Water Crisis in Gujarat : 35 દિવસ સુધી પાણી ન મળે તો શું થાય? જાણો આ ગામડાંઓની રોષસભર વ્યથા

author img

By

Published : May 6, 2022, 7:50 PM IST

Water Crisis in Gujarat : 35 દિવસ સુધી પાણી ન મળે તો શું થાય? જાણો આ ગામડાંઓની રોષસભર વ્યથા
Water Crisis in Gujarat : 35 દિવસ સુધી પાણી ન મળે તો શું થાય? જાણો આ ગામડાંઓની રોષસભર વ્યથા ()

ઉનાળાની શરૂઆતમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના ગામડાઓમાં પાણીની પળોજણ(Water Crisis in Gujarat ) શરૂ થઈ છે.સાબરકાંઠાના રતનપુર ગામે 15 દિવસથી લઈ 35 દિવસ સુધી પાણી ન આવતા સ્થાનિકો (Water Demad from Ider Rural Villages ) પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે.

સાબરકાંઠા: સાબરકાંઠાના આધુનિક ગણાતા ઇડરના પશ્ચિમ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં પાણી મામલે ભારે પરેશાની (Water Crisis in Gujarat )ઉભી થઈ છે. જેમાં ઇડર તાલુકાના રતનપુર ગામે 15 દિવસથી લઇ એક મહિના સુધી પાણી આપવામાં નિષ્ફળ રહેલી ગ્રામ પંચાયત (Ratanpur Gram Panchayat )સામે સ્થાનિકોમાં ભારે રોષ (Water Demad from Ider Rural Villages )વ્યાપી રહ્યો છે.

રતનપુર ગામે 15 દિવસથી લઈ 35 દિવસ સુધી પાણી ન આવતા સ્થાનિકોની મુશ્કેલીનો પાર નથી

સ્થાનિકોના આક્ષેપ - ઇડરના રતનપુર ગામે પાણીમાં સ્થાનિકો દ્વારા વિવિધ આક્ષેપો કરી રહ્યા છે જે અંતર્ગત વાત કરવામાં આવે તો પીવાના પાણી માટે પણ સ્થાનિકોને પંદર દિવસ સુધી રાહ (Water Demad from Ider Rural Villages )જોવી પડે છે. તેમજ અન્ય જરૂરિયાત તેમજ વાપરવાના પાણી માટે એક મહિના જેટલો સમય વીત્યા બાદ પાણી (Water Crisis in Gujarat )આપવામાં આવે છે. જોકે એક તરફ ગ્રામીણ વિસ્તારમાં નહિવત પાણી હોવાની સા (Ratanpur Gram Panchayat )થોસાથ પશુપાલન કરનારા પશુપાલકો માટે પણ પાણી ન હોવાથી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આ પણ વાંચોઃ Water Crisis in Gujarat : કચ્છના આ ગામમાં પીવાના પાણીની પળોજણ કેવી વિકટ બની જૂઓ

સ્થાનિક પંચાયત નિષ્ફળ નીવડી છે -હાલમાં રતનપુર ગામમાં અંદાજિત 5000થી વધુ વસતી માટે રેગ્યુલર પાણી આપવાનું જાણે કે પંચાયતે પણ શક્ય ન હોવાનું સ્વીકારી (Water Crisis in Gujarat )લીધું હોય તેમ જણાઈ રહ્યું છે. રતનપુર ગ્રામ પંચાયત પાસે દોઢ લાખ લીટરથી વધારેનો સંગ્રહ હોવા છતાં સ્થાનિક કક્ષાએ પાણી આપવામાં સ્થાનિક પંચાયત (Ratanpur Gram Panchayat )નિષ્ફળ નીવડી છે. બીજી તરફ ગ્રામજનોનું માનીએ તો હાલના તબક્કે ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પળોજણ (Water Demad from Ider Rural Villages )નિર્માણ પામી છે. ત્યારે આગામી ઉનાળામાં પાણી મામલે કેવી પરિસ્થિતિ નિર્માણ પામશે તેનો વિચાર થઇ શકે તેમ નથી. જોકે સમગ્ર વિસ્તારમાં ઓછા પાણીના પગલે દૈનિક જરૂરિયાતના કામકાજ પણ સમસ્યારૂપ બની રહ્યા છે.

આ પણ વાંચોઃ Water in Bhavnagar Dams : ભાવનગર શહેરવાસીઓ માટે આટલા દિવસનું પાણી, ડેમોની સ્થિતિ પણ જાણો

અબોલ પશુઓની અપેક્ષા કોણ સાંભળશે - પાણીની પારાયણ એ એવી તો માઝા (Water Crisis in Gujarat )મુકી છે કે હવે પશુપાલકો પોતાનું પશુધન વેચી રહ્યા છે. પરિસ્થિતિ યથાવત રહે તો આગામી સમયમાં હિજરત કરવાની વાત પણ કરી રહ્યા છે. પાણીનો પ્રશ્ન વ્યાપક બની રહ્યો છે ત્યારે પોતાના પશુઓ માટે તંત્ર પાસે ચોક્કસ જવાબની અપેક્ષા રાખી રહ્યા છે. હાલના તબક્કે વાત કરવામાં આવે તો એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી વધી રહી છે ત્યારે માનવ સહિત પશુઓને પણ પાણીની વ્યાપક જરૂરિયાત (Water Demad from Ider Rural Villages )હોય છે તેવા સમયે પાણી ન મળતાં હવે પશુધન વેચવા સહિત આગામી સમયમાં પ્રશ્ન યથાવત રહે તો હિજરત કરવા મજબૂર બનવાની વાત ગ્રામજનો જણાવી રહ્યા છે.

પાણીની ભીષણ પળોજણની તસવીરો
પાણીની ભીષણ પળોજણની તસવીરો

ટેન્કર મંગાવી લેવાય- જોકે સામાન્ય રીતે પાણી મામલે કોઈ પળોજણ (Water Crisis in Gujarat )સર્જાય તો આર્થિક રીતે સદ્ધર માણસો ટેન્કર સહિત અન્ય પાણીના ટાંકા ખરીદી પાણીનો સંગ્રહ કરી આ સમસ્યામાંથી છુટકારો મેળવતા હોય છે. ત્યારે આવા તબક્કે સૌથી વધુ ભોગવવાનું આર્થિક રીતે નબળા લોકોને (Water Demad from Ider Rural Villages )વધુ આવે છે. રતનપુર ગામે રહેતા સ્થાનિકોએ પોતાની પીડા રજૂ કરતા જણાવ્યું હતું કે સમાજના લોકો પોતાની પાણીની ઉણપ દૂર કરવા ટેન્કર મંગાવી લે છે તો અન્ય કેટલાક લોકો વિચાર ટાંકાઓમાં પાણીનો સંગ્રહ કરે છે.

આર્થિક પરિસ્થિતિનો સવાલ- મજૂરીકામ કરી પૂરું કરનારા લોકો માટે પાણીનો સંગ્રહ કરવો કે ટેન્કર મંગાવી લેવું શક્ય નથી. ત્યારે અમારું જીવન પાણી મામલે ભયંકર પરિસ્થિતિમાં મુકાયું છે.એક તરફ પાણી મેળવવા માટે મજૂરી કામ છોડી કેટલાય દિવસો સુધી રાહ (Water Crisis in Gujarat )જોવી પડે છે, તો બીજી તરફ આર્થિક રીતે ટકી રહેવા માટે પાણી મૂળભુત પ્રશ્ન બની ચૂકયો છે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે ચોક્કસ ઉકેલ આવે (Water Demad from Ider Rural Villages )તે જરૂરી બન્યું છે.

વિસ્તારના રાજકીય લોકો સામે રોષ - જોકે સામાન્ય સંજોગોમાં લોકોના મસિહા બનાવવાની વાતો કરનારા રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ માટે પાણીના પ્રશ્નો જાણે કે સહાનુભૂતિની પણ ઉણપ સર્જાતી હોય તેવા દ્રશ્યો સાબરકાંઠાના ઇડરના પશ્ચિમના ગામડાઓમાં જોવા મળી રહ્યા છે. એક તરફ સ્થાનિકો રાજકીય લોકોને ધિક્કારી રહ્યા છે તો બીજી તરફ (Water Crisis in Gujarat )પાણી મામલે તંત્ર ચોક્કસ પરિણામની અપેક્ષા (Water Demad from Ider Rural Villages )રાખી રહ્યા છે. ત્યારે જોવું એ રહે છે કે આ મામલે આગામી સમયમાં ચોક્કસ પગલાં લેવાય છે કે પછી હોતી હૈ ચલતી હે નીતિ અપનાવી આ વાતને પણ ભૂલી જવાનો પ્રયાસ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.