ETV Bharat / state

Grishma Vekariya Murder Case: ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટમાં ડૉક્ટરની જુબાની લેવામાં આવી, ગુરુવારથી પંચોની જુબાની લેવામાં આવશે

author img

By

Published : Feb 28, 2022, 8:08 PM IST

Grishma Vekariya Murder Case: ગ્રીષ્મ હત્યા કેસ મામલે કોર્ટમાં ડૉક્ટરની જુબાની લેવામાં આવી, ગુરુવારથી પંચોની જુબાની લેવામાં આવશે
Grishma Vekariya Murder Case: ગ્રીષ્મ હત્યા કેસ મામલે કોર્ટમાં ડૉક્ટરની જુબાની લેવામાં આવી, ગુરુવારથી પંચોની જુબાની લેવામાં આવશે

ગ્રીષ્મા હત્યા કેસ (Grishma Vekariya Murder Case)મામલે આજે કોર્ટમાં ફરી આરોપી ફેનિલને હાજર કરવામાં આવ્યો હતો. આજે કોર્ટમાં ગ્રીષ્માનું પી.એમ કરનાર ડૉક્ટર અને ફેનિલ પોતાના હાથમાં મારેલા ઘાનું સારવાર કરનાર ડૉક્ટરની જુબાની લેવામાં આવી હતી. હવે પછી ગુરુવારથી પંચોની જુબાની લેવામાં આવશે.

સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે કોર્ટમાં(Grishma Vekariya Murder Case) ફરી આરોપી ફેનિલને હાજર કરવામાં આવ્યો હતો. આજે કોર્ટમાં ગ્રીષ્માનું પોસમોટમ કરનાર ડૉક્ટર અને ફેનિલ પોતાના હાથમાં મારેલા ઘાની સારવાર કરનાર ડૉક્ટરની જુબાની લેવામાં આવી હતી. એમાં આજે તેના માનસિકને લઈને પણ કોર્ટ દ્વારા(Surat fast track court) આરોપો ફેનિલને 15 જેટલા સવાલો કરવામાં આવ્યા હતાં. જે તેણે AK47 અને ચાકુને લઈને કરવામાં આવ્યાં હતાં. હાલ તો નામદાર કોર્ટે આ મામલે ગુરુવારથી પંચોની જુબાની લેવામાં આવશે.

ડૉક્ટરની જુબાની લેવામાં આવી

આરોપી ફેનિલ અનસાઉન્ડ માઈન્ડનોઃ ફેનિલના વકીલ

ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ.કે.વ્યાસના કોર્ટમાં પ્રોકિશન નોંધવાની પ્રકિયા કરવામાં આવી. આ પ્રોકિશન નોંધવા પહેલા આરોપી તરફે વકીલે ક્રિમિનલ કલમ 328 હેઠળ એક અરજી આપીને એવું જણાવ્યું, કે આરોપી ફેનિલ અનસાઉન્ડ માઈન્ડનો(has an unsound mind)છે તેમ દેખાઈ રહ્યું છે. કારણકે તેણે પ્રોકિશનના કેસ મુજબ નેટ મુજબ AK47 ગન ક્યાં મળે અને તેનો ઉપયોગ શું થાય તે સર્ચ કર્યું હતું. એટલે એના ઉપરથી દેખાઈ આવે છે. આરોપી અનસાઉન્ડ માઈન્ડનો છે. એના ટ્રાય શરૂ કર્તા પેહલા તેણે સાઇક્રેટિસ પાસે ટ્રીકમેન્ટ અને સર્ટિફિકેટ લેવું જોઈએ.

જોકે AK47 સર્ચ કર્યું એવું કબૂલ્યું

વધુમાં જણાવ્યુ કે તેના અરજી સામે પ્રોસિક્યૂશને વિરોધ કરતા જણાવ્યું કે આ અરજી માત્રને માત્ર ટ્રાયલમાં વધુ સમય લાગે તેની માટેનો છે. તેનું કારણ એક કે આ અરજી સાથે એવા કોઈ ડોક્યુમેન્ટ રજુ કર્યાં નથી. આરોપી ભૂતકાળમાં કોઈ માનસિક રોગથી પીડાતો હોય કે પછી અસ્વસ્થ હોય તેવા કોઈ પણ મેડિકલ પુરાવા રજૂ કર્યા નથી. જોકે AK47 સર્ચ કર્યું છે. એવું એ પોતે પણ કબૂલે છે. તો એ અસ્વસ્થ માનસિકતાને કારણે નથી. એ માનસિકતા ગુનાહિત માનસિકતા હતી. તેણે ફિલીપ કાર્ટ ઉપરથી ચાકુ ખરીદવાની કાર્યવાહી પણ કરી હતી. ત્યાર પછી ડિમાર્ટમાંથી પણ તેણે ચાકુ ખરીદ્યું હતું તે પુરાવો છે.

આ પણ વાંચોઃ Grishma Vekariya Murder Case : સુરત ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો

ત્રણ કલાક સુધી ડૉક્ટરોની જુબાની ચાલી

વધુમાં જણાવ્યું કે આ અરજી બાબતે જે CRPCમાં જોગવાઈ છે મુજબ નામદાર કોર્ટે ઇન્કવાયરી કરી અને મુખ્ય ન્યાયાધીશે આરોપીનો પોતાની ચેમ્બરમાં બોલાવી ફરિયાદીના મને અને આરોપીના વકીલને કેટલાક સવાલો કર્યા હતાં. આરોપીને પણ કેટલાક સવાલો કરવામાં આવ્યાં. એના હાથમાં શું થયું છે? તે પોતે કેમ નબળો ચાલે છે? જેલમાં શું ખાવાનું આપે છે? એ ક્યાંનો વતની છે? ક્યાં સુધી કોર્સ કર્યા છે?

ડૉક્ટરની જુબાની લેવામાં આવી

એ પ્રમાણે કાયદામાં કરેલ જોગવાઈ મુજબ પ્રીમિનલી ઇન્કવાયરી કોર્ટે કરી અને ત્યાર પછી કોર્ટે તારણ આપ્યું કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું દેખાતું નથી. એટલે નામદાર કોર્ટે ટ્રાયલ શરૂ કરવાનો આદેશ આપ્યો. ત્યાર બાદ પ્રોસિક્યૂશન તરફથી ગ્રીષ્માનું પી.એમ કરનાર ડૉક્ટરની જુબાની લેવામાં આવી. ત્યારબાદ આ બનાવમાં ફેનિલ જાતે પોતાના હાથમા ચાકુ માર્યું હતું તેની સારવાર કરનાર ડૉક્ટરની જુબાની લેવામાં આવી. ત્રણ કલાક સુધી ડૉક્ટરોની જુબાની ચાલી હતી. ઉલટતપાસ પણ ચાલી અને હવે પછી ગુરુવારે તારીખ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Grishma Last Seen at College CCTV : કોલેજમાં ગ્રીષ્માની છેલ્લી હાજરી સીસીટીવીમાં જોવા મળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.