- સુરતમાં કોરોનાનો કહેર યથાવત
- સુરતમાં ઓક્સિજનની અછત સર્જાઇ
- ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કરી વિનંતી
સુરતઃ શહેરમાં એક બાજુ કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે બીજી બાજુ ઓક્સિજનની અછતની સમસ્યા સર્જાઇ છે ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉદ્યોગોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉદ્યોગોમાં પડેલા ઓક્સિજનના બાટલા ચેમ્બરને આપે જેથી બાટલાનો ઉપયોગ કરી ઓક્સિજન હોસ્પિટલમાં પહોંચાડી શકાય.
આ પણ વાંચોઃ વડનગરમાં 2 કરોડના ખર્ચે 1,500 કિલો ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ કરાયો શરૂ
સમગ્ર શહેર અને દક્ષિણ ગુજરાતમાં ઓક્સિજનની અછત ઊભી થઈઃ દિનેશ નાવડિયા
આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર શહેર અને દક્ષિણ ગુજરાતમાં ઓક્સિજનની અછત ઊભી થઈ છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની સુરત શાખાએ કલેક્ટર ધવલ પટેલને પત્ર લખીને સારવાર કરતી તમામ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય શોર્ટેજ દૂર કરવા માટે અપીલ કરી છે. ઘરે ઘરે ઓક્સિજન બાટલાની આવશ્યકતા ઉભી થઇ છે ત્યારે સુરત ચેમ્બર ઓફ કોમર્સ સમસ્યા દૂર થાય આ માટે કટિબદ્ધ બન્યું છે.
આ પણ વાંચોઃ કોવિડ-19ની પરિસ્થિતિમાં મેડિકલ ઓક્સિજનની માગને પહોંચી વળવા જાહેરનામું
હોસ્પિટલોમાં ઓક્સિજનની સપ્લાય કરવામાં મદદગાર થઈ શકીએ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના ખાલી બાટલા ઉપલબ્ધ હોવાની પુરેપુરી શક્યતાઓ છે. આ તમામ ઇન્ડસ્ટ્રીને તેમણે વિનંતી કરી હતી કે, જો તેમની પાસે આ પ્રકારના ઇન્ડસ્ટ્રીયલ ખાલી બાટલા ઉપલબ્ધ હોય તો તેઓ તાત્કાલિક ચેમ્બરનો સંપર્ક કરે જેથી આ બાટલા થકી તેઓ હોસ્પિટલોમાં ઓક્સિજનની સપ્લાય કરવામાં મદદરૂપ થઈ શકે.