સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૨૪માં હ્રદયનું દાન

author img

By

Published : Nov 3, 2019, 4:22 PM IST

સુરત: સુરજ આથમ્યો પરંતુ તેની રોશનીથી અન્ય ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓના જીવનમાં ઉજાસ ફેલાયો. ઉડિયા સમાજના બ્રેનડેડ સુરજ બાબુભાઈ બહેરાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી હતી.

સુરતથી મુંબઈનું 269 કિ.મીનું અંતર 70 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ મૂલુંડની ફોર્ટિસ હોસ્પીટલમાં સુરતની ૪૦ વર્ષની મહિલામાં કરવામાં આવ્યું હતું. જયારે બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ 3 જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં કરવામાં આવ્યું હતું.

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૨૪માં હ્રદયનું દાન

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ બ્રેનડેડ સુરજ બાબુભાઈ બહેરાના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરે છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૪૭ કિડની, ૧૩૯ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૪ હૃદય, ૪ ફેફસાં અને ૨૫૨ ચક્ષુઓ મળી કુલ ૭૭૩ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૦૯ વ્યક્તિઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.

Intro:સુરત : એક સુરજ આથમ્યો પરંતુ એની રોશનીથી અન્ય ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓના જીવનમાં ઉજાસ ફેલાયો.ઉડિયા સમાજના બ્રેનડેડ સુરજ બાબુભાઈ બહેરાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી.

Body:સુરતથી મુંબઈનું ૨૬૯ કિ. મી નું અંતર ૭૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈ મૂલુંડની ફોર્ટિસ હોસ્પીટલમાં સુરતની ૪૦ વર્ષની મહિલામાં કરવામાં આવ્યું. જયારે બન્ને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં કરવામાં આવ્યું છે.

ડોનેટ લાઈફ તેમજ સમગ્ર સમાજ બ્રેનડેડ સુરજ બાબુભાઈ બહેરાના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરે છે.


Conclusion:સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૪૭ કિડની, ૧૩૯ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૪ હૃદય, ૪ ફેફસાં અને ૨૫૨ ચક્ષુઓ કુલ ૭૭૩ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૦૯ વ્યક્તિઓને નવુંજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.