ETV Bharat / state

સુરત ગ્રામ્યમાં આજે વધુ 748 લોકોએ કોરાનાની રસી લીધી

author img

By

Published : May 23, 2021, 8:46 PM IST

સુરત ગ્રામ્યમાં આજે વધુ 748 લોકોએ કોરાનાની રસી લીધી
સુરત ગ્રામ્યમાં આજે વધુ 748 લોકોએ કોરાનાની રસી લીધી

કોરોના સંક્રમણને અટકાવવા માટે રસીકરણ માટે વધારવામાં આવ્યું છે, ત્યારે સુરત ગ્રામ્યમાં આજે રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા 748 લોકોને રસી આપવામાં આવી છે. જેમાં 60 વર્ષથી ઉપરના 87 લોકોએ રસીનો પહેલો અને 39 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે.

  • સુરત ગ્રામ્યમાં 748 લોકોનું રસીકરણ
  • 87 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો
  • 39 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો

સુરતઃ કોરાના વાયરસનું સંક્રમણ અટકે અને કોરાના વાઇરસ સામે રક્ષણ મળી રહે તે માટે સુરત ગ્રામ્ય વિસ્તારમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રસીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારમાં વધુ 748 લોકોને કોરાનાની રસી મૂકવામાં આવી હતી. જેમાં આજે વધુ 60 વર્ષથી ઉપરના 87 લોકોએ પહેલો ડોઝને 39 વ્યક્તિઓએ રસીનો બીજો ડોઝ લીધો હતો, જ્યારે 45થી59 ઉંમરના 414 લોકોએ રસીનો ફર્સ્ટ ડોઝ જ્યારે 187 લોકોએ બીજો ડોઝ લીધો હતો અને 21 ફ્રન્ટલાઈન વર્કરને રસીનો પહેલો ડોઝ લીધો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં 80 સેન્ટરો ઉપર વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે

આજે સૌથી વધુ રસી ઓલપાડ તાલુકામાં આપવામાં આવી

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે રવિવારે ચોર્યાસી 87, કામરેજ 247, પલસાણા 29, ઓલપાડ 251, બારડોલી 50, માંડવી 0, માંગરોળ 49, ઉમરપાડા 0 અને મહુવામાં 35 લોકોને કોરાના રસી મુકવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.