ETV Bharat / state

કોંગ્રેસે પ્રવીણ તોગડીયાના ભાઈને વરાછાથી ટિકીટ આપી મેદાનમાં ઊતાર્યાં, કામરેજમાં લડશે ખેડૂત પુત્ર

author img

By

Published : Nov 5, 2022, 7:04 PM IST

કટ્ટર હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડીયાના ભાઈને કોંગ્રેસે વરાછાથી ટિકીટ આપી, કામરેજમાં લડશે ખેડૂત પુત્ર
કટ્ટર હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડીયાના ભાઈને કોંગ્રેસે વરાછાથી ટિકીટ આપી, કામરેજમાં લડશે ખેડૂત પુત્ર

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Election 2022 ) માં ઉમેદવારોના નામો જાહેર થવા લાગ્યાં છે. કોંગ્રેસની પ્રથમ ઉમેદવાર યાદીમાં સુરતની વરાછા (Congress candidate from Varachha) અને કામરેજ બેઠક પર પણ ઉમેદવારો જાહેર કરી દીધાં છે. વરાછામાં પ્રવીણ તોગડીયાના ભાઈ પ્રફુલ તોગડીયા ( Congress candidate Praful Togadia) અને કામરેજમાં ખેડૂત પુત્ર નીલેશ કુંભાણીને ટિકીટ ( Congress ticket to Praveen Togadia brother ) આપી છે. તેમની સાથે ઇટીવીની ખાસ વાતચીત.

સુરત ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ( Gujarat Election 2022 ) ગુજરાત કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાંથી સુરત શહેરની 12 બેઠકોમાંથી પાટીદાર ફેક્ટર ધરાવતી બે વિધાનસભા બેઠકના ઉમેદવાર છે. વરાછા બેઠક પર (Congress candidate from Varachha) કટ્ટર હિન્દુવાદી નેતા પ્રવીણ તોગડીયાના પિતરાઈભાઈ પ્રફુલ તોગડીયા ( Congress candidate Praful Togadia)અને વરાછા બેઠક પરથી નીલેશ કુંભાણીને ( Congress candidate Nilesh Kumbhani )કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠકો પર ભાજપ સાથે આમ આદમી પાર્ટી કોંગ્રેસને મજબૂત ટક્કર આપવા જઈ રહી છે ત્યારે આ બંને ઉમેદવારો પોતાની જીત માટે આશ્વત છે.

ઈટીવી ભારત સાથે પ્રફુલ તોગડીયા અને નીલેશ કુંભાણીની ખાસ વાતચીત

વરાછા અને કામરેજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યુ છે તેમાં સુરતમાં વરાછા (Congress candidate from Varachha) અને કામરેજ મતવિસ્તાર માટે પણ ઉમેદવાર ( Congress candidate from Kamrej ) જાહેર કર્યા છે. આ બંને મતવિસ્તારમાં પાટીદાર સમાજના મતદાતાઓ નિર્ણાયક ભૂમિકામાં હોય છે અને આ બેઠકને લઈ આમ આદમી પાર્ટી પણ ખૂબ જ આશાવાન છે. બંને બેઠક માટે કોંગ્રેસે પોતાના પાયાના કાર્યકરને ઉમેદવાર બનાવ્યા છે. બંને ઉમેદવાર પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે. પ્રફુલ તોગડીયા સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા પણ હતાં.

ગત વખત જાહેર કર્યા બાદ મેન્ડેટ રદ થચો હતો વરાછાથી કોંગ્રેસે પ્રફુલ તોગડીયાને ( Congress candidate Praful Togadia) ઉમેદવાર બનાવ્યા છે કે જેઓ પૂર્વ વિહિપના નેતા પ્રવીણ તોગડીયાના પિતરાઈ ભાઈ પણ છે. કોંગ્રેસ દ્વારા વરાછા બેઠક પરથી ગત વખતે પરત ખેંચી લેવાયેલ ઉમેદવાર પ્રફુલ તોગડીયાને ફરી આ વખતે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે બીજી બાજુ કામરેજ બેઠક પરથી ગત વખત જાહેર કર્યા બાદ મેન્ડેટ રદ કરી દેવામાં આવેલા નીલેશ કુંભાણીને ( Nilesh Kumbhani ) મેદાનમાં ઉતાર્યા છે. આ બંને મતવિસ્તારમાં આ બંને ઉમેદવારો સારું પ્રભુત્વ ધરાવે છે.

મારી બેઠક પર કોંગ્રેસ વિજય મેળવશે કોંગ્રેસે ટિકિટ આપ્યા બાદ પ્રફુલ તોગડીયા ( Congress candidate Praful Togadia) એ જણાવ્યું હતું કે, ભાજપે લોકડાઉન સમયે લોકોને ખોટી રીતે હેરાન કર્યા છે. હું અને મારા કાર્યકરોએ તે વખતે પણ લોકોની ખૂબ જ મદદ કરી છે. મારા વિસ્તારમાં પાટીદાર સમાજના લોકો વધારે છે. તો ચોક્કસથી ત્રણેય પાર્ટીમાંથી પાટીદાર સમાજના દીકરા જ ઉમેદવાર બનશે. સમાજથી લીડર બને છે લીડરથી સમાજ નથી. મારી બેઠક પર કોંગ્રેસ વિજય મેળવશે.

50,000ની લીડથી જીત મેળવીશ નીલેશ કુંભાણી સક્રિય કાર્યકર્તા છે. ખેડૂત પુત્ર અને પાટીદાર સમાજથી આવનાર નીલેશ કુંભાણી રિયલ એસ્ટેટ વેપાર સાથે સંકળાયેલા છે. ઉમેદવાર ( Congress candidate from Kamrej ) બન્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે, કોરોના કાર્ડમાં ભાજપ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હતી. જે લોકોને આજે પણ યાદ છે. એટલું જ નહીં, કોરોનાકાળ બાદ જે રીતે શાળાઓમાં ફી વધારે લેવામાં આવી હતી તેનો પણ વિરોધ કરવામાં આવ્યો તે વખતે મારી ઉપર કેસ થયો હતો. જ્યારે આમ આદમી પાર્ટીએ આ અંગે વિરોધ કર્યો નહોતો. તેથી લોકો જાણે છે કે આ વિસ્તારમાં કોણ કામ કરે છે ચોક્કસથી હું 50,000ની લીડથી જીત મેળવીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.