ સમય પસાર થતો ગયો તેમતેમ આ ચેહરો પણ ખોવાતો ગયો પણ આજે ફરી પાછી આ ચહેરો લોકોની સમક્ષ આવ્યો છે. તેઓ 80ના દાયકાના મધ્યમાં વિશ્વ ક્રિકેટમાં ભારતની ટોચની ઊંચાઈ દરમિયાન વિશ્વને પોતાની ઓળખ આપી હતી. એ સમય દરમિયાન પ્રથમ ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. તેમણે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ ટુર્નામેન્ટની વર્લ્ડ ચેમ્પિયનશિપ અને તેના દિવસો પછી 1985માં શારજાહમાં રોથમન્સ કપ જીત્યો હતો. જોરદાર વિજય બાદ ભારત એક પણ મેચ હાર્યું નહતું. એક આક્રમક વિકેટકીપર, બેટ્સમેન, વિશ્વનાથને બેંગલોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર એલન બોર્ડરના ઑસ્ટ્રેલિયનો સામે ફટકારેલી સખત છગ્ગા માટે યાદ કરવામાં આવે છે.

એક મુખ્ય કારણ સ્ટમ્પ પાછળ સદાનંદ વિશ્વનાથની હાજરી હતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિશ્વનાથનો કાર્યકાળ ટૂંકો હતો, પરંતુ જ્વલંત વિકેટકીપરને બધાએ નોંધ્યું છે. સુનિલ ગાવસ્કરે તેમના પુસ્તક 'વન-ડે વંડર્સ માં ટિપ્પણી કરી હતી કે, લોકો અન્ય ઘણા કારણો વિશે વાત કરશે કે, શા માટે અમે 1985માં ક્રિકેટની વર્લ્ડ ચેમ્પિયનશિપ જીત્યા પરંતુ એક મુખ્ય કારણ સ્ટમ્પ પાછળ સદાનંદ વિશ્વનાથની (Sadanand Viswanath former cricketer) હાજરી હતી.

ભારતીય અમ્પાયરોની એલિટ પેનલમાં બઢતી આપવામાં આવી હતી હાલમાં સદાનંદ વિશ્વનાથ કુંડલાહલ્લી, બેંગલોરમાં યુવાન છોકરાઓ માટે તેમની ખાનગી ક્રિકેટ કોચિંગ એકેડમી ચલાવે છે અને રણજી ટ્રોફી માટે ભારતની સ્થાનિક ચેમ્પિયનશિપમાં અમ્પાયર તરીકે રમતને નજીકથી અનુસરે છે. તાજેતરમાં તેમને (Sadanand Viswanath former cricketer) ભારતીય અમ્પાયરોની એલિટ પેનલમાં બઢતી આપવામાં આવી હતી, જે તેમને ઉચ્ચસ્તર પર અમ્પાયર કરવા માટે પાત્ર બનાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.