અમિત શાહે સભામાં વારંવાર કોંગ્રેસીયા કહીને કોંગ્રેસને લીધી આડેહાથે

author img

By

Published : Nov 24, 2022, 10:15 AM IST

અમિત શાહે સભામાં વારંવાર કોંગ્રેસીયા કહીને કોંગ્રેસને લીધી આડેહાથે

ચૂંટણીને લઈને સુરત જિલ્લાના કડોદરા ખાતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સભામાં (Amit Shah visits Surat) કોંગ્રેસને આડેહાથે લીધી હતી. અમિત શાહે સભામાં વારંવાર કોંગ્રેસીયા કહીને (Amit Shah attacked Congress) સંબોધન કર્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. (Gujarat Assembly Election 2022)

સુરત : બારડોલી વિધાનસભાના કડોદરા ખાતે સરદાર (Surat assembly seat) પટેલને યાદ કરી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આજ સુધી કોંગ્રેસનો કોઈ નેતા સરદાર પટેલના સ્ટેચ્યુને એક ફૂલ પણ નથી ચઢાવ્યું. પોતાના પરિવારથી આગળ કોંગ્રેસે કઈ કર્યું જ નથી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે દેશના લોકતંત્રને પરિવારતંત્રમાં બદલવાનું કામ કર્યું છે. (Amit Shah attacked Congress)

કડોદરા ખાતે અમિત શાહે સભામાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

વારંવાર કોંગ્રેસીયા કહીને સંબોધન કર્યું પલસાણા તાલુકાના કડોદરા ખાતે જાહેર સભામાં અમિત શાહે કોંગ્રેસને વારંવાર કોંગ્રેસીયા કહીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસીયાઓ ચૂંટણી આવે ત્યારે જ સરદારનું નામ વટાવવાનું કામ કરે છે. સરદારને ભુલાવવા કોંગ્રેસે કોઈ કસર છોડી નથી. અંતિમ સંસ્કારથી લઈ સરદાર પટેલને ભારત રત્ન ન મળે ત્યાં સુધી ચિંતા ગાંધી નહેરુ પરિવારે કરી છે. તેમણે કોંગ્રેસને આડેહાથે લેતા જણાવ્યું કે, એક એવો ફોટો બતાવો જેમાં કોંગ્રેસના નેતાઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચરણમાં ફૂલ ચઢાવ્યા હોય. તમારે કોંગ્રેસના માધ્યમથી આગળ આવવું હોય તો મોટા મા બાપને ત્યાં જન્મ લેવું પડે. ભાજપમાં વ્યક્તિનું મેરીટ જોવાય છે, જ્યારે કોંગ્રેસમાં મા બાપ જોવાય છે. કોંગ્રેસે દેશના લોકતંત્રને પરિવારતંત્રમાં બદલવાનું કામ કર્યું છે. (Amit Shah sabha in Kadodara)

સુરતને ટૂંક સમયમાં મળશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુરત શહેરના વિકાસ અને વાતો કરતા જણાવ્યું કે સુરત 1995 પહેલા ગંદુ ગોબરુ શહેર હતું. આજે ભારતનું સૌથી સ્વચ્છ શહેર બની ગયું છે. કોંગ્રેસ સુરતમાં મેટ્રો ટ્રેન કે એરપોર્ટ બને એવું ઇચ્છતી જ ન હતી. કોંગ્રેસના શાસનમાં મેટ્રો માટે અનેક રજૂઆતો છતાં મંજૂરી આપી ન હતી. નરેન્દ્ર મોદી સરકારે મેટ્રોનું કામ શરૂ કરાવ્યું છે. સાથે સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળે તે માટેની તજવીજ શરૂ કરી દીધી છે. તેમણે વિદેશમાં સ્થાયી થયેલા બારડોલીના NRIઓને ટૂંક સમયમાં સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ થશે તેવી હૈયા ધરપત આપી હતી. (Amit Shah visits Surat)

હિન્દુત્વ પર મતો માંગવાનો પ્રયાસ સભામાં તેમણે અયોધ્યામાં રામ મંદિર, કાશ્મીરમાં 370ની નાબુદી, કાશી વિશ્વનાથ કોરિડોર સહિતના કામો ગણાવી હિન્દુત્વનો કાર્ડ ખેલવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વારંવાર કોંગ્રેસની મતબેંક કોણ છે તે તમને ખબર છે ને? એવા પ્રશ્નો પૂછ્યા હતા. આ ઉપરાંત 1995 પહેલા ગુજરાતમાં લાગતા કરફ્યુ અને રમખાણો પણ લોકોને યાદ કરાવ્યા હતા. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.