ETV Bharat / state

મરકઝમાં હાજરી આપનાર આંધ્રપ્રદેશના 8 લોકોને સુરત ખાતે કોરોન્ટાઈન કરાયા

author img

By

Published : Apr 2, 2020, 10:49 PM IST

મરકઝમાં હાજરી આપનાર આંધ્રપ્રદેશના 8 લોકોને સુરત ખાતે ક્વોરન્ટાઈન કરાયા
મરકઝમાં હાજરી આપનાર આંધ્રપ્રદેશના 8 લોકોને સુરત ખાતે ક્વોરન્ટાઈન કરાયા

સુરતઃ શહેરમાં આંધ્રપ્રદેશના 8 લોકોને સુરત ખાતે કોરોન્ટાઈન કરાયા છે. સલાબતપુરા વિસ્તારની મસ્જિદમાં રોકાયા હતા. તમામ લોકોએ દિલ્હીની મરકઝમાં હાજરી આપી હતી. તંત્ર દ્વારા તમામ લોકોને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. અન્ય લોકોને શોધવા માટે પણ તંત્ર કામે લાગ્યું હતુ.

સુરતઃ શહેરમાં દિલ્લીના તબલગીના મજકતની આસપાસના વિસ્તારમાં રહેલા વધુ 196 લોકોના નામની યાદી સુરત પોલીસને મોકલવામાં આવી છે. સુરત પોલીસે વધુ સાત ટીમો બનાવી હતી.

મરકઝમાં હાજરી આપનાર આંધ્રપ્રદેશના 8 લોકોને સુરત ખાતે ક્વોરન્ટાઈન કરાયા
મરકઝમાં હાજરી આપનાર આંધ્રપ્રદેશના 8 લોકોને સુરત ખાતે ક્વોરન્ટાઈન કરાયા

સુરત ક્રાઇમ બ્રાન્ચ અને SOGની ટીમ તમામની શોધખોળ કરી રહી છે. તમામના મોબાઈલ નંબર નિઝામુદ્દીનના વિસ્તારમાં ટ્રેસ થયા હતા. તપાસ દરમિયન બહાર આવ્યું છે કે, હાલ તેઓ સુરતમાં નથી. મરકઝમાં આ તમામ લોકો ગયા હતા કે, નહીં તેની તકેદારીના ભાગરૂપે તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ 72 લોકોની યાદી સુરત મહાનગરપાલિકા અને પોલીસને સોંપવામાં આવી હતી. નિઝામુદ્દીન ખાતે મોબાઈલ ટાવરના આધારે મોબાઈલ નંબર ક્યાં નામે રજીસ્ટ્રેશન છે. તેના આધારે યાદી મોકલવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.