ETV Bharat / state

પોલીસ મહાનિરીક્ષક કે.જી.ભાટીના પાર્થિવ દેહને એમ્બાલ્મીંગ પ્રક્રિયા દ્વારા છ દિવસ સુધી સાચવવામાં આવ્યા

author img

By

Published : Jan 21, 2021, 7:34 AM IST

પોલીસ મહાનિરીક્ષક કે.જી.ભાટીના પાર્થિવ દેહને એમ્બાલ્મીંગ પ્રક્રિયા દ્વારા છ દિવસ સુધી સાચવવામાં આવ્યા
પોલીસ મહાનિરીક્ષક કે.જી.ભાટીના પાર્થિવ દેહને એમ્બાલ્મીંગ પ્રક્રિયા દ્વારા છ દિવસ સુધી સાચવવામાં આવ્યા

રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને પોલીસ મહાનિરીક્ષક સ્વ. કે.જી.ભાટી ના પાર્થિવ દેહને અત્યાધુનિક એમ્બાલ્મીંગ પ્રક્રિયા દ્વારા છ દિવસ સુધી તેના મૂળભૂત સ્વરૂપમાં અંતિમ દર્શન સુધી સાચવવા આવ્યા હતા. ગુજરાતમાં પ્રથમવાર કોઈ સિનિયર IPS અધિકારીના પાર્થિવ દેહને આ પ્રક્રિયા દ્વારા 6 દિવસ સુધી સાચવવામાં આવ્યા છે. એમ્બાલ્મીંગ પદ્ધતિ માત્ર સુરતના ડૉ. વિનેશ શાહ અને તેમની ટીમ દ્વારા આખા ગુજરાતમાં કરવામાં આવે છે.

  • ગુજરાતના સિનિયર IPS અધિકારી કેસરી સિંહ ભાટીનું દુઃખદ નિધન
  • IPS અધિકારીના પાર્થિવ દેહને એમ્બાલ્મીંગ પ્રક્રિયા દ્વારા સાચવવાનો નિર્ણય
  • જેના કારણે IPS અધિકારીના પરિવારજનો તેમના અંતિમ દર્શન કરી શક્યા


સુરત : રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી અને પોલીસ મહાનિરીક્ષક સ્વ. કે.જી.ભાટી ના પાર્થિવ દેહને અત્યાધુનિક એમ્બાલ્મીંગ પ્રક્રિયા દ્વારા છ દિવસ સુધી તેના મૂળભૂત સ્વરૂપમાં અંતિમ દર્શન સુધી સાચવવા આવ્યા હતા. ગુજરાતમાં પ્રથમવાર કોઈ સિનિયર IPS અધિકારીના પાર્થિવ દેહને આ પ્રક્રિયા દ્વારા 6 દિવસ સુધી સાચવવામાં આવ્યા છે. એમ્બાલ્મીંગ પદ્ધતિ માત્ર સુરતના ડૉ. વિનેશ શાહ અને તેમની ટીમ દ્વારા આખા ગુજરાતમાં કરવામાં આવે છે.

પ્રશંસાપત્ર એનાયત
પ્રશંસાપત્ર

મૃતદેહને ખાસ એમ્બાલ્મીંગ પ્રક્રિયા દ્વારા સાચવવાનો નિર્ણય

હાલમાં જ ગુજરાતના સિનિયર IPS અધિકારી કેસરી સિંહ ભાટીનું દુઃખદ નિધન થયું હતું. તેમના પરિવારજનો દેશ અને વિદેશમાં રહે છે. જેથી તેમની અંતિમ ક્રિયામાં તમામ પરિવારના સભ્યો અને પરિવારજનો હાજર રહી શકે આ માટે પરિવાર દ્વારા તેમના મૃતદેહને ખાસ એમ્બાલ્મીંગ પ્રક્રિયા દ્વારા સાચવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિ માત્ર સુરતના ડૉ. વિનેશ શાહ દ્વારા કરવામાં આવે છે. આવી પદ્ધતિ કરનાર પીક્ષી કંપની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. આ પદ્ધતિ બાદ છ દિવસ સુધી સ્વર્ગીય કેસરી સિંહ ભાટીના પાર્થિવ દેહને સાચવી રાખવામાં આવ્યો હતો. જેથી તેમના અંતિમ દર્શન તેમના પરિવારજનો દેશ-વિદેશથી આવીને કરી શક્યા હતા.

ડૉ. વિનેશ શાહ તથા ડૉ.મેઘા ગૌરાંગ પટેલને  IPSના હસ્તે પ્રશંસાપત્ર એનાયત
ડૉ. વિનેશ શાહ તથા ડૉ.મેઘા ગૌરાંગ પટેલને IPSના હસ્તે પ્રશંસાપત્ર એનાયત

ડૉ. વિનેશ શાહ અને તેમની ટીમને પ્રશંસાપત્ર એનાયત કરાયા

આ ખાસ પદ્ધતિના કારણે જે રીતે સિનિયર આઇપીએસ અધિકારીના પાર્થિવ દેહને 6 દિવસ સાચવવામાં આવ્યા તેના બદલ પીક્ષી કંપનીના ડૉ. વિનેશ શાહ તથા ડૉ.મેઘા ગૌરાંગ પટેલને અમદાવાદ જિલ્લાના પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ IPSના હસ્તે પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ખાસ એમ્બાલ્મીંગ (એક રાસાયણિક પ્રક્રિયા) ના કારણે અત્યાર સુધી સેંકડો લોકો પોતાના પરિજનના અંતિમ દર્શન કરી શક્યા છે.

શુ છે આ પ્રક્રિયા ?

આ એક રાસાયણિક પ્રક્રિયા છે. જેમાં ઈથેનોલ, આઈસોપ્રોફાઈલ અને ગ્લિસરોલ સહિતના અલગ - અલગ કેમિકલનું ઈન્જેકશન મૃતદેહને આપવામાં આવે છે. જેને કારણે એક મહિના કે, તેથી વધુ સમય સુધી મૃતદેહ યથાસ્થિતિમાં સચવાયેલો રહે છે. આ પ્રક્રિયા કરવામાં 20 મિનિટથી માંડીને બે કલાક સુધીનો સમય લાગે છે અને મૃત્યુના 8 કલાકની અંદર મૃતદેહ પર આ રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પરિણામ વધુ અસરકાર રહે છે અને આ સમગ્ર પ્રક્રિયા પાછળ માત્ર સાતથી દસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે.

પોલીસ મહાનિરીક્ષક કે.જી.ભાટીના પાર્થિવ દેહને એમ્બાલ્મીંગ પ્રક્રિયા દ્વારા છ દિવસ સુધી સાચવવામાં આવ્યા

વિદેશીઓના મૃતદેહ પણ આ પદ્ધતિ થકી તેમના પરિવાર પાસે મોકલવામાં આવ્યા

આ અંગે ફોરેન્સિક એક્સપર્ટ અને આ પ્રક્રિયા કરનાર વિનેશ શાહે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયાના કારણે એક મહિના સુધી મૃતદેહને સાચવી શકાય છે. આ ખૂબ જ સુરક્ષિત છે અને તેમાં જંતુ લાગતા નથી અને દુર્ગંધ પણ આવતી નથી. ખાસ કરીને કેટલાંક લોકો જ્યારે વિદેશથી આવતા હોય છે. ખાસ કરીને સારવાર માટે અથવા તો ટુરિસ્ટ વિઝા પર અને આકસ્મિક રીતે તેમનું મોત થાય ત્યારે તેમના મૃતદેહને દેશમાં મોકલવા માટે આ પ્રક્રિયાનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે. ગુજરાતમાં માત્ર અમારી ટીમ દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવે છે. અમે હાલ જ મુંબઈમાં પણ આ પદ્ધતિની શરૂઆત કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વિદેશીઓના મૃતદેહ પણ આ પદ્ધતિ થકી તેમના પરિવારની પાસે મોકલવામાં આવ્યા છે અને તેઓ તેમના અંતિમ દર્શન કરી શક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.