ETV Bharat / state

ભાદરવી પૂનમનો મેળો સુખરૂપ સંપન્ન, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ધજા ચડાવી પ્રાર્થના કરી

author img

By

Published : Sep 14, 2019, 11:29 PM IST

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ધજા ચડાવી પ્રાર્થના કરી

સાબરકાંઠાઃ ભાદરવી પૂનમ નિમિત્તે ખેડાબ્રહ્મા અંબાજી માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જિલ્લા પોલીસવડા એસ.પી ચૈતન્ય માંડલિક પણ પરિવાર સાથે મા જંગદબાને ધજા અર્પણ કરી હતી, અને ભાદરવી પૂનમ સુખરૂપ પૂર્ણ થતાં સાબરકાંઠા જિલ્લામાં તમામના સુખ-સમૃદ્ધિની કામના કરી હતી.

ભાદરવી પૂનમનો અનોખો મહિમા જોવા મળે છે. આ દિવસે ભક્તો મા અંબાને રીઝવવા માટે પૂજાપાઠ કરે છે. તેમજ અંબાજી માડીના દર્શનાર્થે જાય છે.

ખેડબ્રહ્મા માઈ મંદિરે અત્યાર સુધી 8 લાખ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શનનો લ્હાવો લીધો હતો. 430 સંઘ દ્વારા માતાજીએ રાત્રિ રોકાણ કરીને 130 કિલો ઘીની પ્રસાદી વહેંચી હતી.

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ ધજા ચડાવી પ્રાર્થના કરી

જિલ્લા SP ચૈતન્ય માંડલિકે પરિવાર સહિત માતાજીના દર્શન કરી 108 ગજની ધજા ચડાવી હતી. માતાજીના ચાચર ચોકમાં SRP બેન્ડ દ્વારા માતાજીની આરતીની ધૂન વગાડી સમગ્ર મંદિરમાં ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું.

Intro:આજે ભાદરવી પૂનમ ખેડ્ભ્રહ્માં અંબાજી માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું તેમજ જીલ્લા પોલીસ વડા એસ.પી ચૈતન્ય માંડલિક એ પરીવાર સહિત મા જગદબા ને ધજા અર્પણ કરી હતી તેમજ ભાદરવી પૂનમ સુખરૂપ પૂર્ણ થતા સાબરકાંઠા જિલ્લામાં તમામના સુખ-સમૃદ્ધિની કામના કરી હતીBody:ભાદરવી પૂનમ ખેડ્ભ્રહ્માં અંબાજી માતાજી એ મોટી પૂનમ હોઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું તેમજ માઈ મંદિરે અત્યાર સુધી ૮ લાખ શ્રદ્ધાળુ ઓએ માના દર્શન કરયા...૬ હજારથી વધુ ધજાઓ માને ચડાવવા માં આવી ૪૩૦ સંઘો માતાજી એ રાત્રી રોકાણ કર્યા ૧૩૦ ચોખ્ખા ઘી ની પ્રસાદી વહેચાઈ ....મંદિરે આવતા તમામ ભક્તો માટે વિવિધ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે ..

ભાદરવા મહિના માં આસ્થા અને ભક્તિનો મહિનો ત્યારે ભાદરવી પૂનમે અંબાજી અને નાના અંબાજી માના દર્શન કરવા લાખો ભક્તો ચાલી ને જતા હોય છે.

ખેડબ્રહ્મા નાનાઅંબાજી માતાજીએ જીલ્લા એસ.પી ચૈતન્ય માંડલિક એ પરિવાર સહીત માતાજીના દર્શન કરી ૧૦૮ ગજ ની ધજા ચડાવી હતી.માતાજીના માં એસ.પી ને ખુબ શ્રધ્ધા હોવાથી જે જીલ્લામાં ફરજ બજાવતા હોય ત્યાં જે તે મંદિર માં પૂજા અર્ચન પરિવાર સહીત ચોક્કસ કરે છે.માતાજીના ચાચર ચોક એસ.આર.પી બેન્ડ દ્વારા માતાજીની આરતીની ધૂન વગાડી સમગ્ર મંદિર માં ભક્તિમય વાતાવરણ બનાવી દીધું હતું .

બાઈટ:ઘનશ્યામ રહેવર,મેનેજર, ખેડબ્રહ્મા માતાજી ટ્રસ્ટ
વન ટુ વન_ ચૈતન્ય માંડલિક – જીલ્લા એસ.પીConclusion:આજે શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન કરી ધન્ય થઇ ગયા અને આવનારી નવરાત્રી માં માના દર્શન કરવા અને ગરબે ગુમવા થનગની રહ્યા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.