શિક્ષણે સેવા જ પણ કેટલાક લોકો માત્ર ડિગ્રી મેળવવા માટેનું જ ધ્યેય રાખતા હોય છે. આ વચ્ચે સુરતના એક મહિલા પ્રોફેસર એવા છે કે, જેમને પીએચડીની ડિગ્રી માટે એવો વિષય પસંદ કર્યો કે, જેનો સમાજને ફાયદો થાય. ડૉ.નિકિશા બી.જરીવાલા વાડિયા વિમેન્સ કોલેજના કેમ્પસમાં આવેલી શ્રીમતી તનુબેન એન્ડ ડો મનુભાઈ ત્રિવેદી કોલેજ ઓફ ઇન્ફોર્મેશન સાઇન્સ કોલેજમાં પ્રોફેસર છે. ત્યારે તેમણે પીએચડી માટે અંધજનોને ઉપયોગી નીવડી શકે એવો શોધ નિબંધ અને પ્રોજેક્ટ 'ડિઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઑફ ધી મોડલ ટુ ટ્રાન્સલીટરેટ ડિજિટલાઈઝ્ડ મલ્ટી લીંગવલ ટેક્સ્ટ ઈન ટુ બ્રેઇલ એન્ડ સ્પીચ-એન એડ ફોર વિઝ્યુઅલી ઈમ્પાયર્ડ પીપલ' પસંદ કર્યો હતો.
ડૉ. નિકિશા જરીવાલાએ તૈયાર કરેલો આ મોડલ વિશ્વ માટે એક નવો આવિષ્કાર સમાન છે. આ માટે તેમને સુરતની અંધજન શાળા ખાતે ખુબજ પરિશ્રમ કર્યો અને એવું મોડલ સાકાર કર્યું છે કે, જે અંધજન બાળકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. કારણ કે, આ એક જ મોડેલ થકી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના ટેક્સ્ટ બ્રેઇલ લીપીમાં કન્વર્ટ થઈ શકે છે, એટલું જ નહીં ટેક્સને ઓડિયોમાં પણ કન્વર્ટ કરે છે, સાથે જ ડ્રોઈંગ અને મેથેમેટિકલ ઈક્વેશન પણ બ્રેઇલ લીપીમાં કન્વર્ટ થઈ શકે છે.
સમાજ અને ખાસ કરીને અંધજનો માટે આ મોડલ આશીર્વાદ સમાન સાબિત થશે. ડો. નિકિશા જરીવાલાના આ મોડલની નોંધ બેંગલુરૂની ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર સોશિયલ અને ઇકોનોમીક રીફોરમે લઈને ડો. નિકિશા જરીવાલાને ડો. એપીજે અબ્દુલ કલામ લાઈફ ટાઈમ એચીવમેન્ટ નેશનલ એવૉર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે.