Central Budget 2023 24 : મોદી સરકારના બજેટથી સુરતના કાપડ વેપારીઓને નવી ઉમ્મીદ

Central Budget 2023 24 : મોદી સરકારના બજેટથી સુરતના કાપડ વેપારીઓને નવી ઉમ્મીદ
ટૂંક સમયમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. જેને લઇ સુરતના કાપડ ઉદ્યોગકારોને નવી ઉમ્મીદ (Hope and Expectation of Surat textile traders )જાગી છે. જોકે વેપારીઓનું કહેવું છે કે કોઈ પણ બજેટમાં સુરતના કાપડ ઉદ્યોગ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું નથી. નાણાંપ્રધાન નિર્મલા સીતારામન (Nirmala Sitaraman) દ્વારા રજૂ થનાર કેન્દ્રીય બજેટ 2023 24 ( Central Budget 2023 24 )પર શું છે આશાઅપેક્ષા જોઇએ.
સુરત આગામી માસમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ થવા જઇ રહ્યું છે. ત્યારે કોરોનાકાળના નુકસાન બાદ સરકારની સહાયતા મેળવી કાપડ ઉદ્યોગે થોડી રાહતભરી સ્થિતિ પ્રાપ્ત કરી હતી. જોકે ઉદ્યોગની સમસ્યાઓ અને વિકાસ માટે સુરતના કાપડ વેપારીઓને કેન્દ્રીય બજેટથી ઘણી આશાઓ છે. સુરત શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગ GST, નોટબંધી અને બાદમાં કોરોનાનો સામનો કર્યો છે. સુરતનો કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને એશિયાનું મોટું હબ છે તેવામાં કેટલીક એવી અપેક્ષાઓ પણ વ્યક્ત થઇ છે જ્ ઉદ્યોગને આગળ વધારી શકે છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટની જાહેરાત કર્યા અગાઉ જ સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ બજેટમાં ખાસ આશાઓ અને અપેક્ષાઓ રાખી છે.
લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બજેટ આવશે : લોકસભા ચૂંટણી પહેલાં જે બજેટ રજૂ કરવામાં આવશે. તેમાં સુરતના કાપડ ઉદ્યોગકારો માટે ટેક્સમાં રાહત આપવામાં આવે સાથે જીએસટી સ્લેબને લઈ જે નિર્ણય નિરસ્ત કરવામાં આવ્યું છે તેને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવે. સુરત કાપડ ઉદ્યોગ દરરોજ સાડાચાર કરોડની કાપડનું ઉત્પાદન કરે છે કે દેશના અન્ય રાજ્યોમાં જ નહીં વિશ્વના ખૂણે ખૂણે જાય છે. કરોડોના વેપાર હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી સુરતના કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમ છતાં હવે જ્યારે લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઇ રહી છે ,ત્યારે સુરતના કાપડ ઉદ્યોગકારોમાં નવી આશા જોવા મળી રહી છે.
આ પણ વાંચો Gujarat Budget 2023-24: 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ
કેન્દ્રીય બજેટને લઈ વેપારીઓની આશા : આગામી કેન્દ્રીય બજેટ માટે કાપડ વેપારીઓની આશાઅપેક્ષાઓ છે તે જોઇએ. એક, ટેક્સટાઈલ મશીનરી પર ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટીનો સમયગાળો 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે, તેને આગામી 5 વર્ષ માટે લંબાવવો જોઈએ. બે, TTDSની ડ્રાફ્ટ યોજના 1 એપ્રિલ 2022 થી લાગુ થવી જોઈએ. ત્રણ, સિલ્ક યાર્ન પર આયાત જકાત 15 ટકા છે તે ઘટાડીને 10 ટકા કરવી જોઈએ. ચારસુરતમાં મિત્રા પાર્ક યોજના સાકાર થવી જોઈએ, તેની જાહેરાત બજેટમાં થવી જોઈએ. પાંચ, સિન્થેટિક યાર્ન પર કસ્ટમ ડ્યુટી ઘટાડવી જોઈએ. છ, ફિનિશ ફેબ્રિક આયાત CF મૂલ્ય પર આયાત ડ્યુટી વસૂલવામાં આવે છે. જ્યારે તેના પર કેજી ફિક્સ કરીને રિકવરી થવી જોઈએ.
ગારમેન્ટ સેક્ટરમાં વધારો : કાપડ ઉદ્યોગની સ્થિતિ સ્પષ્ટ કરતાં વેપારી મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં સુરત ટેક્સટાઈલ સેક્ટરને નવી ઉંચાઈએ લઈ જવા માટે ગારમેન્ટ સેક્ટરમાં વધારો કરવો જરૂરી છે. આવા સંજોગોમાં મિત્રા પાર્ક યોજના અંતર્ગત માંગણી કરી છે કે આ બજેટમાં સુરતમાં મિત્રા પાર્ક યોજના બનાવવાની જાહેરાત કરવામાં આવે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતાં.
જીએસટી રેેટ પરત ખેંચવાનો નિર્ણય : ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, ટેક્સટાઈલ પર લાદવામાં આવેલા 12 ટકા નવા જીએસટી રેટને પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલા સિંગલ એજન્ડાને લઈને જીએસટી કાઉન્સિલની નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે અત્યાર સુધી આ નિર્ણય નિરસ્ત કરવામાં આવ્યો નથી જેના કારણે અમે માંગણી કરી રહ્યા છીએ કે સરકાર આ બજેટમાં નિર્ણયને નિરસ્ત કરી અમારી મૂંઝવણ દૂર કરે.
વૃદ્ધ વેપારીઓ માટે પેન્શન યોજના : મહેન્દ્રભાઈ ખુરાનાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષથી તેઓ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને સરકારમાં દર વર્ષે 80,000 થી 1 લાખ સુધી ટેક્સ પણ ભરે છે. વૃદ્ધ વેપારીઓ માટે સરકારને પેન્શન યોજના શરૂ કરવાની જરૂર છે.
