ETV Bharat / state

ખટોદરા કસ્ટડીયલ ડેથ કેસમાં મૃતકના ભાઈએ મીડિયા સમક્ષ આપવીતી વર્ણવી

author img

By

Published : Jun 28, 2019, 2:55 PM IST

ખટોદરા કસ્ટડીયલ ડેથ કેસ

સુરતઃ ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલાને આજે દોઢ માસ જેટલો સમય વીતી ચુક્યો છે. ત્યારે આ કેસના આરોપીને પકડી પાડવામાં સુરત પોલીસ નિષ્ફળ નીવડી છે. જે સાબિત કરે છે કે, સુરત પોલીસ આરોપી પોલીસ કર્મચારીઓને છાવરી રહી છે. બીજી તરફ આ ઘટનાના સાક્ષી અને મૃતક ઓમ પ્રકાશના ભાઈ રામ ગોપાલ પાંડેના ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે અને જેલમુક્ત થતા રામગોપાલ પાંડેએ ખટોદરા પોલીસના રાક્ષસી કૃત્ય અંગે મીડિયા સમક્ષ આપવીતી વર્ણવી હતી.

મહત્વનું છે કે, રામગોપાલે સુરત કોર્ટમાં 164 મુજબનું નિવેદન આપ્યું છે અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ખટોદરા પોલીસ મથકના કુલદીપસિંહ સોલંકીની પણ સમગ્ર કેસમાં ભૂંડી ભૂમિકા છે. એટલું જ નહીં ડી-સ્ટાફના અન્ય બે પોલીસ કર્મચારીઓના અમાનવીય વ્યહાર અંગે પણ તેમણે સમગ્ર હકીકત જણાવી છે.

ખટોદરા કસ્ટડીયલ ડેથ કેસમાં રામગોપાલે મીડિયા સમક્ષ આપવીતી વર્ણવી

સમગ્ર રાજ્યને હચમચાવનાર સુરત ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલમાં જેલમાં બંધ રામગોપાલ પાંડેને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે. રામગોપાલ પાંડે ખટોદરા કસ્ટડીયલ ડેથમાં મૃત્યુ પામેલ ઓમ પ્રકાશ પાંડેનો ભાઈ છે અને સમગ્ર કેસમાં ફરિયાદી તરીકે છે. છેલ્લા એક માસથી ઘરફોડ ચોરીના આરોપસર રામગોપાલ પાંડે સુરતની લાજપોર જેલમાં બંધ હતો. જો કે, બાદમાં કસ્ટડીયલ ડેથના ત્રણ જેટલા આરોપીઓ સામેથી હાજર થયા હતા અને લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં આરોપી રામગોપાલ પાંડેના જીવને જોખમ હોવાની અરજીના આધારે તેને ભરૂચ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જેલમાં બંધ રામગોપાલ પાંડે એ જામીન માટે ગુજરાત નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી અને તેની જામીન અરજી મંજુર થતા જેલમુક્ત થયો હતો.

જેલમાંથી મુક્ત થતા રામગોપાલ પાંડેએ ખટોદરા પોલીસના વરવા ચહેરાનો પણ ચિતાર આપ્યો છે. પાંડેએ મીડિયા સાથેની વાતચીતમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે કે, ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલામાં ડી-સ્ટાફના શૈલેષ અને રાજેશ નામના પોલીસ કર્મચારીઓ પર સંડોવણીનો આરોપ મૂક્યો છે. પોતાના ભાઈ ઓમ પ્રકાશને ગામથી આવ્યાને એક જ દિવસ થયો હતો ત્યાં ખટોદરા પોલીસના કર્મચારીઓએ ખોટી રીતે અટકાયત કરી હતી. જ્યાં બાદમાં પોતાને પણ પોલીસ મથકે લઇ આવી માર માર્યો હતો.

રામગોપાલે વધુમાં જણાવ્યું હતું કે, ડી-સ્ટાફના કર્મચારીઓએ ઓમ પ્રકાશને નિર્વસ્ત્ર કરી બેટ અને પટ્ટાથી ઢોર માર માર્યો હતો. બાદમાં દાંતના ભાગે કરંટ પણ આપવામાં આવ્યો હતો. તેની નજર સમક્ષ જ મોઢામાં કપડાંના ડુચા નાખી દરરોજ માર મારવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા પીવા માટે પાણી અને જમવા સુધી આપવામાં આવ્યું ન હતું. ઓમ પ્રકાશને ઢોર માર મારતા તેણે પોલીસ મથકમાં જ દમ તોડી દીધો હતો. જ્યારે પોતાને ઇજા થઇ હોવા છતાં હોસ્પિટલ સારવાર માટે ન લઈ જવાયો હતો. પોલીસ દ્વારા અમાનવીય કૃત્ય કરી શરીર પર પેટ્રોલ છાંટવાનીઓની પણ ધમકી આપવામાં આવતી હતી.

સાથે આ કેસમાં ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડ થયેલા કુલદીપસિંહ સોલંકીના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. મહત્વ નું છે કે. ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલામાં કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. જેમાં પીઆઇ એમ.બી.ખીલેરી, પીએસઆઇ સી.પી.ચૌધરી સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જે પૈકી પીએસઆઇ સીપી ચૌધરી સહિત ત્રણ લોકો સામેથી સુરત ક્રાઈમ બ્રાંચમાં હાજર થયા હતા. જ્યારે પીઆઇ સહિત કુલ પાંચ આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે.

ઉલ્લેખનીય છે કે, ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલે સુરત પોલીસ હમણાં સુધી એક પણ આરોપીને પકડી શકી નથી જેથી સુરત પોલીસનું નાક કપાઈ ગયું છે. ત્યારે સુરત પોલીસ આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય છે તે વાતમાં કોઈ બેમત નથી. સુરત પોલીસ પોતાની ચામડી બચાવવા કાગળ પર તપાસ કરી રહી છે અને અધિકારીઓને રીતસરની છાવરી રહી છે.

R_GJ_05_SUR_27JUN_CUSTODIAL_VIDEO_SCRIPT

Feed by FTP


સુરત : ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલાને આજે દોઢ માસ જેટલો સમય વીતી ચુક્યો છે ,ત્યારે કસ્ટડીયલ ડેથ ઘટના માં આરોપી પોલીસ કર્મચારીઓને ઝડપી પાડવામાં સુરત પોલીસ નિષ્ફળ નીવડી છે.જે સાબિત કરે છે કે સુરત પોલીસ આરોપી પોલીસ કર્મચારીઓ ને છાવરી રહી છે..બીજી તરફ આ ઘટના નો સાક્ષી અને મૃતક ઓમ પ્રકાશ ના ભાઈ રામ ગોપાલ પાંડે ના ગુજરાત હાઈકોર્ટ માંથી જામીન મળ્યા છે.જ્યાં આજ રોજ જામીન પર જેલમુક્ત થતા રામગોપાલ પાંડેએ  ખટોદરા પોલીસ ના રાક્ષસી કૃત્ય અંગે મીડિયા સમક્ષ આપવીતી વર્ણવી છે..

મહત્વ નું છે કે રામગોપાલે સુરત કોર્ટમાં 164 મુજબનું  નિવેદન નોંધાવ્યું છે અને મીડિયા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું છે કે  ખટોદરા પોલીસ મથક ના કુલદીપસિંહ સોલંકી ની પણ સમગ્ર કેસમાં ભૂંડી ભૂમિકા  છે.એટલું જ નહીં ડી- સ્ટાફના અન્ય બે પોલીસ કર્મચારીઓના અમાનવીય વ્યહાર અંગે પણ તેણે સમગ્ર હકીકત જણાવી છે.

સમગ્ર રાજ્યમાં હચમચાવનાર સુરત ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલામાં જેલમાં બંધ રામગોપાલ પાંડે ને ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળ્યા છે.રામગોપાલ પાંડે  ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલામાં મૃતક ઓમ પ્રકાશ પાંડે નો ભાઈ છે અને સમગ્ર કેસમાં ફરિયાદી તરીકે છે.છેલ્લા એક માસથી ઘરફોડ ચોરીના આરોપસર રામગોપાલ પાંડે સુરત ની લાજપોર જેલમાં બંધ હતો.જો કે બાદમાં કસ્ટડીયલ ડેથના ત્રણ જેટલા આરોપીઓ સામેથી હાજર થયા હતા અને બાદમાં લાજપોર જેલ ખાતે તેઓને મોકલી આપવામાં આવ્યા હતા. જ્યાં આરોપી રામગોપાલ પાંડે ના જીવને જોખમ હોવાની અરજીના આધારે તેને ભરૂચ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.જેલમાં બંધ રામગોપાલ પાંડે એ જામીન માટે ગુજરાત નામદાર હાઇકોર્ટ માં અરજી કરી હતી અને તેની જામીન અરજી મંજુર થતા આજ રોજ તે જેલમુક્ત થયો હતો.

જેલમુક્ત થયેલા  રામગોપાલ પાંડે એ ખટોદરા પોલીસ ના વરવા ચહેરા નો પણ ચિતાર આપ્યો છે.તેણે મીડિયા સાથેની વાતચીતમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે.ખટોદરા કસ્ટડીયલ  ડેથ મામલા માં તેણે ડી- સ્ટાફ ના શૈલેષ અને રાજેશ નામના વધુ પોલીસ કર્મચારીઓ સંડોવણી હોવાનો આરોપ મૂક્યો છે.રામગોપાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે,પોતાના ભાઈ ઓમ પ્રકાશ ને ગામથી આવ્યા ને એક જ દિવસ થયો હતો...જ્યાં ખટોદરા પોલીસ ના કર્મચારીઓએ ખોટી રીતે અટકાયત કરી હતી.જ્યાં બાદમાં પોતાને પણ પોલીસ મથકે લઇ આવી માર માર્યો હતો..

મીડિયા સાથેની વાતચીતમાં રામગોપાલે વધુમાં જણાવ્યું હતું કે,પોલીસ દ્વારા ઓમ પ્રકાશ ને બેટ અને પટ્ટા થી ઢોર માર મારવામાં આવ્યો હતો.ડી - સ્ટાફ ના કર્મચારીઓએ નિર્વસ્ત્ર કરી ફટકાર્યા હતા.જ્યાં બાદમાં દાંત ના ભાગે કરંટ પણ આપવામાં આવ્યો હતો.નજર સમક્ષ જ મોઢામાં કપડાં ન દુનચા નાંખી રોજે- રોજ માર મારવામાં આવ્યો હતો.પોલીસ કર્મચારીઓ દ્વારા પીવા માટે પાણી અને જમવા સુધી આપવામાં આવ્યું ન હતું.ઓમ પ્રકાશ ને ઢોર માર મારતા તેણે પોલીસ મથકમાં જ દમ તોડી દીધો હતો.જ્યારે પોતાને ઇજા થઇ હોવા છતાં હોસ્પિટલ સારવાર માટે ન લઈ જવાયો હતો.પોલીસ દ્વારા અમાનવીય કૃત્ય કરી શરીર પર પેટ્રોલ છાંટવાની ઓન ધમકી આપવામાં આવતી હતી.

સુરત ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલામાં રામગોપાલ પાંડે એ કોર્ટમાં 164 મુજબનું નિવેદન પણ નોંધાવ્યું છે.જેમાં મીડિયા સાથે ની વાતચીતમાં તેણે કસ્ટડીયલ ડેથ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલ સસ્પેન્ડ થયેલા કુલદીપસિંહ સોલંકી ના નામનો પણ ઉલ્લેખ કર્યો છે...દરમ્યાન આજ રોજ જેલમુક્ત થયેલા રામગોપાલ પાંડે એ ખટોદરા પોલીસ મથકના વધુ બે પોલીસ કર્મચારીઓ ના નામ જણાવતા વધુ એક ઘટસ્ફોટ થયો છે.જેમાં શૈલેષ રાવલ અને રાજેશ નામના પોલીસ કર્મચારી ની સંડોવણી હોવાનો આરોપ મૂક્યો છે.મહત્વ નું છે કે ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલામાં કુલ આઠ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.જેમાં પીઆઇ એમ.બી.ખીલેરી ,પીએસઆઇ સી.પી.ચૌધરી સહિત ના કર્મચારીઓ નો સમાવેશ થાય છે..જે પૈકી પીએસઆઇ સીપી ચૌધરી સહિત ત્રણ લોકો સામેથી સુરત ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયા હતા.જ્યારે પીઆઇ સહિત કુલ પાંચ આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલે સુરત પોલીસ હમણાં સુધી એક પણ આરોપી ને પકડી શકી નથી.ખટોદરા કસ્ટડીયલ ડેથ બાદ સુરત પોલીસ નું નાક કપાઈ ગયું છે ...ત્યારે સુરત પોલીસ આરોપીઓને ફક્ત ને ફક્ત બચાવવાનો પ્રયાસ કરી રહી હોય ,તે વાતમાં પણ કોઈ બેમત નથી...સુરત પોલીસ પોતાની ચામડી બચાવવા કાગળ પર તપાસ કરી રહી છે અને અધિકારીઓ ને રીતસરની છાવરી રહી છે.ખટોદરા કસ્ટડીયલ ડેથ મામલે જે પ્રકારે સુરત પોલીસ ની તપાસ થઈ રહી છે તે સાબિત કરે છે કે આરોપી પોલીસ કર્મચારીઓનો બચાવ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે.જો કે જે પ્રકારે રામગોપાલ પાંડે એ વધુ બે આરોપીઓના નામ ની હકીકત જણાવી છે ,ત્યારે તપાસ ક્યાં પ્રકારે થાય છે તે પણ જોવું મહત્વનું બની રહે છે ..

બાઈટ :રામગોપાલ પાંડે( મૃતક ઓમ પ્રકાશ નો ભાઈ અને ફરિયાદી)



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.